________________
श्री प्रज्ञापना सूत्र भाग १
प्रथम पद रूपी अजीव पत्रवणा वन्न पत्रवणा खंधप्पएसा, परमाणुपोग्गला । ते समासओ पंचविहा पन्नत्ता । तं जहा १ वन्नपरिणया, २ गंधपरिणया, ३ રસળિયા, ૪ રાતપરિયા, સંતાપરિયા તૂ.-૪||
-
(મૂળ) રૂપીઅજીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે? રૂપીઅજીવપ્રજ્ઞાપના ચાર પ્રકારે કહી છે. તે આ પ્રમાણેસ્કો, સ્કદેશો, સ્કન્ધ્રપ્રદેશો અને પરમાણુપુદ્ગલો. તે પુદ્ગલો સંક્ષેપથી પાંચ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-૧ વર્ણપરિણત, ૨ ગન્ધપરિણત, ૩ રસપરિણત, ૪ સ્પર્શપરિણત અને ૫ સંસ્થાનપરિણત. ૪॥
(ટી૦) પુનઃ રૂપીઅજીવપ્રજ્ઞાપના સંબંધમાં શિષ્ય પ્રશ્ન ક૨ે છે–‘રૂપીઅજીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે?’ આચાર્ય કહે છે– રૂપીઅજીવપ્રજ્ઞાપના ચાર પ્રકારે કહી છે. જેમ કે-‘ન્યાઃ' સ્કન્દન્તિ-પુદ્ગલોના જુદા પડવાથી શોષણ પામે–સૂકાય, અને ધીયન્ત–પુદ્ગલોના મળવાથી વૃદ્ધિ પામે તે સ્કન્ધો કહેવાય. પૃષોદરાદિમાં પાઠ હોવાથી સ્કન્ધશબ્દની નિષ્પત્તિ થાય છે. અહીં બહુવચન પુદ્ગલસ્કન્ધોનું અનન્તપણું જણાવવા માટે છે. તે અનન્તપણું નથી ઘટતું એમ નથી, કારણ કે આગમમાં કહ્યું છે. તે સંબંધમાં આગળ કહેશે કે−‘દ્રવ્યથી પુદ્ગલાસ્તિકાય અનન્ત છે’–ઇત્યાદિ. ‘ન્થવેશ: ’ સ્કન્ધોના જ સ્કન્ધરૂપપરિણામનો ત્યાગ નહિ કરતા એવા બુદ્ધિકલ્પિત બે ત્રણ ઇત્યાદિ પ્રદેશના સમુદાય રૂપ વિભાગો તે સ્કન્ધદેશો. અહીં પણ બહુવચન અનન્તાનન્તપ્રદેશી તેવા પ્રકારના સ્કન્ધોમાં દેશનું અનન્તપણું બતાવવા માટે છે. ‘ન્ય પ્રવેશા: ' સ્કન્ધ રૂપ પરિણામને પ્રાપ્ત થયેલા સ્કન્ધોના જ બુદ્ધિકલ્પિત પ્રકૃષ્ટ–અત્યંત સૂક્ષ્મ દેશો નિર્વિભાગ–જેનો ભાગ કલ્પી ન શકાય એવા ભાગો સ્કન્ધપ્રદેશો કહેવાય છે. અહીં પણ બહુવચન પ્રદેશોનું અનન્તપણું બતાવવા માટે છે. ‘પરમાણુપુત્તા:' પરમ-અત્યંત સૂક્ષ્મ અણુઓ, જેનો ભાગ કલ્પી ન શકાય એવા નિર્વિભાગ દ્રવ્ય રૂપ પુદ્ગલો તે પરમાણુપુદ્ગલો. અને સ્કન્ધરૂપ પરિણામ રહિત કેવળ ૫૨માણુઓ જાણવા.
‘તે સંક્ષેપથી’ ઇત્યાદિ. તે સ્કન્ધાદિ યથાયોગ્યપણે સંક્ષેપથી પાંચ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-‘વર્ગપરિળતા:’ વર્ણરૂપે પરિણામ પામેલા, વર્ણપરિણામવાળા. એમ ગન્ધપરિણત, રસપરિણત, સ્પર્શપરિણત અને સંસ્થાનપરિણત-આકારરૂપે પરિણત જાણવા. અહીં ‘પરિણત-પરિણમેલાં’ એ ભૂતકાળનો નિર્દેશ કર્યો છે, તે વર્તમાન અને ભવિષ્યકાળનો ઉપલક્ષણસૂચક છે. વર્તમાન અને ભવિષ્ય સિવાય ભૂતકાળનો સંભવ નથી. જેમકે-જે વર્તમાનપણાને અતિક્રાન્ત થયેલો છે તે અતીત કહેવાય છે. જે અનાગતપણાને અતિક્રમી ગયો છે તે વર્તમાન છે. એ સંબંધમાં કહ્યું છે કે —‘‘મવૃત્તિ સ નામાતીતો ય: પ્રાતો નામ વર્તમાનત્વના ધ્વંશ નામ સ મવતિ ય: પ્રાકૃતિ વર્તમાનત્વમ્'॥ જે વર્તમાનપણાને પ્રાપ્ત થયેલો તે અતીત છે અને જે વર્તમાનપણાને પામશે તે ભવિષ્ય છે. તેથી વર્ણ પરિણત–વર્ણરૂપે પરિણમેલા, પરિણમે છે અને પરિણમશે તે બધા (વર્ણપરિણત શબ્દથી) જાણવા. એ પ્રમાણે ગન્ધપરિણત અને રસપરિણત ઇત્યાદિ પણ સમજવા. I૪॥
1
जे वन्नपरिणया ते पंचविहा पन्नत्ता । तं जहा -१ कालवन्नपरिणया, २ नीलवन्न परिणया, ३ लोहियवन्नपरिणया, ४ हालिद्दवन्नपरिणया, ६ सुक्किल्लवन्नपरिणया। जे गंधपरिणता ते दुविहा पन्नत्ता। तं जहा - सुब्मिगंधपरिणया य मगंध परिणया । जे रसपरिणता ते पंचविहा पन्नत्ता । तं जहा -१ तित्तरसपरिणता, २ कडुयरसपरिणता, ३ कसायरसपरिणता, ४ अंबिलरसपरिणता, ५ महुररसपरिणता । जे फासपरिणता ते अट्ठविहा पन्नत्ता । तं जहा-१ कक्खडफासपरिणता, २ मउयफासपरिणता, ३ गरुयफासपरिणता, ४ लहुयफासपरिणता, ५ सीयफासपरिणता, ६ उसिणफासपरिणता, ७ णिद्धफासपरिणता, ८ लुक्खफासपरिणता । जे संठाणपरिणया ते पचंविहा पन्नत्ता । तं जहा-१ परिमंडलसंठाणपरिणया, २ वट्टसंठाणपरिणता, ३ तंससंठाणपरिणता, ४ चउरंससंठाणपरिणता, ५ आयतसंठाणपरिणता । सू० -५ ।।
(મૂળ) જે વર્ણપણે પરિણમેલા છે તે પાંચ પ્રકારે છે. જેમકે-૧ કાલવર્ણપરિણત-કાળા વર્ણરૂપે પરિણમેલા, ૨ નીલવર્ણ
12