________________
श्री प्रज्ञापना सूत्र भाग १ बारसमं सरीरपयं विंगलिंदियाणं-पंचिंदियतिरिक्खाणं बद्ध-मुक्कसरीरपरूवणा
બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ શરીરો છે તે અસંખ્યાતા છે અને કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણી વડે અપહરાય છે. ક્ષેત્રથી પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અસંખ્યાતી શ્રેણિઓ જાણવી. તે શ્રેણિઓ વિખ્રભસૂચી અસંખ્યાતા કોટા કોટી યોજન પ્રમાણ અથવા અસંખ્યાતા શ્રેણિના વર્ગમૂલ પ્રમાણ જાણવી. બેઈન્દ્રિયોના બદ્ધ દારિક શરીરોથી ક્ષેત્રને આશ્રયી અંગુલપ્રમાણ (એક પ્રદેશરૂપ) પ્રતરખંડ વડે અને કાલથી આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ખંડ વડે (એક એક શરીરનો અપહાર કરતા) અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળે સમગ્ર પ્રતર અપહરાય છે. અર્થાત્ ક્ષેત્રથી અંગુલ પ્રમાણ એક પ્રદેશના પ્રતર ખંડ વડે અને કાળથી આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ખંડ વડે એક એક શરીરનો અપહાર કરતા અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં બધા બેઈન્દ્રિયોના શરીરો અપહરાય છે. તેમાં જે મુક્ત શરીરો છે તે વિક–સામાન્ય ઔદારિક મુક્ત શરીરોની પેઠે જાણવાં. વૈક્રિય અને આહારક બદ્ધ શરીરો નથી, અને મુક્ત શરીરો સામાન્ય દારિક મુક્ત શરીરની પેઠે જાણવાં. તેજસ અને કાર્પણ એઓના જ સામાન્ય ઔદારિક શરીરોની પેઠે કહેવાં. એ પ્રમાણે વાવ-ચઉરિંદ્રિયો સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યંચોને એમજ સમજવું. પરન્તુ વૈક્રિય શરીરોમાં આ વિશેષતા છે-હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચોને કેટલા પ્રકારના વરિય શરીરો કહ્યાં છે? હે ગૌતમ! બે પ્રકારના કહ્યાં છે. તે આ પ્રમાણે–બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ શરીરો છે તેઓ અસંખ્યાતા છે-ઈત્યાદિ અસુરકુમારની પેઠે જાણવું. પરન્તુ તે શ્રેણિઓની વિખ્રભસૂચિ અંગુલના
પ્રથમ વર્ગમૂલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જાણવી. મુક્તશરીરો તેમજ જાણવાં. ૭૪૧૨/ (ટી૦) બેઇન્દ્રિયસૂત્રમાં બદ્ધ દારિક શરીરો અસંખ્યાતા છે, તેથી કાળને આશ્રયી પરિમાણના વિચારમાં અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી વડે અપહરાય છે. એટલે અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણીના જેટલા સમયો છે તેટલાં બદ્ધ
દારિક શરીરો છે. ક્ષેત્રથી અસંખ્યાતી શ્રેણિઓ છે-એટલે અસંખ્યાતી શ્રેણિમાં જેટલા આકાશપ્રદેશો છે તેટલા છે. તે શ્રેણિઓના પરિમાણ વિશેષનો નિર્ણય કરવા માટે કહે છે–પ્રતરા સંયેય:–પ્રતરના અસંખ્યાતમા ભાગરૂપ છે. એટલે પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અસંખ્યાત શ્રેણિઓ ગ્રહણ કરવી. પ્રતરનો અસંખ્યાતમો ભાગ નરયિક અને ભવનપતિઓને પણ કહ્યો છે, માટે વિશેષતર પરિમાણનું નિરૂપણ કરવા માટે સૂચીનું પ્રમાણ કહે છે– તાસિ | તેરી' ઇત્યાદિ. તે શ્રેણિઓના પરિમાણનો નિશ્ચય કરવા માટે જે વિખ્રભસૂચી છે તે અસંખ્યાતા કોટાકોટી યોજન પ્રમાણ જાણવી. અથવા બીજું વિશેષથી પરિમાણ કહે છે–‘મહેનારું વિમસૂતા–અસંખ્યાતા શ્રેણિના વર્ગમૂલ પ્રમાણ છે. તાત્પર્ય એ છે કે એક સંપૂર્ણ શ્રેણિના પ્રદેશ રાશિનું પ્રથમ વર્ગમૂલ, બીજું, ત્રીજું એમ અસંખ્યાતમા વર્ગમૂલ સુધી સર્વ વર્ગમૂલો એકત્ર સંકલિત કરવા અને સંકલિત કરેલા તે બધાના જેટલા પ્રદેશો થાય તેટલા પ્રદેશપ્રમાણ વિખ્રભસૂચિ જાણવી. અહીં આ દૃગંત છે–શ્રેણિમાં અસંખ્યાતા પ્રદેશો હોવા છતાં પણ અસત્કલ્પનાએ ૬૫૫૩૬ પાંસઠ હજાર પાંચસો અને છત્રીશ કલ્પવા. તેનું પ્રથમ વર્ગમૂલ બસો ને છપ્પન ૨૫૬, બીજું સોળ ૧૬, ત્રીજું ચાર ૪, અને ચોથું વર્ગમૂલ બે ૨, એઓનું સંકલન-સરવાળો કરતાં બસો ને અઠ્યોતેર ૨૭૮ થાય. અસત્કલ્પના વડે એટલા પ્રદેશોની સૂચિ જાણવી. હવે એ બેઇન્દ્રિય જીવો કેટલી અવગાહના વડે વ્યાપ્ત થતા કેટલા કાળે સંપૂર્ણ પ્રતરને વાત કરે? ઉત્તર-અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અવગાહના વડે એક એક આવલિકાના અસંખ્યાતમા ભાગમાં એક એક અવગાહનાની રચના કરવાથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી વડે સંપૂર્ણ પ્રતર વ્યાપ્ત કરે છે. તાત્પર્ય આ છે–એક એક આવલિકાના અસંખ્યાતમા ભાગમાં એક એક અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અવગાહનાની રચના કરાય છે. અને તેથી અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળે બેઇન્દ્રિયોના શરીર વડે સંપૂર્ણ પ્રતર વ્યાપ્ત થાય છે. એજ બાબત સૂત્રકાર કહે છે–‘વેરિયાળ' ઇત્યાદિ. બેઈન્દ્રિયોના બદ્ધ ઔદારિક શરીરોથી અસંખ્યાતી ઉત્સર્પિણી અને
416