________________
श्री प्रज्ञापना सूत्र भाग १
प्रथम पद संसारसमावण्ण जीव पन्नवणा
જીવપ્રજ્ઞાપના, ૪ ચઉરિન્દ્રિય–સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના અને ૫ પંચેન્દ્રિય–સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના ||૧૧|| (ટી૦) હવે સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર તે સંબંધમાં પ્રશ્નસૂત્ર કહે છે—સંસારસમાપન્નજીવપ્રજ્ઞાપના પાંચ પ્રકારે કહી છે. તે આ પ્રમાણે–એકેન્દ્રિય–સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના' ઇત્યાદિ. તેમાં સ્પર્શેન્દ્રિય રૂપ એક ઇન્દ્રિય જેઓને છે તે એકેન્દ્રિયપૃથિવી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ પાંચ પ્રકારના છે. જેનું સ્વરૂપ આગળ ઉપર કહેવાશે. એવા એકેન્દ્રિય–સંસારસમાપન્ન-જીવોની પ્રજ્ઞાપના–પ્રરૂપણા કરવી તે એકેન્દ્રિય–સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના. એ પ્રમાણે બેઇન્દ્રિયાદિ સર્વ પદોમાં અક્ષરની ઘટના ક૨વી. પરન્તુ સ્પર્શન અને રસન એ બે ઇન્દ્રિયો જેઓને છે તે શંખ, છીપ વગેરે બેઇન્દ્રિયો જાણવા. સ્પર્શન, રસન અને ઘ્રાણ-નાસિકા રૂપ ત્રણ ઇન્દ્રિયો જેઓને છે તે જૂ, માંકણ વગેરે તેઇન્દ્રિય જીવો જાણવા. સ્પર્શન, રસન, ઘ્રાણ અને ચક્ષુ રૂપ ચાર ઇન્દ્રિયો જેઓને હોય તે ડાંસ, મચ્છર વગેરે ચઉરિન્દ્રિય જીવો જાણવા. સ્પર્શન, રસન, ઘ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર રૂપ પાંચ ઇન્દ્રિયો જેઓને છે તે માછલાં, મગર, મનુષ્યાદિ બધા પંચેન્દ્રિય જીવો જાણવા. આ ‘એક, બે, ત્રણ વગેરે ઇન્દ્રિયોની પ્રાપ્તિ અસંવ્યવહાર રાશિથી આરંભી પ્રાયઃ આજ ક્રમથી થાય છે' એ બતાવવા માટે આ પ્રમાણે એકેન્દ્રિયાદિનો ક્રમપૂર્વક ઉપન્યાસ કરેલો છે. ઇન્દ્રિયો બે પ્રકારે છે. જેમ કે – દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય. તેમાં દ્રવ્યેન્દ્રિય નિવૃત્તિ અને ઉપકરણ – એ બે પ્રકારની છે. તેનું *નન્દિસૂત્રની ટીકામાં સવિસ્તર૫ણે નિરૂપણ કરેલું છે, તેથી અહીં ફરીથી તેનું નિરૂપણ કરતા નથી. ભાવેન્દ્રિય લબ્ધિ–ક્ષયોપશમ અને ઉપયોગ–એમ બે પ્રકારે છે. અને તે અનિયત રૂપે હોય છે, કારણ કે એકેન્દ્રિયોને પણ ક્ષયોપશમ અને ઉપયોગ રૂપ પાંચે ભાવેન્દ્રિયનો સંભવ છે. કેમ કે તેનું કાર્ય કેટલાક એકેન્દ્રિયોમાં દેખાય છે. જેમકે, ઉન્મત સ્રીના ગીતના શબ્દને સાભળવાથી, તેના વિલાસપૂર્વક કટાક્ષના નિરીક્ષણથી, તેના મોઢામાંથી નાંખેલા મદ્યના કોગળાના ગન્ધને સુંઘવાથી, તેના રસનું આસ્વાદન કરવાથી અને તેના સ્તનાદિ અવયવના સ્પર્શથી બકુલાદિ વૃક્ષોને પ્રમોદ થવાને લીધે જલદી પુષ્પ અને ફ્લો આવે છે. એ સંબંધમાં કહ્યું છે કે-‘‘જ્ઞ વિર વડલાળ વીસફ સિન્દ્રિઓવલમ્પોળવા તેળઽસ્થિ તલાવરળવાબોવસમસમ્મવો તેસં ાશા''-‘જે બકુલાદિ વૃક્ષોને સ્પર્શનેન્દ્રિય સિવાય બાકીની ઇન્દ્રિયોનું જ્ઞાન હોય છે, તેથી તેને ઇન્દ્રિયાવરણના ક્ષયોપશમનો સંભવ છે' માટે ભાવેન્દ્રિય લોકવ્યવહારપ્રસિદ્ધ એકેન્દ્રિયાદિ વ્યવહા૨નું કારણ નથી, પરન્તુ દ્રવ્યેન્દ્રિયો કારણ છે. જેમ કે–જેને સ્પર્શનેન્દ્રિય રૂપ એક બાહ્ય દ્રવ્યેન્દ્રિય છે તે એકેન્દ્રિય કહેવાય છે. એવી રીતે બે ઇન્દ્રિયો જેને છે તે બેઇન્દ્રિય, યાવત્ જેને પાંચ ઇન્દ્રિયો છે તે પંચેન્દ્રિય. કહ્યું છે કે–‘બકુલને મનુષ્યની પેઠે સર્વ ઇન્દ્રિયોના વિષયનું જ્ઞાન થવાથી તે પાંચ ઇન્દ્રિયવાળો છે. તો પણ તે બાહ્ય-દ્રવ્ય ઇન્દ્રિયોના અભાવથી ‘પંચેન્દ્રિય’ કહેવાતો નથી.’।।૧૧।।
* ઇન્દ્રિયના બે પ્રકાર છે
દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય. તેમાં દ્રવ્યેન્દ્રિયના બે પ્રકાર છે – નિવૃત્તિ અને ઉપકરણ. નિવૃત્તિ-આકારવિશેષ, તેના પણ બે પ્રકાર છે–બાહ્ય નિવૃત્તિ અને અભ્યન્તર નિવૃત્તિ. તેમાં બાહ્ય નિવૃત્તિ અનેક પ્રકારની છે. એટલે તેનું પ્રતિનિયત આકાર રૂપે વર્ણન કરવું શક્ય નથી. જેમકે મનુષ્યના કાન ભૃકુટીના સીધા ભાગમાં અને નેત્રના બન્ને પડખે રહેલા છે. ઘોડાના કાન માથાના અગ્રભાગે અને બન્ને નેત્રોની ઉપર રહેલા છે, તેનો અગ્રભાગ તીક્ષ્ણ છે. એ પ્રમાણે જાતિભેદથી અનેક પ્રકારની બાહ્ય નિવૃત્તિ છે. અભ્યન્તર નિવૃત્તિ તો બધા ય પ્રાણીઓને સરખી હોય છે. તેમાં શ્રોત્રેન્દ્રિય નો આકાર કદબપુષ્પના જેવો છે. ચક્ષુઇન્દ્રિયનો આકાર મસૂરચન્દ-મસૂરની દાળ જેવો છે. ઘ્રાણેન્દ્રિયનો આકાર અતિમુક્તક પુષ્પના જેવો છે. રસનેન્દ્રિયનો આકાર અસ્રાના જેવો છે અને સ્પર્શનેન્દ્રિયનો આકાર નાના(વિવિધ) પ્રકારનો છે. અહીં સ્પર્શનેન્દ્રિયની નિવૃત્તિમાં પ્રાયઃ બાહ્ય અને અભ્યન્તરનો ભેદ નથી. કારણ કે તત્ત્વાર્થની મૂલ ટીકામાં એ પ્રમાણે કહેલું છે - ખડ્ગના જેવી બાહ્ય નિવૃત્તિની ખડ્ગની ધાર સરખી સ્વચ્છ પુદ્ગલના સમૂહરૂપ અભ્યન્તર નિવૃત્તિ છે અને તેની શક્તિવિશેષ તે ઉપકરણેન્દ્રિય, આ ઉપકરણ રૂપ દ્રવ્યેન્દ્રિયનો અભ્યન્તર નિવૃત્તિથી કથંચિત્ ભેદ છે. કારણ કે શક્તિ અને શક્તિવાળાનો કથંચિત્ ભેદ છે. અભ્યન્તર નિવૃત્તિ છતાં પણ કોઇ પણ દ્રવ્યાદિથી ઉપકરણના વિઘાતનો સંભવ છે, તેથી તેનો કથંચિદ્ ભેદ છે. જેમકે-કદબપુષ્પાદિના આકારવાળી અભ્યન્તર નિવૃત્તિ છતાં પણ અતિ કઠોર મેઘની ગર્જના વડે ઇન્દ્રિયની શક્તિનો ઉપઘાત થતાં પ્રાણીઓ શબ્દાદિ વિષય જાણવાને સમર્થ થતા નથી, ભાવેન્દ્રિય પણ બે પ્રકારે છે – લબ્ધિ અને ઉપયોગ. તેમાં શ્રોત્રેન્દ્રિયાદિના વિષયને ગ્રહણ કરનાર સર્વ આત્મપ્રદેશોના શ્રોત્રેન્દ્રિયાદિના આવરણનો ક્ષયોપશમ તે લબ્ધિ, પોતપોતાના વિષયમાં લબ્ધિરૂપ ઇન્દ્રિયને અનુસારે આત્માનો વ્યાપાર તે ઉપયોગ. અહીં દ્રવ્ય અને ભાવ રૂપ બન્ને પ્રકારની ઇન્દ્રિયો ગ્રહણ કરવી. કારણ કે બેમાંથી એકના પણ અભાવમાં ઇન્દ્રિય પ્રત્યક્ષ ઘટતું નથી. જુઓ નન્દિસૂત્ર ટીકા (આ.સ.૫૦ ૭૪-૭૫)
32
--