________________
श्री प्रज्ञापना सूत्र भाग १
प्रथम पद असंसारसमावण्ण जीव पन्नवणा (पन्नरभेदे सिद्ध स्वरूप) પ્રરૂપણા કરનાર તીર્થંકર પ્રણીત પ્રવચન, તે જ્ઞાનસ્વરૂપ હોવાથી નિરાધાર હોતું નથી માટે તેના આધારભૂત સંઘ અથવા પ્રથમ તે ગણધર તીર્થ કહેવાય છે. એ સંબંધે કહ્યું છે કે ‘‘તિરૂં મંતે! તિર્થં તિત્થરે તિર્થં? ગોયમા! અરિહા તાવ (નિયમા) તિસ્થરે, તિર્થં પુળ વારબ્ધળો સમળસો પઢમાળહારો વેતિ ॥'' હે ભગવન્! તીર્થ (પ્રવચન) એ તીર્થ (તરવાનું સાધન) છે કે તીર્થંકર તીર્થ છે? હે ગૌતમ! અરિહંત અવશ્ય તીર્થંકર છે અને તીર્થ તો ચાર પ્રકારનો શ્રમણપ્રધાન સંઘ અથવા પ્રથમ ગણધર છે.' તે તીર્થ ઉત્પન્ન થયા પછી તેના સદ્ભાવમાં જેઓ સિદ્ધ થયા હોય તે તીર્થસિદ્ધ કહેવાય છે. (૨) અતીર્થસદ્ધ—અતીર્થ—તીર્થની ઉત્પત્તિ ન થઈ હોય ત્યારે અથવા વચ્ચે તીર્થનો વિચ્છેદ થયા પછી સિદ્ધ થયેલા તે અતીર્થસિદ્ધ કહેવાય છે. તેમાં તીર્થની ઉત્પત્તિ થયા પહેલા મોક્ષે ગયેલા મરુદેવી પ્રમુખ જાણવા, કારણ કે તેઓના મોક્ષગમન સમયે તીર્થ ઉત્પન્ન થયું નહોતું. તથા સુવિધિનાથ' પ્રમુખ તીર્થંકરના વચ્ચેના કાળમાં તીર્થનો વિચ્છેદ થયા પછી જેઓ જાતિ સ્મરણાદિ વડે સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગ પ્રાપ્ત કરી મોક્ષે ગયેલા તે તીર્થના વ્યવચ્છેદ કાળે સિદ્ધ થયેલા અતીર્થસિદ્ધ જાણવા. (૩) તીર્થંકરસિદ્ધ—તીર્થંકર થઈને જેઓ મોક્ષે ગયેલા હોય તે તીર્થંકર સિદ્ધ કહેવાય છે.
(૪) અતીર્થંકરસિદ્ધ—માત્ર સામાન્ય કેવલી થઇને મોક્ષે ગયેલા તે અતીર્થંકરસિદ્ધ જાણવા.
(૫) સ્વયંબુદ્ધસિદ્ધ—જેઓ કોઈના ઉપદેશ સિવાય પોતાની મેળે બોધ પામીને મોક્ષે ગયેલા છે તે સ્વયંબુદ્ધ સિદ્ધ. (૬) પ્રત્યેકબુદ્ધસિદ્ધ—જેઓ પ્રત્યેકબુદ્ધ થઇને મોક્ષે ગયેલા છે તેઓ પ્રત્યેકબુદ્ધસિદ્ધ કહેવાય છે.
(પ્ર૦–) સ્વયંબુદ્ધ અને પ્રત્યેકબુદ્ધમાં શો તફાવત છે?
(ઉ0–) તેઓમાં બોધિ, ઉપધિ, શ્રુત અને લિંગ–બાહ્ય વેષનો તફાવત છે. બોધિકૃત વિશેષતા–સ્વયંબુદ્ધ કોઈ પણ બાહ્ય કારણ સિવાય બોધ પામે છે, કારણ કે સ્વયં-પોતાના જાતિસ્મરણાદિ જ્ઞાન વડે બુદ્ધાઃ—બોધ પામેલા છે તે સ્વયંબુદ્ધ–એવી તેની વ્યુત્પત્તિ થાય છે. તેના બે પ્રકાર છે–તીર્થંકર અને તીર્થંકર સિવાયના સ્વયંબુદ્ધ. અહીં તીર્થંકર સિવાયના સ્વયંબુદ્ધનો અધિકાર છે. એ સંબંધમાં નન્દિસૂત્રના ચૂર્ણિકાર કહે છે કે ‘‘તે દુવિહા સયંબુદ્ધા-તિત્વયા તિત્યયવÉત્તા ય, રૂ. વત્તેવિં અહિરો'' ‘સ્વયંબુદ્ધ બે પ્રકારના છે. તીર્થંકર અને તીર્થંકરભિન્ન. તેમાં અહીં તીર્થંકથી ભિન્ન સ્વયંબુદ્ધનો અધિકાર છે. પ્રત્યેકબુદ્ધ કોઈ પણ બાહ્ય કારણથી બોધ પામે છે.' પ્રત્યેક–બાહ્ય વૃષભાદિક વસ્તુ જોઇને બોધ પામેલા તે પ્રત્યેકબુદ્ધ–એવી તેની વ્યુત્પત્તિ થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે – ‘‘વાહ્મપ્રત્યયસાપેક્ષા વાડીનાં બોધિ: બહિ: પ્રત્યયમપેક્ષ્ય ૬ તે બુદ્ધા સન્તો નિયમતઃ પ્રત્યેમેવ વિજ્ઞાન્તિ, ન શૂ∞વાસિન વા''- કરકંઠૂપ્રમુખ રાજર્ષિને બાહ્ય કારણથી બોધિ પ્રાપ્ત થયેલ છે, અને તે બોધિ પ્રાપ્ત કરીને અવશ્ય એકાકી જ વિચરે છે, પરન્તુ ગચ્છવાસી સાધુઓની પેઠે સાથે મળીને વિચરતા નથી. એ સંબંધી નન્દિસૂત્રના ચૂર્ણિકાર કહે છે કે –‘‘પત્તેય-વાાં વૃષભાવિ જાળમમિસમીક્ષ્ય બુદ્ધા:, વહિપ્રત્યયં,
૧. ભગવાન ઋષભદેવથી માંડી સુવિધિનાથ પર્યન્ત અને શાન્તિનાથથી માંડી મહાવીર સ્વામિ સુધીના નવ નવ તીર્થંકરોના આઠ આઠ આંતરામાં તીર્થનો વિચ્છેદ થયો નથી અને સુવિધિનાથથી આરંભી શાંતિનાથ સુધીના મધ્યવર્તી આઠ તીર્થંકરોના સાત આંત૨ાઓમાં તીર્થનો વિચ્છેદ થયો છે. તેમાં ‘સુવિધિનાથ અને શીતલનાથની વચ્ચે પલ્યોપમના ચોથા ભાગ સુધી તીર્થનો વિચ્છેદ થયો છે. શીતલનાથ અને શ્રેયાંસનાથની વચ્ચે પલ્યોપમનો સોળમો ભાગ, શ્રેયાંસનાથ અને વાસુપૂજ્ય સ્વામિની વચ્ચે પલ્યોપમના ત્રણ ચતુર્થાંશ, વાસુપૂજ્ય સ્વામિ અને વિમલનાથ જિનની વચ્ચે પલ્યોપમનો ચોથો ભાગ, વિમલનાથ અને અનન્ત જિનની વચ્ચે પલ્યોપમના ત્રણ ચતુર્થાંશ, અનન્તનાથ અને ધર્મનાથની વચ્ચે પલ્યોપમનો ચોથો ભાગ, અને ધર્મનાથ અને શાંતિજિનની વચ્ચે પલ્યોપમનો ચોથો ભાગ તીર્થનો વિચ્છેદ થયો છે. બધો મળી પલ્યોપમના ચોથા ભાગ હીન ત્રણ પલ્યોપમ તીર્થનો વિચ્છેદકાળ છે. જુઓ પ્રવચન સારોદ્વાર ગા. ૪૩૦-૪૩૧' पुरिमंतिम अट्ठमंतरेसु तित्थस्स नत्थि वोच्छेओ । मज्झिल्लएसु सत्तसु एत्तियकालं तु वुच्छेओ ॥ ४३० ॥ चउभाग चउभागो तिन्नि य चउभाग पलिय चउभागो । तिण्णेव य चउभागा चउत्थभागो य चउभागो ॥ ४३२ ॥
26