SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ बारसमं सरीरपयं मणुस्साणं बद्ध-मुक्कसरीरपरूवणा श्री प्रज्ञापना सूत्र भाग १ અવસર્પિણી વડે સંપૂર્ણ પ્રત૨ અપહરાય છે. અહીં ‘પ્રતર’ અપહરાય છે. એ ક્ષેત્રને આશ્રયી પરિમાણ કહ્યું અને ‘ઉત્સર્પિણી અને અવસર્પિણી વર્ડ' કાળને આશ્રયી પરિમાણ કહેલું છે. હવે કેટલા ક્ષેત્ર વડે અને કેટલા કાળે અપહાર થાય છે? તેથી કહે છે—‘અંગુતપવરસ્સ આવળિયાણ્ ય અસંવેન્ગમા પત્તિમાનેળ' એક પ્રદેશની શ્રેણિરૂપ અંગુલમાત્ર પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ખંડ વડે અપહાર થાય છે, આ ક્ષેત્રને આશ્રયી પરિમાણ કહ્યું અને ‘આવલિકાના અસંખ્યાતમા ભાગરૂપ ખંડ વડે અપહરાય છે’ એ કાળને આશ્રયી પરિમાણ છે. ભાવાર્થ એ છે કે એક બેઇન્દ્રિય વડે અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણખંડ આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળે અપહરાય છે, બીજા વડે પણ તેટલો ખંડ તેટલા કાળે અપહરાય છે, એમ બધા બેઇન્દ્રિયો વડે અપહાર કરાતાં સમગ્ર પ્રતર અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળે અપહરાય છે. મુક્ત શરીરો સામાન્ય મુક્તની પેઠે જાણવા. બદ્ધ તૈજસ અને કાર્યણ શરીરો બદ્ધ ઔદારિકની પેઠે જાણવાં. બદ્ધ વૈક્રિય શરીરો તેઓને નથી, મુક્ત વૈક્રિય શરીરો મુક્ત વૈક્રિયની જેમ જાણવાં. એ પ્રમાણે બેઇન્દ્રિયો, તેઇન્દ્રિયો અને ચઉરિન્દ્રિયો સંબન્ધે પણ જાણવું. તિર્યંચ પંચેન્દ્રિયોને બદ્ધ અને મુક્ત ઔદારિક શરીરો બેઇન્દ્રિયોની પેઠે જાણવાં. તેઓને બદ્ધ વૈક્રિય શરીરો અસંખ્યાતાં છે. તેમાં તેઓ કાળથી પરિમાણના વિચારોમાં ‘અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી કાળે અપહરાય છે. ક્ષેત્રથી અસંખ્યાતી શ્રેણિઓમાં જેટલા આકાશપ્રદેશો છે તેટલાં છે. તે શ્રેણિઓનું પરિમાણ પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. તે પ્રમાણે સૂત્રકાર કહે છે‘નહા અસુમારાળું' ઇતિ. જેમ અસુકુમારોને કહ્યું તેમ કહેવું. પરન્તુ એટલું વિશેષ છે કે વિષ્ફભસૂચીના પરિમાણના વિચારમાં અસુકુમારોને અંગુલપ્રમાણ ક્ષેત્રના વર્ગમૂલનો સંખ્યાતમો ભાગ કહ્યો છે, પણ અહીં અસંખ્યાતમો ભાગ જાણવો. તાત્પર્ય એ છે કે અંગુલપ્રમાણ આકાશક્ષેત્રના પ્રદેશોનું જે પ્રથમ વર્ગમૂલ તેના અસંખ્યાતમા ભાગે જેટલા આકાશપ્રદેશો છે તેટલા પ્રદેશોની સૂચિ ગ્રહણ કરવી. અને તે સૂચી વડે સ્પર્શ કરાયેલી શ્રેણિઓના જેટલા આકાશપ્રદેશો છે તેટલા તિર્યંચ પંચેન્દ્રિયોના બદ્ધ વૈક્રિય શરીરો છે. કહ્યું છે કે ‘‘અંગુતમૂળાસંલેન્સમા મિયા ૩ હોતિ સેન્દ્રિયો ઉત્તરવિડન્દ્રિયાન 'તિરિયાળ સન્નિપ—ાળ''। ઉત્તર વૈક્રિયવાળા સંશી પર્યાપ્તા તિર્યંચોને અંગુલના વર્ગમૂળના અસંખ્યાતમા ભાગપ્રમાણ શ્રેણિઓ હોય છે. મુક્ત । વૈક્રિય શરીરો સામાન્ય મુક્ત શરીરની પેઠે જાણવાં. બદ્ધ તૈજસ અને કાર્યણ શરીરો બદ્ધ ઔદારિક શરીરની પેઠે જાણવાં. અને મુક્ત તેજસ અને કાર્યણ શરીરો સામાન્ય મુક્ત તૈજસ કાર્પણ શરીરોની પેઠે જાણવાં. ॥૭૪૧૨॥ || મનુસ્સાનું દ્વન્દ્વ–મુવસરીરપરુવળા || साणं भंते! केवइया ओरालियसरीरगा पन्नत्ता ? गोयमा ! दुविहा पन्नत्ता, तं जहा - बद्धेल्लगा य मुक्केल्लगा य। तत्थ णं जे ते बद्धेल्लगा ते णं सिय संखिज्जा सिय असंखिज्जा, जहण्णपदे संखेज्जा, संखेज्जाओ कोडाकोडीओ, तिजमलपयस्स उवरिं चउजमलपयस्स हिट्ठा, अहवणं छट्टो वग्गो पंचमवग्गपडुप्पन्नो, अहवणं छण्णउईछेयणगदाई रासी, ठक्कोसपर असंखिज्जा, असंखिज्जाहिं उस्सप्पिणि-ओसप्पिणीहिं अवहीरंति कालतो, खेत्तओ रूवपक्खित्तेहिं मणुस्सेहिं सेढी अवहीर, तीसे सेढीए कालखेत्तेहिं अवहारो मग्गिज्जइ[असंखेज्जा] असंखेज्जाहिं उस्सप्पिणि ओसप्पिणीहिं कालतो, खेत्ततो अंगुलपढमवग्गमूलं तइयवग्गमूलपडुप्पण्णं। तत्थ णं जे ते मुक्केल्लगा ते जहा ओरालिया ओहिया मुक्केल्लगा। वेडव्वियाणं भंते! पुच्छा। गोयमा ! दुविहा पन्नत्ता, तं जहा- बद्धेल्लगा य मुक्केल्लगा य । तत्थ णं जे ते बद्धेल्लगा ते णं संखिज्जा, समए २ अवहीरमाणा २ संखेज्जेणं कालेणं अवहीरंति, नो चेव णं अवहिरिया सिया । तत्थ णं जे ते मुक्केल्लगा णं जहा ओरालिया ओहिया । आहारगसरीरा जहा ओहिया । तेया- कम्मगा जहा एतेंसि चेव ओरालिया । 417
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy