________________
श्री प्रज्ञापना सूत्र भाग १
प्रथम पद मंगल
યોગ્ય) વસ્તુ નથી. તેમાં પહેલા પ્રજ્ઞાપનાપદમાં જીવ અને અજીવ દ્રવ્યની, બીજા સ્થાન પદમાં જીવના આધારભૂત ક્ષેત્રની, ચોથા સ્થિતિપદમાં નારકાદિ સ્થિતિનું નિરૂપણ કરેલું હોવાથી કાળની અને બાકીના પદોમાં સંખ્યા, જ્ઞાનાદિપર્યાય, વ્યુત્કાન્તિ અને ઉચ્છવાસાદિ ભાવોની પ્રજ્ઞાપના કરવામાં આવી છે.
वायगवरवंसाओ तेवीसइमेण धीरपुरिसेणं। दुद्धरधरेण मुणिणा पुव्वसुयसमिद्धबुद्धीण ।।३।। सुयसागरा विणेऊण जेण सुयरयणमुत्तमं दिन्न। सीसगणस्स भगवओ तस्स नमो अज्जसामस्स ।।४।। (મૂળ) વાચકના શ્રેષ્ઠ વંશમાં (સુધમસ્વિામિથી આરંભીને) ત્રેવીસમા, ધીર પુરુષ, દુધર-પ્રાણાતિપાતવિરમણાદિ મહાવ્રતને
ધારણ કરનારા અને પૂર્વશ્રુતવડે જેની બુદ્ધિ સમૃદ્ધ થયેલી છે એવા જે મુનિએ શ્રુતસાગરથી વીણીને પ્રધાન શ્રતરત્ન
શિષ્યગણને આપ્યું તે ભગવદ્ આર્ય શ્યામાચાર્યને નમસ્કાર હો. (ટી.) આ ગાથાનો ‘ક્યfમાં વિત્ત' એ ગાથાની સાથે સંબન્ધ છે. જેણે આ પ્રજ્ઞાપનાનો પ્રાણીઓના ઉપકારને માટે શ્રતસાગરથી ઉદ્ધાર કર્યો છે તે આર્ય શ્યામસૂરિ પણ નજીકના ઉપકારી છે માટે અમારા સરખાને નમસ્કાર કરવા યોગ્ય છે. તેથી તેના નમસ્કાર સંબંધી વચ્ચે અન્ય આચાર્યે કરેલી આ બે ગાથાઓ છે-પૂર્વના જાણનારાને વાચક કહે છે. શ્રેષ્ઠ વાચકો તે વાચકવર અથવા વાચકપ્રધાન કહેવાય છે. તેઓનો વંશ-પ્રવાહ, પરંપરા તેમાં થયેલા, સૂત્રમાં પ્રાકૃત હોવાથી પાંચમી વિભક્તિનો નિર્દેશ છે. કારણ કે પ્રાકૃતમાં સર્વ વિભક્તિઓના અર્થમાં સર્વ વિભક્તિઓ યથાસંભવ પ્રવર્તે છે. એ સંબંધમાં પાણિનિ કહે છે –“વ્યત્યયોપ્યાસા' આ વિભક્તિઓનો વ્યત્યય–ફેરફાર થાય છે. આર્ય શ્યામસૂરિ વાચકના વંશમાં થયેલા છે અને સુધર્માસ્વામિથી માંડીને ત્રેવીશમાં છે. તે બુદ્ધિથી શોભિત હોવાથી ધીર પુરુષ છે. જગતની ત્રિકાલાવસ્થાનું મનન કરે તે મુનિ એટલે વિશિષ્ટ જ્ઞાનયુક્ત છે. વળી જેમની બુદ્ધિ પૂર્વના જ્ઞાનવડે સમૃદ્ધ-વૃદ્ધિ પામેલી છે.
પ્ર૦ –જે વાચકના વંશમાં થયેલા હોય તે પૂર્વ શ્રુતવડે સમૃદ્ધબુદ્ધિવાળા અવશ્ય હોય, તો આ વિશેષણનું શું પ્રયોજન
ઉ૦–એ સત્ય છે પરન્તુ વાચકો પૂર્વવિદ્છતાં પણ તેઓ છ સ્થાનકને પ્રાપ્ત થયેલા હોય છે. અર્થાત્ તેઓ જ્ઞાનમાં એક બીજાથી હીનાધિક હોય છે. ચૌદ પૂર્વધરોમાં પણ મતિજ્ઞાનને આશ્રયી છ સ્થાનક કહેવામાં આવશે. તેથી બીજા પૂર્વવિદ્ કરતાં અધિકતા બતાવવા આ વિશેષણ આપવામાં આવ્યું છે, માટે દોષ નથી. અહીં ‘ણા' પ્રત્યયનું હૃસ્વપણું અને બુદ્ધિશબ્દનું દીર્ઘપણું આર્ષપણાથી થયેલું છે. શ્રત પણ અપાર હોવાથી અને જ્ઞાનાદિ રત્નયુક્ત હોવાથી સાંગર જેવું છે. તે શ્રુતસાગરથી ‘વિગેઝળ' દેશ્ય પ્રાકૃત છે. એટલે સામ્પ્રત કાળના પુરુષને યોગ્ય વીણીને પ્રજ્ઞાપના રૂપ ઉત્તમ-પ્રધાન શ્રતરત્ન શિષ્યોને આપ્યું છે. અહીં પ્રાધન્ય બાકીના શ્રતરત્નની અપેક્ષાએ નથી, પરંતુ સ્વરૂપથી છે. તે ભગવાનૂ-જ્ઞાન, એશ્વર્ય અને ધમદિવાળા, “આર્ય”—આરત્ અવ્યય દૂર અને સમીપ અર્થનો વાચક છે. કારત્ યાત:' એટલે સર્વ હેય ધર્મોથી દૂર ગયેલા અને ગુણો વડે સમીપ ગયેલા, તે આર્ય શ્યામસૂરિને નમસ્કાર થાઓ.
अज्झयणमिणं चित्तं सुयरयणं दिट्ठिवायणीसन्दा जइ वन्नियं भगवया अहमवि तह वनइस्सामि ।।५।। (મૂળ) આ પ્રજ્ઞાપના રૂપ અધ્યયન ચિત્ર-વિચિત્ર, શ્રતરત્નરૂપ અને દૃષ્ટિવાદના બિન્દુસમાન છે. તેને ભગવાન મહાવીરે જે
પ્રકારે વર્ણવ્યું છે તે પ્રકારે હું પણ વર્ણવીશ.
V૦ – આ “પ્રજ્ઞાપના” નામે અધ્યયન છે, તો તેની આદિમાં અનુયોગાદિ દ્વારનો ઉપન્યાસ કેમ કરતા નથી? १. भगवच्छ्यामाचार्यवन्दनप्रख्यापकमिदं गाथा युगलं श्री हरिभद्र-मलयगिरिपादाभ्यां स्वस्ववृत्तौ प्रक्षिप्तत्वेन निष्टङ्कितं व्याख्यातं च
તો ‘વિઝન' ના સ્થાને ‘રિયેળ' પાઠ ઉપલબ્ધ થાય છે. ૨. પરસ્પર હીનાધિકતા બતાવવા માટે સૂત્રમાં બુદ્ધિ અને હાનિના છ સ્થાનકો કહ્યા છે - ૧ અનન્તભાગવૃદ્ધિ, ૨ અસંખ્યાતભાગ વૃદ્ધિ, ૩ સંખ્યાતભાગ વૃદ્ધિ, ૪ સંખ્યાતગુણવૃદ્ધિ, ૫ અસંખ્યાતગુણવૃદ્ધિ અને ૬ અનન્તગુણવૃદ્ધિ. એવા જ હાનિના છ સ્થાનકો છે.
6