________________
प्रथम पद असंसारसमावण्ण जीव पन्नवणा (पन्नरभेदे सिद्ध स्वरूप)
श्री प्रज्ञापना सूत्र भाग १ અસંભવ છે, માટે તેઓનું નિર્વાણ થતું નથી.” તે પણ અયુક્ત છે, કારણ કે સ્ત્રીઓને સમ્યગ્દર્શનાદિ રત્નત્રયનો પ્રકર્ષ થતો નથી–એમ જણાવનાર કોઇ પ્રમાણ નથી. કેમકે સર્વ દેશ અને સર્વ કાળમાં સ્ત્રીઓને વિષે રત્નત્રયના પ્રકર્ષનો અસંભવ જણાવનાર કોઇ પ્રમાણ નથી. કારણ કે દેશ અને કાળથી દૂર રહેલી વસ્તુમાં પ્રત્યક્ષની પ્રવૃત્તિ થતી નથી, અને પ્રત્યક્ષની અપ્રવૃત્તિમાં અનુમાનનો પણ સંભવ નથી. તેમજ સમ્યગ્દર્શનાદિ રત્નત્રયના પ્રકર્ષનો અસંભવ જણાવનાર કોઇ પણ આગમ નથી. ઉલટું તેના સંભવને જણાવનાર ઠેકાણે ઠેકાણે આગમના પુષ્કળ પ્રમાણ છે. જેમ કે આ પ્રસ્તુત સૂત્ર. માટે સ્ત્રીઓમાં સમ્યગ્દર્શનાદિના પ્રકર્ષનો અસંભવ નથી.
અહીં પૂર્વપક્ષી શંકા કરે કે ‘જેમ સ્વભાવથી જ આતપની સાથે છાયાનો વિરોધ છે, તેમ સ્ત્રીપણાની સાથે જ સમ્યગ્દર્શનાદિના પ્રકર્ષનો વિરોધ છે. માટે સ્ત્રીઓમાં નિર્વાણનો અસંભવ છે—એમ અનુમાન કરી શકાય છે.’–તે યુક્તિ વિરુદ્ધ હોવાથી અયુક્ત છે. તે આ પ્રમાણે—સમ્યગ્દર્શનાદિ રત્નત્રયનો પ્રકર્ષ તે કહેવાય કે જેના પછી તુરત જ મુક્તિ પદ પ્રાપ્ત થાય. તે અયોગી અવસ્થાના છેલ્લા સમયે હોય, અને અયોગી અવસ્થા તો અમારા જેવા ચર્મચક્ષુવાળાને અપ્રત્યક્ષ છે, તો સ્ત્રીપણાની સાથે રત્નત્રયના પ્રકર્ષનો વિરોધ શી રીતે જણાય? કારણ કે અદૃષ્ટ વસ્તુની સાથે દૃષ્ટ વસ્તુનો વિરોધ જાણી શકાતો નથી. જો તેમ થાય તો પુરુષોમાં પણ રત્નત્રયના પ્રકર્ષના વિરોધનો પ્રસંગ પ્રાપ્ત થાય.
કદાચ પૂર્વપક્ષી એમ કહે કે—જગતમાં સર્વોત્કૃષ્ટ પદની પ્રાપ્તિ સર્વોત્કૃષ્ટ અધ્યવસાયથી થાય છે, અન્ય પ્રકારે થતી નથી, આ વાત આપણા બન્નેને આગમ પ્રમાણથી સિદ્ધ છે, સર્વોત્કૃષ્ટ બે પદ છે–સર્વોત્કૃષ્ટ દુઃખનું સ્થાન અને સર્વોત્કૃષ્ટ સુખનું સ્થાન, સર્વોત્કૃષ્ટ દુ:ખનું સ્થાન સાતમી નરક પૃથિવી છે, તેનાથી ઉત્કૃષ્ટ બીજું દુઃખનું સ્થાન નથી. સર્વોત્કૃષ્ટ સુખનું સ્થાન મોક્ષ છે. તેમાં સ્ત્રીઓને સાતમી નકપૃથિવીનું ગમન આગમમાં નિષેધ્યું છે, અને નિષેધનું કારણ ત્યાં જવાને યોગ્ય તથાવિધ સર્વોત્કૃષ્ટ મનોવીર્યપરિણતિનો તેઓમાં અભાવ છે, અને તે સાતમી નરકપૃથિવીમાં ગમનના નિષેધથી જણાય છે. સ્ત્રીઓને મોક્ષ નથી, કારણ કે તેઓમાં નિર્વાણનો હેતુ તેવા પ્રકારના સર્વોત્કૃષ્ટ મનોવીર્યપરિણામનો અસંભવ છે. અનુમાન પ્રયોગ આ પ્રમાંણે છે—સ્ત્રીઓને નિર્વાણનો અસંભવ છે. કારણ કે તેઓનું સાતમી નરકપૃથિવીમાં ગમન થતું નથી, સંમૂર્છિમાદિની પેઠે. વળી વાદલબ્ધિમાં, વૈક્રિયાદિ લબ્ધિમાં અને પૂર્વગત શ્રુતના અધ્યયનમાં જે સ્ત્રીઓનું સામર્થ્ય નથી, તે સ્ત્રીઓમાં મોક્ષગમનનું સામર્થ્ય છે એમ માનવું અશક્ય છે.
તે (દિગંબરોનું કહેવું) અયુક્ત છે. કારણ કે જો સ્ત્રીઓમાં સાતમી નરકપૃથિવીના ગમનનું કારણ સર્વોત્કૃષ્ટ મનોબલનો અભાવ છે, એટલા ઉ૫૨થી એમ કેમ માની શકાય કે સ્ત્રીઓમાં મોક્ષનું કારણ સર્વોત્કૃષ્ટ મનોબલનો અભાવ છે. ‘જે મનુષ્ય પૃથ્વી ખેડવી વગેરે કામ કરી શકવા સમર્થ નથી તે શાસ્ત્રોનું પણ અધ્યયન કરી શકતો નથી’ એમ માનવું શક્ય નથી. કારણ કે તેમ માનવામાં પ્રત્યક્ષ વિરોધ આવે છે.
પૂર્વપક્ષી એમ કહે કે ‘સંમૂર્છિમાદિ પ્રાણીઓમાં બન્ને પ્રકારે સર્વોત્કૃષ્ટ મનોવીર્યનો અભાવ જણાય છે, તેથી અહીં સ્ત્રીઓમાં પણ બન્ને પ્રકારના મનોબલનો અભાવ માનવો જોઇએ.
પરન્તુ સંમૂર્છિમાદિ જન્તુઓમાં એમ જણાય છે તેથી અહીં એ પ્રમાણે કેમ માની શકાય? 'બહિર્યાપ્તિમાત્રથી કોઇ હેતુ સાધ્યનો ગમક–સાધક થતો નથી, પણ અન્તર્યાપ્તિથી સાધ્યનો સાધક થાય છે. અન્તર્યાપ્તિ પ્રતિબન્ધના સામર્થ્યથી જણાય છે. અહીં પ્રતિબન્ધ નિયત સંબન્ધ નથી, કારણ કે સપ્તમ પૃથિવીનું ગમન નિર્વાણનું કારણ નથી, તેમજ સપ્તમ પૃથિવી ગમનની સાથે નિર્વાણગમનનું નિયત સાહચર્ય નથી. કેમ કે ચરમ શરીરીને સપ્તમ પૃથિવીગમન સિવાય નિર્વાણ પ્રાપ્ત થાય છે. પ્રતિબન્ધ-વ્યાપ્તિ સિવાય એકના અભાવમાં બીજાનો અવશ્ય અભાવ હોતો નથી. જો એમ હોય તો જે તે વસ્તુના અભાવમાં સર્વના અભાવનો પ્રસંગ થાય.
૧ સાદૃશ્ય માત્રનો સંબન્ધ તે બહિર્ભ્રાપ્તિ અને હેતુ અને સાધ્યનો નિયત સંબંધ એ અન્તર્યામિ છે.
29