________________
भाषापद परिशिष्ट
श्री प्रज्ञापना सूत्र भाग १
છે, તેથી અસંખ્યાતગુણા અસત્યભાષી છે, કારણ કે ક્રોધાધીન અને બીજાને છેતરવા વગેરેના અભિપ્રાયવાળા ઘણા હોય છે, અને તેઓ અસત્યભાષી હોય છે. તેથી અસંખ્યાતગુણા અસત્યામૃષાભાષી છે. કારણ કે બેઇન્દ્રિયાદિ જીવો અસત્યામૃષા ભાષા બોલે છે. તેથી અનન્તગુણા અભાષક છે, કારણ સિદ્ધો અને એકેન્દ્રિયો અનન્ત છે.
શ્રીમદાચાર્યમલયગિરિવિરચિત પ્રજ્ઞાપના ટીકાના અનુવાદમાં અગિયારમું ભાષાપદ સમાપ્ત.
'भाषापद परिशिष्ट
મોક્ષના અર્થીએ ભાષાની વિશુદ્ધિ અવશ્ય કરવી જોઇએ, કારણ કે ભાષાસમિતિ અને વચનગુપ્તિ એ બન્ને ભાષાની વિશુદ્ધિને અધીન છે, ભાષાસમિતિ અને વચનગુપ્તિ ચારિત્રનું અજ્ઞ છે, અને ચારિત્ર મોક્ષનું કારણ છે. અહીં આ શા ન કરવી કે ‘વચનના વિભાગમાં કુશલતા રહિત આત્માને કેવળ મૌન માત્રથી વચનગુપ્તિ સિદ્ધ થાય છે, કારણ કે સર્વથા મૌન ધારણ કરવામાં વ્યવહારનો ઉચ્છેદ થાય, વળી વચનના વિવેકમાં અકુશલ આત્મા ગુપ્તિનો અનધિકારી છે. એ સંબન્ધે કહ્યું છે કે “વચનનો વિવેક કરવામાં અનભિજ્ઞ અને વચન સંબન્ધ બહુ પ્રકારને નહિ જાણતો આત્મા જો કે કંઇપણ ન બોલે તોપણું તે વચનગુપ્તિને પ્રાપ્ત થયેલો નથી.” પરંતુ વચનગુપ્તિ રહિત હોવા છતાં વચનગુપ્તિના અભિમાનાદિથી દોષને જ પ્રાપ્ત થાય છે. એ સંબન્ધે કહ્યું છે કે “આહ-નફ માસમાળસ્ત્રોતો તો મોળ વાય∞ા આયરિઓ મળફ-મોળવિ અનુવાળ ળનાળમ્સ ડોસો મવક્"ત્તા અહીં પૂર્વપક્ષી કહે છે કે જો બોલનારને દોષ લાગે તો મૌન ધારણ કરવું જોઇએ. આચાર્ય કહે છે કે મૌન પણ અનુપાય-કારણ સિવાય કરનારને દોષ લાગે છે. વિશુદ્ધિ વડે લાંબા કાળ સુધી બોલનારને પણ ધર્મના ઉપદેશદાનાદિ વડે ગુણ જ થાય છે. તે માટે આ કહ્યું છે કે—“વયવિમત્તિસનો વયોયં બહુવિહં વિયાગંતો વિસંપિ માસમાળો તહા વિ નવમુત્તયં પત્તો" વચનનો વિવેક કરવામાં કુશલ અને વચન સંબન્ધી બહુ પ્રકા૨ને જાણતો આત્મા આખો દિવસ બોલે તોપણ વચનગુપ્તિને પ્રાપ્ત થયેલો છે.
ભાષાના ચાર પ્રકારનામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચા૨ નિક્ષેપ વડે ભાષાના ચાર પ્રકાર છે—નામભાષા, સ્થાપનાભાષા, દ્રવ્યભાષા અને ભાવભાષા. કોઇ જીવ કે અજીવનું ‘ભાષા’ એવું નામ કરાય તે નામભાષા. પુસ્તક-પત્રાદિમાં લખેલી સ્થાપનાભાષા, દ્રવ્યભાષા આગમથી અને નોઆગમથી એમ બે પ્રકારે છે, અહીં આગમ શબ્દનો અર્થ જ્ઞાન ઇષ્ટ છે. આગમથી ભાષાના અર્થનો જ્ઞાતા અને તે વિષે ઉપયોગ રહિત હોય તે આગમથી દ્રવ્યભાષા. નોઆગમથી દ્રવ્યભાષાના શશ૨ી૨, ભવ્ય શરીર અને તËતિરિક્ત એ ત્રણ પ્રકાર છે. ભાષાના અર્થ જાણનાર પુરુષનું જીવરહિત શરીર તે નોઆગમથી જ્ઞશરીર દ્રવ્ય ભાષા. જે ભવિષ્યમાં ભાષાનો અર્થ જાણવાનો છે એવા પુરુષનું શરીર તે ભવ્ય શરીર. તદ્બતિરિક્ત દ્રવ્ય ભાષાના ત્રણ પ્રકાર છે—ગ્રહણ, નિઃસરણ અને પરાઘાત. તેમાં વચન યોગના પરિણામવાળા આત્માએ ગ્રહણ કરેલાં અને નહિ છોડેલા ભાષાદ્રવ્યો તે ગ્રહણ, કંઠાદિ સ્થાનના પ્રયત્નથી વિભાગપૂર્વક છોડેલા ભાષા દ્રવ્યો તે નિઃસરણ, અને છોડેલા તે ભાષા દ્રવ્યો વડે વાસિત થયેલા ભાષાના પરિણામને યોગ્ય બીજા દ્રવ્યો તે પરાઘાત. એ પ્રમાણે દ્રવ્યભાષાના ત્રણ પ્રકાર છે. અને ઉપયોગવાળાની ભાષા તે ભાવભાષા.
ભાષા દ્રવ્યોને ગ્રહણ કરવાનો પ્રકાર—જીવ ભાષા દ્રવ્યો સ્થિત-સ્થિતિ પરિણામવાળાં ગ્રહણ કરે છે, પણ ગમન પરિણામ વાળાં ગ્રહણ કરતો નથી, જે સ્થિતિ પરિણામવાળાં ગ્રહણ કરે છે તે દ્રવ્યથી અનન્તપ્રદેશવાળાં ગ્રહણ કરે છે, તેથી
૧. શ્રીમદુપાધ્યાય યશોવિજયજીએ પ્રજ્ઞાપના સૂત્રના અગિયારમા ભાષાપદના વિષયને લઇ તેના વિવેચનરૂપે ભાષારહસ્યની રચના કરી છે. તેથી તેમાંથી આ વિષયને સ્પષ્ટ કરવાના હેતુથી પરિશિષ્ટ લેવામાં આવ્યું છે.
395