________________
श्री प्रज्ञापना सूत्र भाग १
प्रथम पद असंसारसमावण्ण जीव पन्नवणा (पन्नरभेदे सिद्ध स्वरूप) (૭) બુદ્ધબોધિતસિદ્ધ-બુદ્ધ-આચાર્યના ઉપદેશથી બોધ પામી મોક્ષે ગયેલા તે બુદ્ધબોધિતસિદ્ધ કહેવાય છે. (૮) સ્ત્રીલિંગસિદ્ધ-આ બધામાં પણ કેટલાક સ્ત્રીલિંગે સિદ્ધ થયેલા હોય છે. સ્ત્રીલિંગ-એ સ્ત્રીપણાનું સૂચક છે. સ્ત્રીપણું ત્રણ પ્રકારે છે – વેદ, શરીરાકૃતિ અને વેશ. તેમાં અહીં શરીરાકૃતિનું પ્રયોજન છે, પણ વેદ અને વેશનું પ્રયોજન નથી, કેમકે વેદના ઉદયમાં સિદ્ધપણું હોતું નથી અને વેશ અપ્રમાણ છે. એ સંબંધ નદિસૂત્રના ચૂર્ણિકાર કહે છે-“સ્થી નિ સ્થિતિ, इत्थीए उवलक्खणंति वुत्तं भवइ, तं च तिविहं वेदो सरीरानिम्विती नेवत्थं च, इह सरीरनिव्वत्तीए अहिगारो न વેચનેવસ્થેલિતિા"_“સ્ત્રીનું લિંગ તે સ્ત્રીલિંગ, તે સ્ત્રીપણાનું ઉપલક્ષણ-સૂચક છે. તે ત્રણ પ્રકારે છે–વેદ, શરીરાકાર અને વેશ, અહીં શરીરાકારનો અધિકાર છે, વેદ અને વેશનો અધિકાર નથી. સ્ત્રીનો આકાર છતાં જેઓ મોક્ષે ગયેલા છે તે સ્ત્રીલિંગસિદ્ધ કહેવાય છે, તેથી દિગંબરો કહે છે કે સ્ત્રીઓને નિર્વાણ નથી' તે વાતનો પ્રતિષેધ જાણવો. કારણ કે સ્ત્રીના નિર્વાણનું કથન સાક્ષાત્ આ સૂત્રે જ કરેલું છે, અને તેનો પ્રતિષેધ કરવો તે યુક્તિ સંગત નથી. તે આ પ્રમાણે– મુક્તિમાર્ગ જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ છે, કેમ કે “
સ ર્જનજ્ઞાનવરિત્રાળ મોક્ષમા' (સ.અ.૧, સૂ.૧) એ પ્રમાણે તત્ત્વાર્થસૂત્રનું કથન છે. સમ્યગ્દર્શનાદિ પુરુષોની પેઠે સ્ત્રીઓને પણ સંપૂર્ણપણે હોય છે. તે આ પ્રમાણે—સ્ત્રીઓ પણ સંપૂર્ણ પ્રવચનના અર્થની રુચિવાળી હોય છે, પડાવશ્યક, કાલિક અને ઉત્કાલિક ભેદવાળા શ્રતને જાણે છે, અને સત્તર પ્રકારના નિર્દોષ સંયમનું પાલન કરે છે, દેવ અને અસુરોને પણ દુર એવા બ્રહ્મચર્યને ધારણ કરે છે, માસક્ષમણાદિ તપસ્યા. પણ કરે છે, તો તેઓને મોક્ષનો સંભવ કેમ ન હોય? આને અનુલક્ષીને દિગંબરો જે કહે છે તે બતાવે છે–
“સ્ત્રીઓને સમ્યગ્દર્શન અને જ્ઞાન હોય છે, પરન્ત ચારિત્ર હોતું નથી, કારણ કે તેમાં સંયમનો અભાવ હોય છે. તે આ પ્રમાણે-સ્ત્રીઓને અવશ્ય વસ્ત્રનો ઉપભોગ કરવો પડે છે, જો તેમ ન કરે તો નગ્ન સ્ત્રીઓ તિર્યંચ સ્ત્રીઓની પેઠે પુરુષોને પરાભવ યોગ્ય થાય, લોકમાં નિંદા થાય, માટે સ્ત્રીઓએ અવશ્ય વસ્ત્રનો પરિભોગ કરવો જોઈએ. વસ્ત્રનો પરિભોગ કરવામાં પરિગ્રહ થાય છે અને પરિગ્રહની પ્રાપ્તિમાં સંયમ હોતો નથી.”
એ કથન અયોગ્ય છે, કેમ કે તેમાં સિદ્ધાન્તનું સમ્યજ્ઞાન નથી. વાસ્તવિક રીતે મૂછ–મમત્વપરિણામ એ પરિગ્રહ છે “મુછા પહો કુત્તો' મૂછને પરિગ્રહ કહેલો છે – એવું આવશ્યક નિર્યુક્તિનું વચન છે. કારણ કે અન્તઃપુર સહિત છતાં પણ આરિસાભવનમાં રહેલો મૂછરહિત ભરત ચક્રવર્તી પરિગ્રહ રહિત કહેવાય છે. જો તે પરિગ્રહ સહિત હોય તો તેને કેવળજ્ઞાન ઉત્પન્ન ન થાય. વળી મૂછના અભાવમાં વસ્ત્રના સંસર્ગમાત્રથી પરિગ્રહ થાય તો કોઈ જિનકલ્પિક સાધુને ધૂમસ સહિત ટાઢ પડતી હોય ત્યારે આજે અસહ્ય ટાઢ છે એમ સમજી કોઈ ધર્માર્થી પુરુષ તેમના મસ્તક ઉપર વસ્ત્ર ઓઢાડે તો તે મુનિ પરિગ્રહી થાય, પરન્તુ તે માનવું ઈષ્ટ નથી. માટે વસ્ત્રના સંસર્ગ માત્રથી પરિગ્રહ થતો નથી, પણ મૂછ એ પરિગ્રહ છે. અને તે મૂછ સ્ત્રીઓને વસ્ત્રાદિકમાં હોતી નથી, કારણ કે તેને ધર્મના ઉપકરણ તરીકે ગ્રહણ કરે છે. સ્ત્રીઓ વસ્ત્ર સિવાય પોતાનું રક્ષણ કરવામાં સમર્થ હોતી નથી, તેમ શીતકાલાદિકને વિષે વ્યગ્ર દશામાં સ્વાધ્યાયાદિ પણ કરી શકતી નથી. માટે દીર્ઘકાળ પર્યન્ત સંયમનું પરિપાલન કરવા માટે યતના-સાવધાનતા વડે વસ્ત્રનો પરિભોગ કરતી સ્ત્રી પરિગ્રહવાળી ન કહી શકાય.
અહીં પૂર્વપક્ષી એમ કહે છે–સ્ત્રીઓને પણ સમન્ દર્શનાદિક રત્નત્રયનો સંભવ છે, પણ સંભવ માત્રથી તે મોક્ષ આપનાર થતાં નથી, પરન્તુ પ્રકષવસ્થાને–સંપૂર્ણતાને પ્રાપ્ત થયેલાં મોક્ષ આપનારા થાય છે. જો એમ ન માનીએ તો દીક્ષા પછી તરતજ બધાને સામાન્ય રીતે મોક્ષ પદની પ્રાપ્તિ થાય. સ્ત્રીઓને પ્રકષવસ્થાને પ્રાપ્ત થયેલાં સમ્યગ્દર્શનાદિ રત્નત્રયનો
૧ અંગબાહ્ય કૃત બે પ્રકારનું છે - આવશ્યક અને આવશ્યકતિરિક્ત. આવશ્યક વ્યતિરિક્ત શ્રત બે પ્રકારનું છે - કાલિક અને ઉત્કાલિક તેમાં દિવસ અને રાત્રિના પહેલા અને છેલ્લા પહોરે જે ભણાય તે કાલિક ઉત્તરાધ્યયનાદિ જાણવું. અને જે કાલવેળા સિવાય બધા સમયે ભણાય તે ઉત્કાલિક દશવૈકાલિકાદિ શ્રત જાણવું. જુઓ નંદિસૂત્ર ટીકા આ. અ. ૨૦૪-૧ 28.