SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथम पद वन्न पन्नवणा-संठाण पत्रवणा श्री प्रज्ञापना सूत्र भाग १ પરિણતલીલા વર્ણપણે પરિણમેલા, ૩ લોહિતવર્ણપરિણત–રાતા વર્ણપણે પરિણમેલા, ૪ હારિદ્રવર્ણ-પીળા વર્ણપણે પરિણમેલા અને ૫ શુક્લવર્ણપણે પરિણમેલા. જે ગન્ધપણે પરિણત છે તે બે પ્રકારના છે. જેમકે સુરભિગન્ધસુગન્ધરૂપે પરિણત અને દુરભિગન્ધ-દુર્ગન્ધરૂપે પરિણત. જે રસપરિણત છે તે પાંચ પ્રકારના છે. જેમકે-૧ તિક્તકડવા રસપણે પરિણત, ૨ કટુક–તીખા રસપણે પરિણત, ૩ કષાય–તૂરા રસપણે પરિણત, ૪ અમ્લ-ખાટા રસપણે પરિણત અને ૫ મધુર–મિષ્ટરસ પણે પરિણત. જે સ્પર્શપણે પરિણત છે તે આઠ પ્રકારના કહ્યા છે. જેમકે-૧ કર્કશબરસઠ સ્પર્શ પણે પરિણત, ૨ મૃદુ–કોમળ સ્પર્શ પણે પરિણત, ૩ ગુરુ—ભારે સ્પર્શ પણે પરિણત, ૪ લઘુ-હલકા સ્પર્શપણે પરિણત, ૫ શીત સ્પર્શ પણે પરિણત, ૬ ઉષ્ણ સ્પર્શપણે પરિણત, ૭ સ્નિગ્ધ સ્પર્શપણે પરિણત, અને ૮ રૂક્ષ સ્પર્શપણે પરિણત. જે સંસ્થાન પરિણત છે તે પાંચ પ્રકારના છે. જેમ કે—૧ પરિમંડલ સંસ્થાન–વલયાકારપણે પરિણત, ૨ વૃત્તસંસ્થાન–વર્તુલાકાર પણે પરિણત, ૩ ત્ર્યસ્ર સંસ્થાન—ત્રિકોણાકૃતિ પણે પરિણત, ૪ ચતુરસ સંસ્થાન–ચતુષ્કોણાકૃતિ પણે પરિણત અને ૫ આયત સંસ્થાન-દંડાકારપણે પરિણત હોય છે. IN (ટી૦) જેઓ વર્ણપણે પરિણત છે તેઓ પાંચ પ્રકારે કહ્યા છે. જેમકે-૧ કાજળ વગેરેની પેઠે કૃષ્ણ વર્ણપણે પરિણત, ૨ ગળી વગેરેની પેઠે નીલવર્ણપણે પરિણત, ૩ હીંગળો વગેરેની જેમ રાતા વર્ણપણે પરિણત, ૪ હલદરની પેઠે પીત વર્ણપણે પરિણત, અને ૫ શંખાદિની પેઠે શુક્લ વર્ણપણે પરિણત હોય છે. જે ગન્ધપણે પરિણત હોય છે તે બે પ્રકારના કહ્યા છે. જેમ કે–સુરભિસુગન્ધપણે પરિણત અને દુરભિ-દુર્ગન્ધપણે પરિણત. ‘વ’ શબ્દ પુદ્ગલોનો તે તે રૂપે પરિણામ થવામાં વિશેષતા નથી એમ જણાવવા માટે છે. તે આ પ્રમાણે–કોઇ પણ રૂપે રહેલા પુદ્ગલો સામગ્રીના વશથી જેમ સુરભિગન્ધપણે પરિણમે છે, તેમ કોઇ પણ રૂપે રહેલા પુગલો સામગ્રીના સંયોગથી દુર્ગન્ધપણે પરિણમે છે. ચંદનાદિની પેઠે સુગન્ધપણે પરિણમેલા અને લસણ વગેરેની પેઠે દુર્ગન્ધપણે પરિણમેલા જાણવા. જે રસપણે પરિણત છે તે પાંચ પ્રકારના કહ્યા છે. જેમ કે–૧ કડવા તુરીયાની પેઠે કડવા રસ રૂપે પરિણમેલા, ૨ સૂંઠ વગેરેની પેઠે કટુક–તીખા રસ રૂપે પરિણમેલા, ૩ કાચા કોઠાની પેઠે કષાય–તૂરા રસપણે પરિણમેલા, ૪ અમ્લવેતસ (આંબલી-કોકમ) વગેરેની જેમ અમ્લ-ખાટા રસપણે પરિણમેલા, અને ૫ સાકર વગેરેની જેમ મધુ૨ ૨સપણે પરિણત થયેલા હોય છે. જેઓ સ્પર્શપણે પરિણત છે તેઓ આઠ પ્રકારના છે. જેમ કે–૧ પત્થર વગેરેની પેઠે કર્કશ–બરસઠ સ્પર્શપણે પરિણત થયેલા, હંસ અને રુ વગેરેની પેઠે મૃદુ–કોમળ સ્પર્શપણે પરિણત, વજ્રાદિની પેઠે ગુરુ—ભારે સ્પર્શપણે પરિણત, આકડાના રૂ વગેરેની પેઠે લઘુ-હલકા સ્પર્શપણે પરિણત, કમળના ડાંડલા વગેરેની જેમ શીતસ્પર્શપણે પરિણત, અગ્નિ વગેરેની પેઠે ઉષ્ણ સ્પર્શપણે પરિણત, ઘી વગેરેની પેઠે સ્નિગ્ધ સ્પર્શપણે પરિણત અને ભસ્માદિની પેઠે રૂક્ષ સ્પર્શપણે પરિણત હોય છે. જેઓ સંસ્થાન—આકા૨૫ણે પરિણત છે તે પાંચ પ્રકારના કહ્યા છે. જેમ કે–વલય–ચુડીની પેઠે 'પરિમંડલ સંસ્થાનપણે પરિણત, કુંભારના ચક્ર વગેરેની પેઠે વૃત્તસંસ્થાન-વર્તુલાકા૨પણે પરિણત, શીંગોડા વગેરેની પેઠે ત્યસ્રસંસ્થાન–ત્રિકોણાકારપણે પરિણમેલા, કુંભિકા વગેરેની પેઠે ચતુરસસંસ્થાન–ચાર ખુણાવાળા આકા૨૫ણે પરિણમેલા, અને દંડાદિની પેઠે આયત સંસ્થાનદીર્ઘકા૨૫ણે પરિણમેલા હોય છે. આ પરિમંડલાદિ સંસ્થાનો ઘન અને પ્રતરના ભેદથી બે પ્રકારના હોય છે. અને તેમાં પરિમંડલ સંસ્થાનને છોડી બાકીના સંસ્થાનો ઓજઃપ્રદેશજનિત-વિષમ સંખ્યાવાળા (એક, ત્રણ, પાંચ–ઇત્યાદિ એકી સંખ્યાવાળા) પ્રદેશોથી ઉત્પન્ન થયેલા અને યુગ્મ પ્રદેશજનિત-સમ સંખ્યાવાળા (બે, ચાર, છ ઇત્યાદિ બેકી સંખ્યાવાળા) પ્રદેશોથી ઉત્પન્ન થયેલા–એમ બે પ્રકારના છે. તેમાં ઉત્કૃષ્ટ પરિમંડલાદિ બધા સંસ્થાનો અનન્ત પરમાણુઓથી ઉત્પન્ન થયેલા અને અસંખ્યાતા આકાશ પ્રદેશમાં રહેલાં છે એ પ્રસિદ્ધ છે. અને જઘન્ય સંસ્થાન નિયત સંખ્યાવાળા ૫૨માણુથી બનેલા છે. પરન્તુ તે બતાવ્યા ૧. વલયની પેઠે બહારના ભાગમાં વર્તુલાકાર અને અંદરનો ભાગ ખાલી હોય તે પરિમંડલ અને કુંભારના ચાકડાની પેઠે અંદરનો ભાગ ખાલી ન હોય તે વૃત્ત સંસ્થાન સમજવું. 13
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy