________________
प्रथम पद असंसारसमावण्ण जीव पन्नवणा (पन्नरभेदे सिद्ध स्वरूप)
श्री प्रज्ञापना सूत्र भाग १ પ્રતિબુદ્ધાનાં ૬ પત્તેયં નિયમા વિહારો નન્દા તન્હા ય તે પત્તેયબુદ્ધા''-‘પ્રત્યેક–બાહ્ય વૃષભાદિ કારણને જોઇને બોધ પામેલા હોય છે, અને બાહ્ય કારણથી બોધ પામેલા તેઓને અવશ્ય પ્રત્યેક–એકાકી વિહાર હોય છે માટે તેઓ પ્રત્યેકબુદ્ધ કહેવાય છે.' [ઉપધિકૃત વિશેષતા–] સ્વયંબુદ્ધને બાર' પ્રકારનો વજ્રપાત્રાદિક ઉપષિ-ઉપકરણ હોય છે અને પ્રત્યેક બુદ્ધને જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે પ્રકારનો ઉપધિ હોય છે. તેમાં જઘન્ય ઉપધિ બે પ્રકારનો અને ઉત્કૃષ્ટ ઉપધિ વસ્ત્ર સિવાય નવ પ્રકારનો હોય છે. કહ્યું છે કે -‘પત્તેયવુદ્ધાળું નહન્નેનું તુવિદ્દો બ્રોસેળ નવવિદો નિયમા પાડરળવખ્ખો મવદ્'' – ‘પ્રત્યેકબુદ્ધને જઘન્ય બે પ્રકારનો અને ઉત્કૃષ્ટથી વસ્ત્ર સિવાય નવ પ્રકારનો ઉપધિ હોય છે.’” [શ્રુત અને લિંગની વિશેષતા– ] સ્વયંબુદ્ધને પૂર્વે (પૂર્વ જન્મમાં) અધ્યયન કરેલું શ્રુત હોય છે અથવા નથી હોતું. [પરન્તુ નવીન અધ્યયન કરેલું શ્રુત હોય છે.] જો પૂર્વે અધ્યયન કરેલું શ્રુત ઉપસ્થિત હોય તો તેને દેવો લિંગ-વેષ આપે છે. અથવા તો ગુરુ પાસે જઈને વેષનો સ્વીકાર કરે છે. જો એકલા વિચ૨વા સમર્થ હોય અથવા તો તેની તેવી ઇચ્છા હોય તો તે એકાકી વિચરે છે, નહિ તો ગચ્છવાસી થાય છે. જો પૂર્વે (પૂર્વ જન્મમાં) અધ્યયન કરેલું શ્રુત ઉપસ્થિત ન હોય તો અવશ્ય ગુરુ પાસે જઇને વેષને ગ્રહણ કરે છે અને ગચ્છનો અવશ્ય ત્યાગ કરતો નથી. એ સંબંધે કહ્યું છે કે-‘‘પુખ્વાહીય સુર્ય સે હવદ્ વા ન વા, પક્ તે નસ્થિ તો હ્રિાં નિયમા . गुरुसन्निहे पडिवज्जइ गच्छे य विहरइत्ति, अह पुव्वाधीयसुयसम्भवोऽत्थि तो से लिङ्गं देवया पडियच्छइ गुरुसन्नि वा पडिवज्जइ, जइ य एगविहारविहरपासमत्थो इच्छा वा से तो एक्को चेव विहरइ, अन्यथा गच्छे વિજ્ઞ।।''
[સ્વયંબુદ્ધને] પૂર્વે અધ્યયન કરેલું શ્રુતજ્ઞાન હોય છે અથવા હોતું નથી, જો નથી હોતું તો તે અવશ્ય ગુરુ પાસે જઇને વેષ સ્વીકારે છે અને ગચ્છમાં રહે છે. જો પૂર્વે અધ્યયન કરેલું શ્રુતજ્ઞાન હોય છે તો તેને દેવતા લિંગ–વેષ આપે છે, અથવા ગુરુ પાસે જઇને વેશ ગ્રહણ કરે છે. જો એકાકી વિહરવા સમર્થ હોય તો, અથવા તેની તેવી ઇચ્છા હોય તો એકલો વિહરે છે, અન્યથા ગચ્છમાં રહે છે.’ પ્રત્યેકબુદ્ધને તો અવશ્ય પૂર્વે (પૂર્વ જન્મમાં) અધ્યયન કરેલું જઘન્યથી અગ્યાર અંગ અને ઉત્કૃષ્ટથી કંઇક ન્યૂન દશ પૂર્વ શ્રુત હોય છે. અને તેને દેવતા લિંગ-વેષ આપે છે, અથવા કદાચિત્ લિંગરહિત પણ હોય છે. કહ્યું છે કે." पत्तेयबुद्धाणं पुव्वाहीयं सुयं नियमा हवइ, जहन्नेणं इक्कारस अङ्गा, उक्कोसेणं भिन्नदसपुव्वा, लिङ्गं च से देवया યજી, તિાવન્તિમો વા મવદ્, નો મળિયા'' ‘પ્રત્યેકબુદ્ધને પૂર્વે અધ્યયન કરેલું શ્રુત અવશ્ય હોય છે અને તે જધન્યથી અગ્યાર અંગ અને ઉત્કર્ષથી કાંઈક ન્યૂન દશ પૂર્વ શ્રુત હોય છે. તેને દેવતા લિંગ આપે છે, અથવા લિંગરહિત પણ હોય છે.
માટે કહ્યું છે—રુપં પત્તેયબુદ્ધા
૧. સ્વયંબુદ્ધને બાર પ્રકારનો ઉપધિ હોય છે – ૧ પાત્ર, ૨ પાત્રબંધ-ઝોળી, જેમાં પાત્રો મૂકી ભિક્ષા લાવી શકાય એવો ચોખુણો વસનો ટુકડો, ૩ પાત્રસ્થાપન, જેમાં પાત્ર મૂકવામાં આવે છે તે કંબલનો ખંડ, ૪ પાત્રકેસરિકા-કોમળ વસ્રનો ખંડ, પરન્તુ હાલ તેના બદલે ઉનની પ્રમાર્જનિકા વા૫૨વામાં આવે છે. (ચરોવળી) ૫ પટલો, ભિક્ષાએ જતા પાત્રના ઉપર જે ઢાંકવામાં આવે છે, ૬ રજસ્રાણ-જે પાત્રની વચ્ચે વજ્ર મૂકવામાં આવે છે, ૭ ગોચ્છક-કંબલનો ટુકડો, જે પાત્રના ઉપર બાંધવામાં આવે છે.એ સાત પ્રકારનો પાત્ર સંબંધી ઉપધિ છે. તથા ૮-૧૦ ત્રણ વર્ષો, જેમાં બે સૂતરના વસ્ત્રો અને એક કંબલ, ૧૧ ૨જોહરણ અને ૧૨ મુહપત્તિ.
२ १ रुप्पं पत्तेयबुहा टंकं जे लिंगधारिणो समणा । दव्वस्स य भावस्स य छेओ समणो समाओगे ।
રૂપા તુલ્ય પ્રત્યેકબુદ્ધો છે અને ટંક–સિક્સ જેવા વેષધારી શ્રમણો છે. દ્રવ્યલિંગ અને ભાવલિંગના યોગે શ્રમણો છેક-યથાર્થ સમજવા. અહીં રૂપા અને ટંક–સિક્કાની ચતુર્થંગી છે – ૧ રૂપું અશુદ્ધ અને સિક્કો વિષમાક્ષ૨વાળો, ૨ રૂપું અશુદ્ધ અને સિક્કો સમઅક્ષરવાળો, ૩ રૂપું શુદ્ધ અને સિક્કો વિષમાક્ષરવાળો અને ૪ રૂપું શુદ્ધ અને સિક્કો સમઅક્ષ૨વાળો. અહીં શુદ્ધ રૂપાના સમાન ભાવ લિંગ અને સિક્કાના સમાન દ્રવ્યલિંગ જાણવું. પ્રથમ ભંગ તુલ્ય ચરક-પરિવ્રાજકાદિ સમજવા, કારણ કે તેનું દ્રવ્યલિંગ અને ભાવલિંગ બન્ને અશુદ્ધ છે. બીજા ભંગ તુલ્ય પાર્શ્વસ્થાદિ જાણવા, કારણ કે તેઓનું ભાવલિંગ અશુદ્ધ છે. ત્રીજા ભંગ સમાન દ્રવ્યલિંગ રહિત પ્રત્યેકબુદ્ધ અને ચોથા ભંગ સમાન શીલયુક્ત શ્રમણો જાણવા. જુઓ આવ૦ નિ૦ ગા. ૧૧૩૮, ૩૯. આ.સ.૫૦ ૫૨૭–૧,
27