SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथम पद मंगल श्री प्रज्ञापना सूत्र भाग १ હતા, નિત્ય વસ્તુનું જુદા જુદા કાળની બે ક્રિયાનું કર્તાપણું શી રીતે ઘટે? કેમકે નિત્ય વસ્તુ સદા એક સ્વભાવવાળી હોવાથી તેથી હંમેશાં કોઇપણ એકજ ક્રિયાના વિદ્યમાનપણાનો પ્રસંગ થાય. સ્વભાવથી એક ક્ષણ રહેવાના ધર્મવાળું તે અનિત્ય. તેથી તેને પણ ભિન્ન કાળમાં રહેલી બે ક્રિયાનું કર્તાપણું ન ઘટી શકે. કારણ કે (ઉત્તર ક્ષણમાં) કર્તાનું અવસ્થાન–વિદ્યમાનપણું નથી. આ સંબંધમાં વધારે વિસ્તારનું પ્રયોજન નથી. કેમકે અન્ય સ્થળે તેની સારી રીતે ચર્ચા કરેલી છે. ‘ત્યા’ પ્રત્યય ઉત્તર ક્રિયા સાપેક્ષ હોવાથી હવે ઉત્તર ક્રિયા જણાવે છે – વંમિનિળવi' ઇત્યાદિ. જિનવરેન્દ્ર મહાવીરને વંદન કરું છું, વીર ધાતુ પરાક્રમના અર્થમાં છે. વિશેષતાથી કષાયાદિ શત્રુઓ પ્રતિ પ્રરાક્રમ કરે તેથી વીર, અને મહાન્ છે. અતઃ મહાવીર તેથી ભગવંતનું મહાવીર નામ યાદચ્છિક નથી, પરન્તુ ગુણનિષ્પન્ન–સાર્થક છે, અને તે પરિષહોપસર્ગાદિને વિષે યથાર્થ અને અસાધારણ વી૨૫ણું જોઈને દેવો અને દાનવોએ પાડેલું છે.' કહ્યું છે કે —‘અયને મયમેરવાાં અન્તિમે પરીસહોવસાળી પેવેર્દિ પ્ મહાવીર કૃતિ।' ‘“ભય અને ભયના કારણોમાં અચલ હતા તથા પરિગ્રહ અને ઉપસર્ગ સહન કરવામાં સમર્થ તેથી દેવોએ ‘મહાવીર’ એવું નામ કર્યું છે.’’ આથી અપાયાપગમાતિશય સૂચિત કર્યો છે. ‘જિનવરેન્દ્રમ્' જેઓ રાગાદિ શત્રુઓને જિતે તે જિન કહેવાય છે. તે ચાર પ્રકારના છે — શ્રુતજિન, અધિજિન, મન:પર્યવજિન અને કેવલીજિન. તેમાં કેવલીજિનનું ગ્રહણ કરવા માટે ‘વર’ શબ્દ જોડવામાં આવ્યો છે. તે જિનોમાં પદાર્થના ભૂત, વર્તમાન અને ભાવી સ્વભાવને જણાવનાર કેવળજ્ઞાનયુક્ત હોવાથી વર–શ્રેષ્ઠ છે. તેઓ તીર્થંકર નહીં છતાં સામાન્ય કેવળી પણ હોય, તેથી તીર્થંકરનું ગ્રહણ કરવા માટે ઇન્દ્રનું ગ્રહણ કર્યું છે. જિનવરેન્દ્ર–અત્યન્ત પુણ્યના સમુદાય રૂપ તીર્થંકરનામ કર્મના ઉદયથી તીર્થંકર જાણવા. આથી જ્ઞાનાતિશય અને પૂજાતિશય કહ્યો છે. કેમકે જ્ઞાનાતિશય સિવાયના પ્રકારના જિનોમાં ઉત્તમપણું અને પૂજાતિશય સિવાયના જિનવરોમાં ત્રણલોકનું ઇન્દ્રપણું ઘટી શકતું નથી. વળી તેઓ ત્રૈલોક્યના (સામાન્ય કેવલીઓના) ગુરુ છે. ગૃણાતિ–યથાવસ્થિત પ્રવચન– સિદ્ધાન્તના અર્થનો ઉપદેશ કરે તે ગુરુ. ભગવાન્ અધોલોકનિવાસી ભવનપતિ દેવોને, તિર્યંગ્લોકનિવાસી વ્યન્તર, નર, પશુ, વિદ્યાધર અને જ્યોતિષ્ઠોને તથા ઊર્ધ્વલોકનિવાસી વૈમાનિક દેવોને ધર્મનો ઉપદેશ. કરે છે; માટે તેઓ ત્રણ લોકના ગુરુ છે. આથી વચનાતિશય સૂચિત કર્યો. આ અપાયાપગમાદિ ચારે ય અતિશયો તે સિવાયના બીજા શરીરની સુગન્ધ વગેરે અતિશયોના ઉપલક્ષણ-સૂચક છે. કારણ કે બીજા અતિશયો સિવાય કેવળ ચાર અતિશયો હોતા નથી, તેથી ચોત્રીશ અતિશય યુક્ત ભગવન્ત મહાવીરને વંદન કરૂ છુ એમ કહેલું સમજવું. सुरयणनिहाणं जिणवरेण भवियजणनिव्वुइकरेण । उवदंसिया भगवया पनवणा सव्वभावानं ॥२॥ (મૂળ) ભવ્યજનોને મોક્ષનું કારણ અને જિનવર–સામાન્ય કેવલીમાં શ્રેષ્ઠ એવા ભગવંત મહાવીરે મ્રુતરત્નોના નિધાનભૂત એવી સર્વ ભાવોની પ્રજ્ઞાપના બતાવેલી છે. (ટી0) ૠષભાદિ અન્ય તીર્થંકરોને છોડીને ભગવંત મહાવીરને નમસ્કાર કરવાનું શું પ્રયોજન છે? તેઓ વર્તમાન તીર્થના અધિપતિ હોવાને લીધે નજીકના ઉપકારી હોવાથી તેમને નમસ્કાર કર્યો છે. તે ભગવંત મહાવીરનું નિકટ ઉપકારીપણું બતાવે છે —‘ શ્રુતરત્નનિધાનમ્’ અહીં પ્રજ્ઞાપના વિશેષ્ય છે અને બાકીના કેટલાક 'સમાનાધિકરણ અને કેટલાક વ્યધિકરણ વિશેષણો છે. જિનસામાન્ય કેવલીમાં તીર્થંકર હોવાથી વ૨–ઉત્તમ એવા મહાવીરે, સર્વભાવોની પ્રજ્ઞાપનાનો ઉપદેશ કર્યો છે. ભગવંત મહાવીર વર્તમાન તીર્થના અધિપતિ છે; તે સિવાય બીજા કોઇ વર્તમાન તીર્થના અધિપતિ નથી. અહીં છદ્મસ્થ અને ક્ષીણમોહ જિનની અપેક્ષાએ સામાન્ય કેવલી પણ જિનવર કહેવાય, તેથી શિષ્યવર્ગ તેવા પ્રકારના કેવલજ્ઞાનીને જિનવ૨ તરીકે સમજે માટે તીર્થંક૨૫ણાનો બોધ થવા નિમિત્તે ‘ભગવતા’ એ બીજું વિશેષણ કહે છે. ભગ–સમગ્ર એશ્વર્યાદિ રૂપ છે. એ સંબંધમાં કહ્યું છે કે—‘‘પ્રેશ્વર્યસ્ય સમપ્રસ્ય રૂપસ્ય યશસ્ય શ્રિયા ધર્મસ્યાથ પ્રયત્નસ્થ ળાં મા કૃતી ના। ‘સમગ્ર એશ્વર્ય, રૂપ, યશ, ૧ સમાનાધિકરણ-સમાન વિભક્તિવાળું વિશેષણ અને ભિન્ન વિભક્તિવાળું વ્યધિકરણ વિશેષણ છે. અહીં ‘શ્રુતરત્નનિધાન' ઐ સમાનાધિકરણ વિશેષણ છે અને બીજા બધા વ્યધિકરણ વિશેષણો છે. 4
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy