SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथम पद अरूपी अजीव पनवणा श्री प्रज्ञापना सूत्र भाग १ જ પટોદિ રૂપે વ્યવહાર થાય છે. આ સંબંધમાં એટલું જ કહેવું બસ છે, કારણ કે બીજે સ્થળે આ વાદનો વિચાર કર્યો છે. તથા ધર્માસ્તિકાયનો દેશ'-તે જ ધર્માસ્તિકાયનો બુદ્ધિકલ્પિત બે, ત્રણ, સંખ્યાતા, અસંખ્યાતા પ્રદેશોનો વિભાગ. ‘ધમસ્તિકાયના પ્રદેશો'–તે ધમસ્તિકાયના અત્યંત સૂક્ષ્મ નિર્વિભાગ–જેનો બીજો ભાગ કલ્પી ન શકાય તેવા વિભાગો. તે અસંખ્યાત છે, કારણ કે તે લોકાકાશના પ્રદેશપ્રમાણ છે, એ હેતુથી બહુવચન મૂક્યું છે. ધમસ્તિકાયથી પ્રતિપક્ષ અધમસ્તિકાય છે. તાત્પર્ય એ છે કે સ્થિતિ પરિણામને પ્રાપ્ત થયેલા જીવ અને પુદ્ગલોને સ્થિતિ પરિણામમાં અવલંબન, અમૂર્ત, અસંખ્યાત પ્રદેશના સમૂહરૂપ અધમસ્તિકાય છે અધમસ્તિકાયનો દેશ અને અધર્માસ્તિકાયના પ્રદેશો પૂર્વની પેઠે જાણી લેવા. તથા “મા શતેડમિન" પદાર્થો પોતપોતાના સ્વભાવને નહિ છોડવારૂપ મર્યાદા વડે જેમાં સ્વરૂપથી પ્રતિભાસિત થાય તે આકાશ. જો ‘આ’ અભિવિધિ-વ્યાપ્તિના અર્થમાં હોય ત્યારે ‘આ’ સર્વ ભાવોની વ્યાપ્તિ વડે સર્વ ભાવોમાં વ્યાપકપણે પ્રતિભાસમાન થાય તે આકાશ. તેના અસ્તિ–પ્રદેશનો કાય–સમૂહ તે આકાશાસ્તિકાય, આકાશાસ્તિકાયનો દેશ અને પ્રદેશો પૂર્વની પેઠે જાણવા. પરન્ત પ્રદેશો અનન્તા જાણવા. કારણ કે અલોક અનન્ત છે. ‘માસમય' અદ્ધા-એ કાલની સંજ્ઞા છે, એ રૂપ સમય તે અદ્ધાસમય. અથવા અદ્ધા-કાળનો સમય-નિર્વિભાગ ભાગ તે અદ્ધાસમય. આ કાળ વાસ્તવિક રીતે એક જ વર્તમાન સમય રૂપ છે, અતીત અને અનાગત સમય રૂપ નથી. કારણ કે તેઓ અનુક્રમે વિનાશ પામેલા અને ઉત્પન્ન નહિ થયેલા હોવાથી અવિદ્યમાન છે. તેથી સમયના સમૂહનો અભાવ હોવાથી તેમાં દેશ અને પ્રદેશની કલ્પના થતી નથી. પૂર્વ સમયનો નાશ થયા પછી પછીના સમયનો સદ્ભાવ હોય છે. તેથી તેના સમુદાય અને સમિતિ ઇત્યાદિ અસંભવિત હોવાને લીધે આવલિકાદિ કેવળ વ્યવહારને માટે જ કલ્પેલા છે એમ જાણવું. અહીં ધમસ્તિકાય એ પદ મંગલ રૂપ છે, કારણ કે તે આદિમાં ધર્મશબ્દસહિત છે. હવે પદાર્થની પ્રરૂપણાનો પ્રારંભ કર્યો છે તેથી મંગલને માટે પ્રારંભમાં ધમસ્તિકાયનું ગ્રહણ કર્યું છે. ધમસ્તિકાયનો પ્રતિપક્ષી અધમસ્તિકાય છે. એ માટે ત્યાર પછી અધમસ્તિકાયનું ગ્રહણ છે. આ બન્નેનું આધારભૂત આકાશ છે, માટે ત્યાર પછી આકાશાસ્તિકાયનું ગ્રહણ છે. તે પછી અજીવના સાધર્મ્સથી અદ્ધાસમયનું કથન છે. અથવા અહીં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય સર્વવ્યાપક નથી. જો સર્વવ્યાપક હોય તો તેના સામર્થ્યથી જીવ અને પુગલોનો અસ્મલિત (સર્વત્ર) પ્રચાર થવાથી લોક અને અલોકની વ્યવસ્થા ઘટી શકે નહિ. અને લોક અને અલોકની વ્યવસ્થા તો છે. કારણ કે સૂત્રમાં તે તે સ્થળે સાક્ષાત્ જણાય છે. તેથી જેટલા ક્ષેત્રમાં તે બન્ને રહેલા છે તેટલો લોક અને બાકીનો અલોક-એમ સિદ્ધ થાય છે. એ સંબંધમાં કહ્યું છે કે “ ધર્મવિમુત્વાન્ સર્વત્ર ૪, जीवपुद्गलविचारात्। नालोकः कश्चित्स्यान्न च सम्मत्तमेत्तदार्याणाम् ॥१॥ तस्माद्धर्माधर्माववगाढौ व्याप्य लोक खं સર્વન પર્વ દિ જીિન: સિધ્ધતિ તોસ્તવિપુત્વાન્ રા" “ધર્માસ્તિકાય અને અધમસ્તિકાયનું વ્યાપકપણું હોય તો જીવ અને પુગલોનો સર્વત્ર પ્રચાર થવાથી કોઈ પણ અલોક જેવી વસ્તુ ન ઘટે. પરન્તુ એ આર્યોને સંમત નથી. તે માટે લોકાકાશ વ્યાપીને ધર્મ અને અધર્મ દ્રવ્ય રહેલાં છે. એ પ્રમાણે તેનું અવ્યાપકપણું હોવાથી પરિમિત લોક સિદ્ધ થાય છે.રા” તેથી લોક અને અલોકની વ્યવસ્થાનું કારણ ધર્માસ્તિકાય અને અધમસ્તિકાય છે. તેથી એ બન્નેનું પ્રારંભમાં ગ્રહણ કરેલું છે. તેમાં પણ માંગલિક હોવાથી પ્રથમ ધમસ્તિકાયનું ગ્રહણ કર્યું છે. તેનો પ્રતિપક્ષી હોવાથી તે પછી અધમસ્તિકાયનું ગ્રહણ કર્યું છે. તે પછી લોકાલોક વ્યાપી હોવાથી આકાશાસ્તિકાયનું ગ્રહણ છે. ત્યાર બાદ લોકમાં સમયક્ષેત્ર અને તેથી ભિન્ન ક્ષેત્રની વ્યવસ્થા કરનાર હોવાથી અદ્ધાસમયનું ગ્રહણ છે. એ પ્રમાણે આગમને અનુસરી બીજું પણ યુક્તિસંગત હોય તે કહેવું. આ સંબંધમાં એટલું જ કહેવું બસ છે. પ્રસ્તુત પ્રજ્ઞાપનાનો ઉપસંહાર કહે છે–એમ અરૂપીઅજીવપ્રજ્ઞાપના કહી. તે આ પ્રમાણે – અરૂપીઅજીવપ્રજ્ઞાપનાના ૧૦ પ્રકાર -ધમસ્તિકાય ૩, અધમસ્તિકાય ૩, અકાશાસ્તિકાય ૩, કાલ ૧ મળી ૧૦ પ્રકાર. Ila से किं तं रूविअजीवपण्णवणा? रूविअजीवपण्णवणा चउव्विहा पन्नत्ता। तं जहा- १ खंधा, २ खंधदेसा, ३ 11
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy