________________
श्री प्रज्ञापना सूत्र भाग १
बारसमं सरीरपयं ओहेण बद्ध-मुक्कसरीरपण्णत्ता શરીરનો અપહાર કરવા વડે અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણી વડે બધાં શરીરો અપહરાય. તાત્પર્ય એ છે કે– અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણીના જેટલા સમયો થાય તેટલાં બદ્ધ–જીવોએ ગ્રહણ કરેલાં ઔદારિક શરીરો છે. આ કાળથી પરિમાણ કહ્યું. હવે ક્ષેત્રને આશ્રયી પરિમાણ કહે છે—‘શ્વેત્તો અસંવેન્ગાલો'-ક્ષેત્રથી તેઓની સંખ્યા અસંખ્યાતા લોકપ્રમાણ છે. તાત્પર્ય એ છે કે—બધાં ઔદારિક શરીરો પોતપોતાની અવગાહના વડે આકાશપ્રદેશોમાં જુદાં જુદાં અનુક્રમે સ્થાપીએ તો એ પ્રમાણે સ્થાપેલાં તે શરીરો વડે અસંખ્યાતા લોકો વ્યાપ્ત થાય. અહીં એક એક આકાશપ્રદેશને વિષે પણ એક એક ઔદારિક શરીર સ્થાપવા વડે અસંખ્યાતા લોકો વ્યાપ્ત થાય છે, પરંતુ પૂર્વાચાર્યો પોતાની અવગાહનાની સ્થાપના વડે પ્રરૂપણા કરે છે તેથી અપસિદ્ધાન્તનો દોષ પ્રાપ્ત ન થાય માટે અમે પણ તે જ પ્રમાણે પ્રરૂપણા કરીએ છીએ. એ સંબન્ધુ ચૂર્ણિકા૨ પણ કહે છે –‘જો કે એક એક આકાશપ્રદેશમાં એક એક શરીર સ્થાપીએ તોપણ અસંખ્યાતા લોકો થાય, પરંતુ અપસિદ્ધાન્ત દોષનો ત્યાગ કરવા માટે પોતપોતાની અવગાહના વડે સ્થાપન કરાય છે.' અહીં શંકા કરે છે—‘અનન્તા જીવો છે, તો અસંખ્યાતા ઔદારિક શરીરો કેમ હોય? ઉત્તર-અહીં બે પ્રકારના જીવો છે–પ્રત્યેક શરીરવાળા અને અનન્તકાયિકો. તેમાં જેઓ પ્રત્યેકશ૨ી૨ી છે તેઓમાં એક એક જીવને એક એક ઔદારિક શરીર હોય છે, જો એમ ન હોય તો પ્રત્યેકશરી૨ી ન કહેવાય. જે અનન્તકાયિક જીવો છે તેઓમાં અનન્ત અનન્ત જીવોને એક એક ઔદારિક શરીર હોય છે, માટે બધી સંખ્યા વડે પણ અસંખ્યાતા ઔદારિક શરીરો હોય છે. જીવોએ મુક્ત–ત્યાગ કરેલા ઔદારિક શરીરો અનન્ત છે. તે અનન્તપણાનું કાળ, ક્ષેત્ર અને દ્રવ્ય વડે નિરૂપણ કરે છે—‘અનંતાહિઁ' ઇત્યાદિ. કાળથી પરિમાણ-પ્રતિસમય એક એક શરીરનો અપહાર કરીએ તો અનન્ત ઉત્સર્પિણી અને અવસર્પિણી વડે સર્વથા અપહરાય છે. તાત્પર્ય એ છે કે અનન્ત ઉત્સર્પિણી અને અવસર્પિણીના જેટલા સમયો થાય તેટલા મુક્ત-ત્યાગ કરેલાં ઔદારિક શરીરો છે. ક્ષેત્રથી પરિમાણ અનન્ત લોક છે, અનન્તલોક પ્રમાણ આકાશખંડોમાં જેટલાં આકાશપ્રદેશો છે તેટલાં છે. દ્રવ્યથી પરિમાણ–અભવ્યોથી અનન્તગુણા છે. જો એમ છે તો તે શરીરો સિદ્ધોની રાશિ જેટલાં થાય, તે માટે સૂત્રકાર કહે છે–સિદ્ધોના અનન્તમા ભાગ જેટલા છે. (પ્ર0)–અહીં અભવ્ય અને સિદ્ધના બન્ને રાશિ વચ્ચે પતિત સમ્યગ્દષ્ટિ જીવો કહ્યા છે, તો ત્યાગ કરેલા ઔદારિક શરીરો તેના જેટલાં છે? (ઉ0)–જો તેટલાં હોત તો સૂત્રકાર તેમજ નિર્દેશ કરત, કારણ કે ભગવન્ત આર્ય શ્યામે શિષ્યને સુખપૂર્વક બોધ થાય તેવા પ્રકારની સૂત્રરચના કરવાની પ્રતિજ્ઞા કરી છે, તો તેવા પ્રકારનો નિર્દેશ નહિ કરવાથી જણાય છે કે પતિત સમ્યગ્દષ્ટિની રાશિ જેટલાં નથી. (પ્ર0)–જો તે રાશિ જેટલાં ન હોય તો પતિત સમ્યગ્દષ્ટિના રાશિથી ન્યૂન હોય કે અધિક હોય? તેનો ઉત્તર એ છે કે કદાચ તે રાશિથી ન્યૂન હોય, કદાચ અધિક કે કદાચ તુલ્ય હોય. કારણ કે તેનું અનિયત પ્રમાણ હોય છે, પરન્તુ હમેશાં તેટલું પ્રમાણ ન હોય. એ સંબન્ધુ ચૂર્ણિકાર કહે છે—‘તો શું પડેલા સમ્યગ્દષ્ટિઓના રાશિપ્રમાણ અનન્ત હોય? કારણ કે તેઓ બન્ને રાશિની વચ્ચે કહેલા છે. અહિં ઉત્ત૨ કહે છે—જો તેના જેટલા હોત તો તેનોજ નિર્દેશ કર્યો હોત, માટે તેના જેટલા નથી. તો શું તેની નીચે હોય કે ઉ૫૨ હોય? ઉત્ત૨– “કદાચિત્ નીચે હોય, કદાચિત્ ઉપર હોય, કે કદાચિત્ તુલ્ય હોય, પણ હમેશાં તેના જેટલા ન હોય. અહીં અન્ય શંકા કરે છે– –‘મુક્ત શરીરો ઉ૫૨ કહેલ અનન્તસંખ્યાના પરિમાણવાળાં કેમ ઘટે? કારણ કે જો ઔદારિકાદિ શરીરો જ્યાં સુધી અખંડિત હોય ત્યાં સુધી જ ગ્રહણ કરીએ તો તેઓની અનન્ત કાળ સુધી સ્થિતિ નહિ હોવાથી અનન્તપણું નહિ ઘટી શકે? જો અનન્ત કાળ સુધી રહે તો તો અનન્ત કાળે તેની ગણના કરતાં અનન્તા થાય, પણ અનન્ત કાળ સુધી તેઓની સ્થિતિ હોતી નથી, કારણ કે પુદ્ગલોની ઉત્કૃષ્ટથી પણ અસંખ્યાતા કાળ સુધી સ્થિતિ કહેલી છે. જે પુદ્ગલો જીવે ઔદારિક શ૨ી૨૫ણે ગ્રહણ કરીને અતીત કાળે છોડ્યાં છે, તેઓનું ગ્રહણ થાય તો બધા જીવોમાં પ્રત્યેક જીવે બધા પુદ્ગલો ઔદારિકપણે ગ્રહણ કરીને મૂક્યાં છે, તેથી સર્વ પુદ્ગલોનું ગ્રહણ થાય અને એમ હોય તો જે કહ્યું છે કે ‘અભવ્યથી અનન્તગુણ અને સિદ્ધોના અનન્તમા ભાગ પ્રમાણ છે' તે વિરુદ્ધ ઠરે છે. કારણ કે સર્વ જીવોથી અનન્તાનન્તગુણા પુદ્ગલોના ગ્રહણનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. ઉત્તર–અહીં કેવળ અખંડિત મુક્ત ઔદારિક શરીરોનું ગ્રહણ નથી, તેમજ ઔદારિક શ૨ી૨પણે ગ્રહણ કરીને મૂકેલા સર્વ પુદ્ગલોનું પણ
408.