________________
श्री प्रज्ञापना सूत्र भाग १
प्रथम पद असंसारसमावण्ण जीव पन्नवणा (पन्नरभेदे सिद्ध स्वरूप) અહીં પૂર્વપક્ષી એમ કહે કે – જો એમ છે તો સંમૂર્છાિમાદિ પ્રાણીઓનું નિર્વાણગમન કેમ થતું નથી?
તેનો ઉત્તર એ છે કે તથાભવ સ્વભાવથી તેઓ નિર્વાણને પ્રાપ્ત થતા નથી. તે આ પ્રમાણે – સંમૂર્છાિમાદિ જન્તઓ ભવસ્વભાવથી જ યથાવત સમ્યગ્દર્શનાદિને પ્રાપ્ત કરવા શક્તિમાન નથી, માટે તેઓને નિર્વાણનો સંભવ નથી. સ્ત્રીઓ તો પૂર્વે કહ્યા પ્રકારે યથાવત્ સમ્યગ્દર્શનાદિને પ્રાપ્ત કરવા યોગ્ય છે, માટે તેમાં નિર્વાણગમનનો અભાવ નથી. વળી ભુજપરિસર્પો બીજી નરકમૃથિવી સુધી જાય છે. આગળ જતા નથી, કારણ કે તેઓમાં આગળની નરકમૃથિવીગમનના કારણભૂત તેવા પ્રકારના મનોવીર્યનો અભાવ છે. પક્ષીઓ ત્રીજી નરક સુધી, ચતુષ્પદો ચોથી નરક સુધી અને ઉર સરિસર્પ પાંચમી નરકમૃથિવી સુધી જાય છે, અને બધા ઊર્ધ્વલોકમાં વધારેમાં વધારે સહસાર દેવલોક સુધી જાય છે. માટે અધોગતિમાં મનોવીર્યનું વિષમપણું જોવાથી ઊર્ધ્વ ગતિમાં વિષમપણું માનવું યોગ્ય નથી. કહ્યું છે કે “વિષમતયોગથપસ્તાલુપરિણાનુગાસહસ્ત્રારમ્ ઋત્તિ, च तिर्यश्चस्तदधोगत्यनताऽहेतु ॥१॥"
તિર્યંચો નીચે વિષમ ગતિવાળા છતાં ઉપર સહસાર દેવલોક પર્યન્ત સમાનપણે જાય છે. માટે સ્ત્રીઓમાં) અધોગતિનું ન્યૂનપણું (નિવણગમનના અભાવમાં) હેતુ નથી. માટે સ્ત્રી-પુરુષોનું અધોગતિ સંબંધી વિષમપણું છતાં સમાનપણે નિર્વાણ પ્રાપ્ત થાય - એ નિશ્ચિત છે.
વળી જેઓનું વાદલબ્ધિ વગેરેમાં સામર્થ્ય નથી' ઇત્યાદિ કહ્યું તે પણ અયુક્ત છે. વાદલબ્ધિ, વૈક્રિયલબ્ધિ અને વિશિષ્ટ પૂર્વગત શ્રુતના અભાવમાં પણ માપતુષાદિ મુનિઓને નિર્વાણની પ્રાપ્તિ થયેલી છે. કહ્યું કે-“વાર્તાવિશુર્વાત્વારિત્નસ્થિવિરો
તે નીસિ વા બિનપુન:પર્યવવિપિ ન સિદ્ધિવિરહોતિ આશા''- વાદલબ્ધિ અને વૈક્રિયાદિ લબ્ધિના અભાવે તથા શ્રત અલ્પ છતાં, જિનકલ્પ અને મન:પર્યવ સિવાય પણ મોક્ષગમનનો અભાવ હોતો નથી. વળી જો સ્ત્રીઓમાં વાદાદિલબ્ધિ વગેરેના અભાવની પેઠે મોક્ષનો પણ અભાવ હોત તો તે પ્રમાણે સિદ્ધાન્તમાં પ્રતિપાદન કર્યું હોત. જેમકે જબૂસ્વામી પછી કેવલજ્ઞાનનો અભાવ કહ્યો છે, પરંતુ કોઇ સ્થળે સ્ત્રીઓને નિર્વાણનો અભાવ કહ્યો નથી.”
(૯) પુરુષના શરીરની આકૃતિ રૂપે છતાં મોક્ષને પ્રાપ્ત થયેલા તે પુલિંગસિદ્ધ. (૧૦) એ પ્રમાણે નપુંસકતા આકારે વિદ્યમાન છતાં મોક્ષે ગયેલા તે નપુંસકલિંગ સિદ્ધ જાણવા.' (૧૧) રજોહરણાદિરૂપ સાધુના વેશમાં રહીને મોક્ષે ગયેલા તે સ્વલિંગસિદ્ધ (૧૨) પરિવ્રાજકાદિ સંબન્ધી વલ્કલ, ભગવા વસ્ત્ર વગેરે રૂપ દ્રવ્યલિંગમાં રહી મોક્ષે ગયેલા તે અન્યલિંગ સિદ્ધ. (૧૩) ગૃહસ્થના વેશમાં મોક્ષે ગયેલા મરુદેવી પ્રમુખ તે ગૃહિલિંગસિદ્ધ જાણવા. (૧૪) એક એક સમયે એક એક મોક્ષે ગયેલા તે એકસિદ્ધ અને (૧૫) એક સમયે અનેક મોક્ષે ગયેલા તે અનેકસિદ્ધ.
એક સમયમાં અનેક મોક્ષે જાય તો વધારેમાં વધારે ૧૦૮ સુધી જાય. જે માટે કહ્યું છે કેવીસા મડયાના સી વાવેત્તી ય વોડ્યા પુતલી છના ૩ ફુરદિયમક્રી સાથે વાI૪૭૮.પ્ર.સી.
શિષ્યના ઉપકારને માટે આ ગાથાની વ્યાખ્યા કરાય છે – આઠ સમય સુધી નિરંતર એકથી માંડી બત્રીશ સુધી મોક્ષ જાય. તાત્પર્ય એ છે કે – પહેલે સમયે જઘન્યથી એક, બે અને ઉત્કૃષ્ટ બત્રીશ સિદ્ધ થાય, બીજે સમયે જઘન્યથી એક, બે અને ઉત્કૃષ્ટ બત્રીશ, એમ આઠમે સમયે પણ જઘન્યથી એક, બે અને ઉત્કૃષ્ટથી બત્રીશ સિદ્ધ થાય. ત્યાર પછી અવશ્ય અત્તર પડે. તેત્રીશથી માંડી અડતાળીશ સુધી નિરંતર મોક્ષે જાય તો સાત સમય સુધી જાય, ત્યાર પછી અવશ્ય અન્તર પડે. ઓગણપચાસથી આરંભી સાઠ સુધી ઉત્કૃષ્ટ છ સમય સુધી નિરંતર મોક્ષે જાય અને ત્યારબાદ અવશ્ય અન્તર પડે. એકસઠથી માંડી બહેતર સુધી નિરંતર મોક્ષે જાય તો પાંચ સમય સુધી જાય ત્યાર પછી અન્તર પડે. તહોંતેરથી માંડી ચોરાશી પર્યન્ત નિરન્તર મોક્ષે જાય તો ઉત્કૃષ્ટ ચાર સમય સુધી જાય, ત્યાર પછી અવશ્ય અત્તર પડે. પંચશીથી છનું સુધી નિરન્તર મોક્ષે જાય તો ત્રણ સમય સુધી
30