SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथम पद मंगल श्री प्रज्ञापना सूत्र भाग १ તેના શિષ્ય-પ્રશિષ્યાદિ વંશનો વિચ્છેદ ન થાય તે નિમિત્તે છે.ર' તેમાં આદિ મંગલ ‘વવાયઝરમરળમ ્'-ઇત્યાદિ ગાથાથી કહ્યું છે, કારણ કે ઇષ્ટ દેવની સ્તુતિ પરમ મંગલરૂપ છે. ઉપયોગ પદમાં ‘વિહેળ મંતે! ડવોને 'પન્નત્તે?' — હે ભગવન્! કેટલા પ્રકા૨નો ઉપયોગ કહેલો છે–ઇત્યાદિ વડે મધ્યમ મંગલ કહ્યું છે, કારણ કે ઉપયોગ જ્ઞાન સ્વરૂપ છે અને શાન કર્મક્ષયનું પ્રધાન કારણ હોવાથી મંગલ સ્વરૂપ છે. ‘જ્ઞાન કર્મક્ષયનું પ્રધાન કારણ છે’ તે વાત અસિદ્ધ છે—એમ નથી. કારણ કે આ સંબંધમાં આગમમાં સ્પષ્ટ કહેલું છે — ં અન્નાની માં હવે વાદુિં વાસજોડીહિા ત નાળી તિહિ મુત્તો હવે ઇસ્સાક્ષમિત્તેનું ।। ‘અજ્ઞાની? જે કર્મનો ઘણા ક્રોડ વર્ષે ક્ષય કરે છે, તેને ત્રણગુપ્તિવાળો જ્ઞાની શ્વાસોચ્છ્વાસ માત્રમાં ક્ષય કરે છે.’’ તથા છેવટે સમુદ્દાત પદમાં કેવલીસમુદ્દાત સમાપ્ત થયા બાદ સિદ્ધાધિકારની સાથે સંબન્ધ ધરાવતા ‘‘'નિાિસડુવા નાનરામરળબંધળવિમુશા સાસયમવ્યાનાદું નિવ્રુત્તિ સુહી પુરૂં પત્તા''I – ઇત્યાદિ ગ્રન્થ વડે અવસાન મંગલ કહ્યું છે. ववगयजर-मरण भए सिद्धे अभिवंदिऊण तिविहेणं । वंदामि जिणवरिंदं तेलोक्कगुरुं महावीरं ॥ १ ॥ (મૂળ) જેના જરા, મરણ અને ભય નષ્ટ થયા છે એવા સિદ્ધોને ત્રિવિધે–મન, વચન, અને કાયા વડે નમસ્કાર કરીને ત્રણ લોકના ગુરુ અને જિનવરોમાં શ્રેષ્ઠ એવા મહાવીરને વંદન કરું છું. (ટી) જેણે સિત—બાંધેલા આઠ પ્રકારના કર્મેન્શનને જાજ્વલ્યમાન શુક્લધ્યાનાગ્નિ વડે ક્માત–બાળી નાંખ્યાં છે તેઓ સિદ્ધ કહેવાય છે. અથવા સિધ્ ધાતુ ગત્યર્થક છે. એટલે જેઓ (સેધત્તિ સ્ત્ર) ફરીથી અહીં નહિ આવવા વડે મોક્ષપુરને પ્રાપ્ત થયેલા છે. અથવા સિધ્ ધાતુ નિષ્પત્તિના અર્થમાં છે. સિધ્ધત્તિ સ્મ–જેઓ કૃતાર્થ થયેલા છે, અથવા સિધ્ ધાતુ શાસન અને માંગલ્યાર્થક છે, (સેન્તિ સ્મ) જેઓએ શાસન–ઉપદેશ કર્યો છે, અથવા તો જેણે મંગલરૂપતાનો અનુભવ કર્યો છે. અથવા જેઓ સિદ્ધનિત્ય છે, કારણ કે તેમની સ્થિતિ અનન્ત છે. અથવા ભવ્યોએ તેમના ગુણો જાણેલા હોવાથી જેઓ સિદ્ધ—પ્રસિદ્ધ છે. કહ્યું છે કે ." ध्मातं सितं येन पुराणकर्म यो वा गतो निर्वृतिसौधमूर्ध्नि । ख्यातोऽनुशास्ता परिनिष्ठितार्थो यः सोऽस्तु सिद्धः 'તમ ાતો મા'' ‘જેમણે પ્રાચીન કર્મોને બાળી નાંખ્યાં છે, જેઓ નિર્વાણ રૂપ મહેલના શિખરે વિરાજમાન છે, પ્રસિદ્ધ, ઉપદેષ્ટા અને કૃતકૃત્ય થયેલા છે તે સિદ્ધ મને મંગલ ક૨ના૨ થાઓ.’’ સિદ્ધો નામાદિ ભેદથી અનેક પ્રકારે છે, માટે ઉપર કહેલા સિદ્ધનો બોધ થવા માટે વિશેષણ કહે છે ‘‘વ્યપાતળરામર્ળમયાન્’'જરા–વયની હાનિ, મરણ–પ્રાણોનો ત્યાગ કરવો, ભય ઇહલોકાદિ સાત પ્રકારનો છે. “હપરતોળાવાળ અમ્હઞાનીવમળમસિહોર્'' કહ્યું છે કે —‘૧ ઇહલોક ભય, ૨ પરલોક ભય, ૩ આદાન ભય, ૪ અકસ્માત ભય, ૫ આજીવિકા ભય, ૬ મરણ ભય અને ૭ અપયશ ભય. જેઓના જરા, મરણ અને ભય સર્વથા ફરીથી નહિ ઉત્પન્ન થવા વડે નષ્ટ થયા છે એવા સિદ્ધોને ત્રિવિધે–મન, વચન અને કાયયોગ વડે, આથી ત્રણયોગના વ્યાપાર રહિત વંદન દ્રવ્યનંદન છે એમ જણાવ્યું. ‘અભિવન્થ’ અભિમુખ વંદન કરીને—પ્રણામ કરીને; એ વડે ઉત્તર કાળની ક્રિયા સાથે સમાન કર્તા હોવાથી પૂર્વકાળવાચી ધાતુથી ‘ત્યા’ પ્રત્યયનું વિધાન થતું હોવાને લીધે એકાન્ત નિત્ય અને એકાન્ત અનિત્ય પક્ષનો નિષેધ સૂચિત કર્યો છે. કારણ કે એકાન્ત નિત્ય અને એકાન્ત અનિત્ય પક્ષમાં ‘ત્વા’ પ્રત્યયનો સંભવ નથી. તે આ પ્રમાણે–અપ્રચ્યુત–જે નાશ નહિ પામેલું, ઉત્પન્ન નહી થયેલું અને સ્થિર એક સ્વભાવળું હોય તે નિત્ય કહેવાય. અને તે — ૧ સર્વ દુઃખોને તરી ગયેલા, જન્મ, જરા અને મરણના બંધનથી મૂકાયેલા, અવ્યાબાધ સુખને પ્રાપ્ત થયેલા સ્વાભાવિક સુખવાલા સિદ્ધો શાશ્વત કાળ પર્યંત રહે છે. ૨ ઉત્તરકાળવાચી ધાત્વર્થની સાથે સમાનકર્તાવાળા પૂર્વકાળવાચી ધાતુથી બીજા ધાતુનો સંબંધ હોય ત્યારે ‘ત્વા’ પ્રત્યય થાય છે. જુઓ સિદ્ધ ૫-૫-૪૭ 3
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy