SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद अरूपी अजीव पन्नवणा અધર્માસ્તિકાયના પ્રદેશો. ૭ આકાશાસ્તિકાય, ૮ આકાશાસ્તિકાયનો દેશ અને ૯ આકાશાસ્તિકાયના પ્રદેશો, તથા ૧૦ કાળ. એ પ્રમાણે અરૂપીઅજીવપ્રજ્ઞાપના કહી. |૩|| (ટી) તેમાં અલ્પ વક્તવ્યતા હોવાથી પ્રથમ અરૂપી અજીવપ્રજ્ઞાપનાનું વર્ણન કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર આ સૂત્ર કહે છે“સે” શબ્દ અથશબ્દના અર્થમાં છે. અથ નામ મધ્વનીવપ્રજ્ઞાપન? અરૂપીઅજીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે? આચાર્ય કહે છે—અરૂપી અજીવપ્રજ્ઞાપના દસ પ્રકારે કહી છે. અરૂપી અજીવો દસ પ્રકારના હોવાથી તેની પ્રરૂપણા પણ દસ પ્રકારની કહી છે. તે દસ પ્રકાર બતાવે છે–તર્ થા' એ જે ભેદો કહેવાના છે તે ભેદોનું કથન પ્રગટ કરવાને માટે છે. -શવિધર્ત્યદસ પ્રકાર, અથવા ‘તદ્' એ સર્વ લિંગ અને સર્વ વચનમાં વર્તમાન અવ્યય છે. એટલે ''મા ટ્રાવિયા અવ્વનીવપ્રજ્ઞાપના થયા પ્રવૃત્તિ તથા વંત''-તે દસ પ્રકારે અરૂપિ અજીવપ્રજ્ઞાપના જે પ્રકારે છે તે પ્રકારે બતાવાય છે—“ધાસ્તિકાય” ઇતિ. સ્વભાવથી જ ગતિપરિણામને પ્રાપ્ત થયેલા જીવ અને પુદ્ગલોના ગતિસ્વભાવને ધારણ કરવાથી-પોષણ ક૨વાથી ‘ધર્મ’ કહેવાય છે. અસ્તિ એટલે પ્રદેશો, તેઓનો કાયસમૂહ, કારણ કે ગણ, કાય, નિકાય, સ્કન્ધ, વર્ગ તેમજ રાશિ-એ પર્યાયશબ્દો છે. અસ્તિકાય–પ્રદેશોનો સમૂહ. આ વડે પરિપૂર્ણ ધર્માસ્તિકાય રૂપ અવયવી દ્રવ્ય કહે છે. અવયવી એટલે અવયવોનો તેવા પ્રકારનો સંઘાતરૂપ પરિણામવિશેષ છે, પરન્તુ અવયવ દ્રવ્યોથી જુદું દ્રવ્ય નથી. કારણ કે જુદા સ્વરૂપે તેનો ઉપલંભ (જ્ઞાન) થતો નથી. લંબાઇ અને પહોળાઇપણે સંઘાતરૂપ પરિણામવિશેષને પ્રાપ્ત થયેલા તતુઓનો જ લોકમાં પટ તરીકે વ્યવહાર થાય છે. પણ તન્તુઓથી જદું પટ નામે દ્રવ્ય નથી. એ સંબંધમાં અન્ય આચાર્યોએ પણ કહ્યું છે-'‘માયાવિતિયેળ 7 પાપુનમ્નનના તત્ત્વાયો વિશિષ્ટાદિ પારિવ્યપવેશિન: ।।'' તન્નુઆદિથી ભિન્નરૂપે પટાદિનું જ્ઞાન થતું નથી, પરન્તુ વિશિષ્ટ તત્ત્વાદિનો ૧ ધર્માસ્તિકાય : ચલન સ્વભાવ ગુણ ધર્માસ્તિકાયનો છે. જેમ મત્સ્યના સંચારનું અપેક્ષા કારણ જલ-પાણી છે, તેમ જીવને તથા પુદ્ગલને ગતિપણે પરિણમતાં હૈ અપેક્ષા કારણ હોય, તેને ધર્માસ્તિકાય કહે છે. અસ્તિકાય : સ્થિર સ્વભાવ ગુણ અધર્માસ્તિકાયનો છે, જેમ પંથી-મુસાફરને વિસામો લેવા માટે વૃષ્ટાદિકની છાયા અપેક્ષા કારણ છે, તેમ જીવ તથા પુદ્ગલને સ્થિતિપણે પરિણમતાં જે અપેા કારણ હોય અર્થાત્ સ્થિર રાખવાનો જે સહજ ગુણ તેને અધર્માસ્તિકાય કહે છે. આકાશાસ્તિકાય : અવકાશ (જગ્યા) આપવાનો સ્વભાવ ગુણ આકાશસ્તિકાયનો છે. લોકાલોક વ્યાપી શબ્દ, રૂપ, રસ, ગંધ તથા સ્પર્શ રહિત અરૂપી અનંત પ્રદેશ અને સાકરને દૂધની પેઠે જૈનો અવકાશસ્વભાવ ગુણ તેને આકાશાસ્તિકાય કહે છે. ભેદ : આકાશના બે ભેદ છે. ૧) લોકાકાશ, ૨) અલોકાકાશ. આકાશાસ્તિકાય દ્રવ્ય, પુદ્ગલ દ્રવ્ય તથા જીવને અવગાહના ગુણદાન આપે છે. કાળદ્રવ્ય : નવા, પુરાણ-વર્તના સ્વભાવગુણ કાળદ્રવ્યનો છે. એક કરોડ, સડસઠ લાખ, સીત્તોતેર હજાર બસૈંને સોળ ઉપર એટલી આવલીએ એક મુહૂર્ત થાય છે. અખના એક પલકારામાં, એક ચપટી વગાડીએ તેટલા સમયમાં, જૂનું વજ્ર ફાડીએ તે વખતે એક તંતુથી બીજે તંતુએ જાય તેટલા વખતમાં તથા કમળના પાંદડાના સમુહને યુવાન પુરુષ ભાલાથી અથવા સોયથી વીંધે, તે ભાલો યા સોય જેટલીવારમાં એક પાંદડાથી બીજે પાંદડે પહોંચે તેટલા વખતમાં અસંખ્યાતા સમય થઈ જાય છે. એવી અસંખ્યાતા સમયને આવલી કહે છે. એવી બન્નેં છપ્પન આવલીએ એક ક્ષુલ્લક ભવ થાય છે. એ કરતાં બીજા કોઈપણ નાના ભવની કલ્પના થઈ શકે નહીં, એવાં કાંઈક અધિક સત્તર ક્ષુલ્લક ભવમાં એક શ્વાસોશ્વાસરૂપ પ્રાણની ઉત્પત્તિ અાગવી. કાળ–સમયનું માન ઃ ૭ પ્રાણ ૭ સ્ટોક ૧૫ સરિ ૨ પખવાડિયા = ૧ સ્ટોક = ૧ લવ ૭૭ લવ = ૧ મુહૂર્ત = ૧ માસ = ૧ વર્ષ = ૧ પલ્યોપમ ૧૬૭૭૭૨૧૬ આવલી = ૧ મુહૂર્ત ૩૦ મુહૂર્ત = ૧ અહોરાત્રિ ૧૦ કોડાકોડી પલ્યોપમ = ૧ સાગરોપમ એ સર્વ મનુષ્યલોકમાં વ્યવહારથી કાળ જાણવો. ૨ માસ = ૧ ઋતુ, ૩ ૠતુ = ૧ અયન,૨ અયન = ૧ વર્ષ, ૫ વર્ષ પૂર્વાંગ = ૧ પૂર્વ ઇત્યાદિ કાળના અનેક ભેદ છે. 10 ૧૨ માસ અસંખ્યાતવર્ષ = ૧ પખવાડિયું ૧૦ કોડાકોડી સાગરોપમ = ૧ ઉત્સર્પિણી ૧૦ કોડાકોડી સાગરોપમ = ૧ અવસર્પિણી ૨૦ કોડાકોડી સાગરોપમ = ૧ કાળચક્ર અનંતકાળચક્ર = ૧ યુગ, ૮૪ લાખ વર્ષ = ૧ પુદ્ગલ પરાવર્તન = ૧ પૂર્વાંગ, ૮૪ લાખ
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy