________________
प्रथम पद संसारसमावण्ण जीव पन्नवणा
श्री प्रज्ञापना सूत्र भाग १ જાય, ત્યાર પછી અવશ્ય અન્તર પડે. સત્તાણુંથી માંડી એકસો બે સુધી નિરંતર મોક્ષે જાય તો ઉત્કૃષ્ટ બે સમય સુધી જાય, ત્યારબાદ અવશ્ય અત્તર પડે એકસો ત્રણ થી માંડી એકસો આઠ સુધી મોક્ષે જાય તો એક સમય સુધી જ જાય પણ બે ત્રણ સમય સુધી ન જાય. એ પ્રમાણે એક સમયે ઉત્કૃષ્ટ એકસો આઠ મોક્ષે જાય. તે માટે અનેક સિદ્ધો વધારેમાં વધારે એકસો આઠ
જાણવા.
અહીં પૂર્વપક્ષી શંકા કરે છે કે –‘તીર્થસિદ્ધ અને અતીર્થસિદ્ધ – એ બે ભેદમાં જ બાકીના ભેદોનો સમાવેશ થાય છે તો બીજા ભેદોને ગ્રહણ કરવાનું શું પ્રયોજન?” તેનું સમાધાન એ છે કે ખરી રીતે એ બે ભેદમાં બાકીના બધા ભેદોનો સમાવેશ થાય છે, પરન્તુ તીર્થસિદ્ધ અને અતીર્થસિદ્ધ–એ બે ભેદો કહેવાથી બાકીના ભેદોનું જ્ઞાન ન થાય, અને વિશેષ ભેદોનું પરિક્ષાન થવા માટે શાસ્ત્રના આરંભનો પ્રયત્ન છે, માટે બાકીના બીજા ભેદોનું ગ્રહણ કર્યું છે. હવે ઉપસંહાર કહે છે – એ પ્રમાણે અનન્તરસિદ્ધ–અસંસારી જીવની પ્રજ્ઞાપના કહી. ૯
से किं तं परम्परसिद्ध-असंसारसमावण्ण- जीवपण्णवणा? २ अणेगविहापण्णत्ता, तं जहा- अपढमसमयसिद्धा, दुसमयसिद्धा, तिसमयसिद्धा, चउसमयसिद्धा, जाव सज्जिसमयसिद्धा, असविज्जसमयसिद्धा, अणन्तसमयसिद्धा । से तं परम्परसिद्ध-असंसारसमावण्ण- जीवपण्णवणा । से तं असंसारसमावण्णનીવપળવા સિ૦-૨૦||
(મૂળ) પરંપરસિદ્ધ—અસંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે કહી છે? પરંપરસિદ્ધ-અસંસારસમાપન્ન–જીવપ્રજ્ઞાપના અનેક પ્રકારે કહી છે. તે આ પ્રમાણે—અપ્રથમસમયસિદ્ધ, દ્વિતીયસમયસિદ્ધ, તૃતીયસમયસિદ્ધ, ચતુર્થસમયસિદ્ધ, યાવત્– સંખ્યાતસમયસિદ્ધ, અસંખ્યાતસમયસિદ્ધ, અને અનન્તસમયસિદ્ધ. એમ પરંપરસિદ્ધ-અસંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના કહી. એ પ્રમાણે અસંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના પણ કહી. ।।૧૦।।
(ટી૦) પરંપરસિદ્ધ–અસંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે? આચાર્ય કહે છે-પરંપરસિદ્ધ-અસંસારસમાપન્નજીવપ્રજ્ઞાપના અનેક પ્રકારે કહી છે, કારણ કે પરંપરસિદ્ધો અનેક પ્રકારના છે. તે અનેક પ્રકાર કહે છે –‘તું બહા' ઇત્યાદિ. ‘તન્ યથા' એ અનેક પ્રકાર બતાવવામાં વપરાય છે. ‘અપ્રથમસમયસિદ્ધ’–જેઓ પ્રથમ સમયે સિદ્ધ થયેલા નથી તે અપ્રથમસમયસિદ્ધ છે. એટલે પરમ્પર સિદ્ધના પ્રથમ સમયવર્તી જાણવા, અર્થાત્ સિદ્ધપણાના બીજા સમયે વર્તમાન સિદ્ધ તે અપ્રથમસમયસિદ્ધ હેવાય છે. જેને સિદ્ધ થયાને ત્રણ આદિ સમયો થયા હોય તે દ્વિતીયસમયસિદ્ધાદિ કહેવાય છે. એટલે કે જેને મોક્ષે ગયા બે
સમય થયા છે તે અપ્રથમસમયસિદ્ધ, અને ત્રણ સમય થયા છે તે દ્વિતીયસમયસિદ્ધ, ચાર સમય થયા છે તે તૃતીયસમયસિદ્ધ ઇત્યાદિ જાણવું. અથવા અપ્રથમસમયસિદ્ધ એટલે સામાન્ય રીતે વિવક્ષિત પ્રથમ સમય સિવાયના બીજા સિદ્ધ. એ જ બાબત વિશેષ પણે કહે છે–દ્વિતીયસમયસિદ્ધ, તૃતીયસમયસિદ્ધ, ચતુર્થસમયસિદ્ધ ઇત્યાદિ. યાવત્ શબ્દના કથનથી પંચમસમયસિદ્ધાદિ ગ્રહણ કરવા. ‘મે સઁ' ઇત્યાદિ બન્ને નિગમનો સુગમ છે. એ પ્રમાણે અસંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના કહી. ।।૧૦।। || સંસારસમાવળનીવવળવા ||
से किं तं संसारसमावण्ण- जीवपण्णवणा? संसारसमावण्ण-जीवपन्नवणापश्ञ्चविहा पण्णत्ता । तं जहा–१ एगेंदियસંસારસમાવળ-નીવપળવા, ૨ ચેન્દ્રિય-સંસારસમાવા-પીવપાવળા, રૂ તેન્દ્રિય-સંસારસમાવાजीवपण्णवणा, ४ चउरिन्दिय-संसारसमावण्ण- जीवपण्णवणा, ५ पश्चिन्दिय- संसारसमावण्ण- जीवपण्णवणा IR-{{||
(મૂ0) સંસારસમાપન્નજીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે? સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના પાંચ પ્રકારે કહી છે. તે આ પ્રમાણે–૧ એકેન્દ્રિય–સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના, ૨ બેઇન્દ્રિય–સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના, ૩ તેઇન્દ્રિય–સંસારસમાપન્ન–
31