________________
श्री प्रज्ञापना सूत्र भाग १
प्रथम पद मंगल શાસ્ત્રના પ્રારંભમાં પ્રયોજનાદિ ત્રણ બાબત તથા ઈષ્ટ અર્થની સિદ્ધિ માટે મંગલ પણ અવશ્ય કહેવું જોઈએ.” પ્રયોજન-તેમાં પ્રયોજનના બે પ્રકાર છે. પર–અનન્તર અને અપર–પરંપર. વળી એક એકના બબ્બે પ્રકાર છે – કત સંબંધી અને શ્રોતા સંબંધી દ્રવ્યાર્થિક નયના મતનો વિચાર કરતા (અર્થની અપેક્ષાએ) શાસ્ત્ર નિત્ય હોવાથી તેનો કર્તા નથી. એ સંબંધ કહ્યું છે કે –“પણા દિશા વિનાસીદ્ન મવતિ યુવા નિત્યા શાવતી . આ દ્વાદશાંગી કયારે પણ થઈ નથી, થશે નહિ અને થતી નથી એમ નહિ, પરંતુ ધ્રુવ, નિત્ય અને શાશ્વતી છે.” પર્યાયાર્થિક નયના મતનો વિચાર કરતાં શાસ્ત્ર (શબ્દરચના રૂપ હોવાને લીધે).અનિત્ય હોવાથી તેનો કર્તા અવશ્ય છે. તત્ત્વનો (પ્રમાણનો) વિચાર કરતાં આગમ સૂત્ર અને અર્થ ઉભય રૂપ હોવાથી અર્થની અપેક્ષાએ નિત્ય અને સૂત્રની અપેક્ષાએ અનિત્ય હોવાથી તેના કર્તાપણાની કથંચિત્ સિદ્ધિ થાય છે. તેમાં સૂત્રના કર્તાનું અનન્તર પ્રયોજન પ્રાણીઓ ઉપર ઉપકાર કરવાનું અને પરંપર પ્રયોજન મોક્ષની પ્રાપ્તિ છે. કહ્યું છે કે – “સર્વોત્તોપવેશન, યઃ સવા નામનુકામ રતિ કુહતતાનાં, તે પ્રોહિબ્રુિવમ્ " જે સર્વ કહેલા ઉપદેશ વડે દુઃખથી પીડિત થયેલા પ્રાણીઓ ઉપર ઉપકાર કરે છે તે થોડા કાલમાં મોક્ષ પ્રાપ્ત કરે છે.
આગમના અર્થનું પ્રતિપાદન કરનારા અહિતોને શું પ્રયોજન છે? કઈ પણ નથી. કારણ કે તે કૃતકૃત્ય છે. પ્રયોજન સિવાય અર્થના પ્રતિપાદન કરવાનો પ્રયાસ નિર્દેતક છે – એ શંકા ન કરવી. કારણ કે અર્થને પ્રતિપાદન કરવાનો પ્રયત્ન તીર્થંકરનામકર્મના વિપાકોદયથી થાય છે. એ સંબંધમાં કહ્યું છે કે –“તે વ વેજ્ઞ? તાપ દેસળ ૪" તે તીર્થંકરનામ કર્મ કેમ વેદાય? ગ્લાનિરહિતપણે ધર્મદેશના આપવાથી વેદાય છે.
શ્રોતાનું અનન્તર પ્રયોજન પ્રસ્તુત અધ્યયનના અર્થનું જ્ઞાન અને પરંપર પ્રયોજન મોક્ષપ્રાપ્તિ છે. તેઓ (શ્રોતાઓ) પ્રસ્તુત અધ્યયનને અર્થથી સારી રીતે જાણીને સંસારથી વિરક્ત થાય છે, વિરક્ત થયેલા તેઓ સંસારથી નીકળવાની ઇચ્છાવાળા થઈ સંયમમાર્ગમાં આગમને અનુસરી સમ્યક પ્રવૃત્તિ કરે છે, અને પ્રવૃત્ત થયેલા તેઓને સંયમના ઉત્કર્ષ વડે સર્વ કર્મનો ક્ષય થવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. “સમાવપરિજ્ઞાનાતિતા અવતો નન: શિયાડડેસવતા વિપ્નન, છત્તિ પરમાં તિમા" સમ્યમ્ભાવના જ્ઞાનથી (સંસારથી) વિરક્ત જીવો હોય છે. જેઓ ક્રિયામાં આસક્ત હોય છે તેઓ વિઘ્ન રહિત પરમ ગતિને પામે છે. અભિધેય - અહીં જીવ અને અજીવનું સ્વરૂપ અભિધેય છે. અને તે પહેલાં પ્રજ્ઞાપના શબ્દની વ્યુત્પત્તિથી જણાવેલું છે. સંબન્ધ – સંબન્ધ બે પ્રકારનો છે. ઉપાયોપેયભાવ (કાર્યકારણભાવ) અને ગુરુપક્રમલક્ષણ. તેમાંની પ્રથમ ઉપાયોપેયભાવે સંબન્ધ તર્કનુસારી શિષ્યને ઉદેશીને કહેલો છે. કેમ કે શબ્દરચના રૂપ આ સૂત્ર ઉપાય-બોધનું કારણ છે અને તેનું પરિજ્ઞાન ઉપેય (કાર્ય) છે-એ તર્કગમ્ય છે. ગુરુપર્વક્રમલક્ષણ સંબન્ધ કેવળ શ્રદ્ધાનુસારી શિષ્યને અનુલક્ષીને કહેલો છે, તેને સૂત્રકાર પોતેજ આગળ કહેશે. મંગલ -આ પ્રજ્ઞાપના સૂત્ર સમ્યજ્ઞાનનું કારણ હોવાથી અને તેથી તે પરંપરાએ મોક્ષપદનું સાધન હોવાથી શ્રેયરૂપ છે. તેથી તેમાં વિઘ્ન ન આવે માટે, વિપ્નના સમૂહની શાંતિ માટે અને શાસ્ત્ર મંગલરૂપ છે એમ શિષ્યને જણાવવા માટે સ્વતઃ મંગલ રૂપ છતાં પણ શાસ્ત્રની આદિમાં, મધ્યમાં અને અન્ત મંગલ કહેવું જોઈએ. શાસ્ત્રની આદિમાં કરેલું મંગલ નિર્વિઘ્નપણે શાસ્ત્રની પાર પામવા માટે છે, મધ્ય મંગલ ગ્રહણ કરેલા શાસ્ત્રાર્થને સ્થિર કરવા માટે છે, અને અન્ય મંગલ શિષ્ય-પ્રશિષ્યાદિની પરંપરા વડે તેનો વિચ્છેદ ન થાય તે માટે કરેલું છે. એ સંબંધમાં કહ્યું છે કે –તે મામા મડ઼ે પતા ય સંસ્થા પઢમં सत्थत्थाविग्घपारगमणाय निद्दिष्टुं ॥१॥ तस्सेव य थेज्जत्थं मज्झिमयं अन्तिमंपि तस्सेव। अव्वोच्छित्तिनिमित्तं સિપલસાફવંસ ારા “શાસ્ત્રની આદિમાં, મધ્યમાં અને અન્તમાં મંગલ કરવું જોઇએ, તેમાં આદિ મંગલ શાસ્ત્રને અર્થનો નિર્વિઘ્નપણે પાર પામવા માટે છે.|૧|| ગ્રહણ કરેલા શાસ્ત્રાર્થની સ્થિરતા માટે મધ્યમ મંગલ છે અને અન્તિમ મંગલ