SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ अर्हम् श्रीमदार्यश्यामाचार्य विरचित प्रज्ञापनासूत्र अनुवाद अने आचार्य भगवंत श्री मलयगिरिजी विरचित टीकाना अनुवाद सहित [सुत्तं १ मंगलं अभिधेयं च] ['नमो अरिहंताणं। नमो सिद्धाणं। नमो आयरियाणं। नमो उवज्झायाणं। नमो लोए सव्वसाहूणं।] [एसो पंच नमुक्कारो। सव्वपावप्पणासणो। मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगल।।] ટીવારવૃત મંત जयति नमदमरमुकुटप्रतिबिम्बच्छद्मविहितबहुरूपः। उद्धर्तुमिव समस्तं विश्वं भवपङ्कतो वीरः।।१।। जिनवचनामृतजलधिं वन्दे यद्विन्दुमात्रमादाय। अभवन्नूनं सत्त्वा जन्म-जरा-व्याधिपरिहीणाः ॥२॥ प्रणमत गुरुपदपङ्कजमधरीकृतकामधेनुकल्पलतम्। यदुपास्तिवशान्निरुपममश्नुवते ब्रह्म तनुभाजः ।।३।। जडमतिरपि गुरुचरणोपास्तिसमुद्भूतविपुलमतिविभवः। समयानुसारतोऽहं विदधे प्रज्ञापनाविवृतिम् ।।४।। નમસ્કાર કરતા દેવોના મુકુંટમાં પડેલા પ્રતિબિંબના બહાનાથી ભવપકથી સર્વ જગતને ઉદ્ધાર કરવા માટે હોય નહી એમ જેણે બહુ રૂપો કર્યા છે એવા શ્રી મહાવીર ભગવંતનો જય થાઓ. ||૧| જિનવચન રૂપી અમૃતના સમુદ્રને વંદન કરું છું. કે જેનું બિન્દુમાત્ર ગ્રહણ કરી જીવો જન્મ, જરા અને વ્યાધિ રહિત થાય 'છે. આરો. કામધેનુ અને કલ્પલતાથી પણ શ્રેષ્ઠ એવા ગુરુના ચરણકમલને પ્રણામ કરી, કારણ કે તેની ઉપાસનાથી પ્રાણીઓ નિરુપમ એવા બ્રહ્મને-મોક્ષને પ્રાપ્ત થાય છે.. જડબુદ્ધિવાળો છતાં પણ ગુરુના ચરણની ઉપાસનાથી વિપુલમતિવાળો થઇને હું બીજા શાસ્ત્રોને અનુસરી આ પ્રજ્ઞાપના સૂત્રની ટીકા કરું છું. જા પ્ર-પ્રકર્ષણ શાખન્ને અનયા - સર્વ અન્ય ધર્મવાળાઓના ધર્મપ્રરૂપકોને અસાધ્ય એવા યથાર્થ સ્વરૂપના નિરૂપણદ્વારા જેના વડે જીવાજીવાદિ પદાર્થો જણાવાય-શિષ્યની બુદ્ધિમાં ઉતારાય તે પ્રજ્ઞાપના. - આ પ્રજ્ઞાપના સૂત્ર “સમવાય' નામે ચોથા અંગનું ઉપાંગ છે. કારણ કે તે તેમાં કહેલા અર્થનું પ્રતિપાદન કરે છે. સમવાયાંગમાં કહેલા અર્થનું અહીં પ્રતિપાદન કરવું નિરર્થક છે એમ શંકા ન કરવી, કારણ કે તેમાં પ્રતિપાદન કરેલા અર્થનું અહીં વિસ્તારથી પ્રતિપાદન કરવું તે મન્દબુદ્ધિવાળા શિષ્યના ઉપર ઉપકાર કરવા માટે હોવાથી સાર્થક છે. આ ઉપાંગ પણ પ્રાયઃ સર્વ જીવાજીવાદિ પદાર્થનું શાસન (ઉપદેશ) કરતું હોવાથી શાસ્ત્ર છે અને તેથી તેના પ્રારંભમાં બુદ્ધિમાન પુરુષોની પ્રવૃત્તિ થવા માટે પ્રયોજન,વિષય, અને સંબંધ, એ ત્રણ બાબત અને મંગલનું અવશ્ય પ્રતિપાદન કરવું જોઈએ, કહ્યું છે કે-“pક્ષાવતાં પ્રવૃnી, પત્તાહિત્રિય સુરમાં મતં વૈવ શાસ્ત્રાવી, વામદાર્થસિદ્ધ II બુદ્ધિમાનોની પ્રવૃત્તિ થવા માટે १. श्री हरिभद्रसूरि-श्री मलयगिरिपादाभ्यां स्वस्ववृत्तावव्याख्यातोऽप्ययं पञ्चपरमेष्ठिनमस्कारः ग्रन्थादौ मङ्गलार्थमुपन्यस्तः सर्वेष्वपि मूलसूत्रादर्शेषूपलभ्यते।
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy