SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथम पद प्रज्ञापनानो विषय श्री प्रज्ञापना सूत्र भाग १ આ ઉ0-- અધ્યયનના પ્રારંભમાં 'ઉપક્રમાદિ અનુયોગદ્વારોનો ઉપન્યાસ અવશ્ય કરવો જોઈએ—એવો નિયમ નથી. “નિયમ નથી' એમ શાથી જણાય? એનો ઉત્તર એ છે કે નંદિ વગેરે અધ્યયનને વિષે ઉપક્રમાદિ અનુયોગોનો ઉપન્યાસ દેખાતો નથી. प्रज्ञापनानो विषयपन्नवणा' ठाणाई बहुवत्तव्वं ठिई विसेसा या वक्कन्ती ऊसासो सन्ना जोणी य चरिमाइं ॥४॥ માતા સરીર મ"સાય"પિગોળો". लेसा कायठिई या“ सम्मत्ते" अन्तकिरिया" य ।।५।। ___ ओगाहणसंठाणे" किरिया कम्मे" ई या वरे। [कम्मस्सबन्धए"[कम्मस्स]वेद"[ए]वेदस्स बन्धए" वेयवेयए ॥६॥ आहारे उवओगे" पासणया" सन्नि" संजमे" चेव। મોદી" વિચાર” “તો સમુથાપ" Iળા (મૂળ) ૧ પ્રજ્ઞાપના, ૨ સ્થાન, ૩ બહુવક્તવ્ય, ૪ સ્થિતિ, ૫ વિશેષ, ૬ વ્યુત્કાન્તિ, ૭ ઉચ્છવાસ, ૮ સંજ્ઞા, ૯ યોનિ, ૧૦ ચરમ, ૧૧ ભાષા, ૧૨ શરીર, ૧૩ પરિણામ, ૧૪ કષાય, ૧૫ ઈન્દ્રિય, ૧૬ પ્રયોગ, ૧૭ વેશ્યા, ૧૮ કાયસ્થિતિ, ૧૯ સમ્યક્ત, ૨૦ અન્તક્રિયા, ૨૧ અવગાહના-સંસ્થાન, ૨૨ ક્રિયા, ૨૩ કર્મ, ૨૪ કર્મબન્ધક, ૨૫ કર્મવેદક, ૨૬ વેદબન્ધક, ૨૭ વેદવેદક, ૨૮ આહાર, ૨૯ ઉપયોગ, ૩૦ પશ્યતા-દર્શનતા, ૩૧ સંજ્ઞા, ૩૨ સંયમ, ૩૩ અવધિ, ૩૪ પ્રવિચારણા, ૩૫ વેદના અને ૩૬ સમુઘાત-એ છત્રીસ પદો છે. (ટી૦) વળી આ પ્રજ્ઞાપના અનેક વિચિત્ર અથધિકાર સહિત હોવાથી ચિત્ર, મૃતરૂપ રત્ન અને બારમા દષ્ટિવાદ અંગના નિષ્પદ-સારરૂપ છે. અહીં સૂત્રમાં નપુંસકપણાનો નિર્દેશ પ્રાકૃત હોવાથી થયો છે. જેમાં ભગવાન મહાવીર વર્ધમાન સ્વામીએ અધ્યયનનો અર્થ ઇન્દ્રભૂતિ પ્રમુખ ગણધરોની પાસે વર્ણવેલો હોવાથી અધ્યયન વર્ણવેલું છે એમ કહ્યું છે, તેમ હું પણ તે પ્રમાણે વર્ણવીશ. V૦ - ભગવાન મહાવીરે કહ્યું છે તેવા પ્રકારે છvસ્થની વર્ણન કરવાની શક્તિ ક્યાંથી હોય? ઉ0 – એમ કહેવામાં દોષ નથી. સામાન્યરૂપે કહેવા લાયક પદાર્થના વર્ણનમાત્રને આશ્રયીને એ પ્રમાણે કહેલું છે – હું પણ તે પ્રમાણે વર્ણન કરીશ.' તાત્પર્ય એ છે કે હું તેને અનુસાર વર્ણન કરીશ, પણ સ્વમતિકલ્પનાથી નહિ કરું. આ પ્રજ્ઞાપનામાં છત્રીશ પદો છે. પદ, અધિકરણ, અર્થાધિકાર–એ પર્યાય શબ્દો છે. તે પદો આ પ્રમાણે છે-(૧) પ્રજ્ઞાપનાવિષયક પ્રશ્નને આશ્રયી પ્રવૃત્ત થયેલું હોવાથી પ્રથમ પ્રજ્ઞાપના પદ કહેવાય છે. (૨) એ પ્રમાણે પૃથિવીકાયિકાદિ જીવોના સ્થાનોનું નિરૂપણ કરેલું હોવાથી બીજું સ્થાનપદ, (૩) પૃથિવીકાયિકાદિ જીવોનું દિશા, ગતિ વગેરે સત્યાવીશ તારો વડે અલ્પબદુત્વ વગેરે ઘણું કહેવાનું હોવાથી ત્રીજું બહુવક્તવ્યપદ, (૪) નરયિકાદિ જીવોની સ્થિતિ-આયુષ્યનું પ્રમાણ કહેલું હોવાથી ચોથું સ્થિતિ પદ, (૫) જીવ અને અજીવના દયિક, લાયોપથમિક અને ક્ષાયિક ભાવને આશ્રયી વિશેષ-પર્યાયનું નિરૂપણ હોવાથી પાંચમું વિશેષ અથવા પર્યાય પદ. (૬) પ્રાણીઓના વ્યુત્કાન્તિ-ઉપપાતવિરહાદિ અધિકાર યુક્ત હોવાથી ૧. અનુયોગ – સૂત્રાર્થની વ્યાખ્યા, તેના દ્વાર-ઉપાય તે અનુયોગદ્વાર. તેના ચાર પ્રકાર છે – ૧ ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય, દૂર રહેલા શાસ્ત્રાદિને તે તે પ્રતિપાદનના પ્રકારો વડે સમીપમાં લઇ જવું-નિક્ષેપને યોગ્ય કરવું તે ઉપક્રમ. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ વડે વિચાર કરવો તે નિક્ષેપ. સૂત્ર અને અર્થનો અનકુલ સંબંધ કરવો તે અનુગમ. અનન્ત ધર્મયુક્ત વસ્તુનો એક ધર્મવડે વિચાર કરવો તે નય. અર્થાત્ એક અંશ ગ્રહણ કરનાર બોધ તે નય.
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy