________________
श्री प्रज्ञापना सूत्र भाग १
एक्कारसमं भासापयं सोलहविहवयणपरूवणाई વગેરે પ્રત્યક્ષવચન-જેમકે “આ છે'. પરોક્ષવચન-જેમકે તે વગેરે. એ સોળ વચનો યથાવસ્થિત વસ્તુ સંબધે જાણવા, પણ કાલ્પનિક ન સમજવા માટે એને સમ્યક ઉપયોગપૂર્વક કહે ત્યારે તે ભાષા પ્રજ્ઞાપની જાણવી. તે બાબત સૂત્રકાર કહે છે– ભગવન્! એ પ્રમાણે એકવચન દ્વિવચન ઈત્યાદિ. તેના અર્થની ભાવના કરી, અક્ષરાર્થ સ્પષ્ટ છે. कति णं भंते! भासज्जाया पण्णत्ता? गोयमा! चत्तारि भासज्जाया पन्नत्ता,तंजहा-सच्चमेगं भासज्जायं? बितियं मोसं भासज्जातं? तइयं सच्चामोसं भासज्जातं, चउत्थं असच्चामोसं भासज्जातं। इच्चेयाई भंते! चत्तारि भासज्जायाई भासमाणे किं आराहते विराहते? गोयमा! इच्चेइयाई चत्तारि भासज्जायाई आउत्तं भासमाणे आराहते, नो विराहते, तेण परं असंजतअविरयअपडिहतअपच्चक्खायपावकम्मे सच्चं वा भासं भासंतो मोसं वा सच्चामोसं वा असच्चामोसंवा भासं भासमाणे नो आराहते, विराहते ।।सू०-३३।।४०४।। મૂ૦) હે ભગવન્! કેટલા ભાષાના પ્રકારો કહ્યા છે? હે ગૌતમ! ભાષાના ચાર પ્રકારો કહ્યા છે, તે આ પ્રમાણે, એક સત્ય
ભાષા, બીજી મૃષા ભાષા, ત્રીજી સત્યમૃષા , ચોથી અસત્યામૃષા. હે ભગવન્! એ પ્રમાણે એ ચાર ભાષાના પ્રકારો બોલનાર આરાધકે છે કે વિરાધક છે? હે ગૌતમ! એ પ્રમાણે એ ચાર ભાષાના પ્રકારને સાવધાનપણે બોલતો આરાધક છે, પણ વિરાધક નથી. તે સિવાય બીજો અસયત, વિરતિરહિત, જેઓનું પાપકર્મ અપ્રતિહત અને અપ્રત્યાખ્યાત
છે એવો સત્યભાષા બોલતો, અસત્ય, સત્યમૃષા કે અસત્યામૃષા બોલતો આરાધક નથી, પણ વિરાધક છે. ૩૭ll૪૦૪ (ટીવ) “હે ભગવન્! કેટલા ભાષાના પ્રકાર છે' ઇત્યાદિ સુગમ છે, પરંતુ આયુક્ત-સાવધાનપણે બોલતો-સમ્યક પ્રવચનની મલિનતાદિને દૂર કરવામાં તત્પરપણે બોલતો હોય, તે આ પ્રમાણે પ્રવચનની નિન્દાના રક્ષણાદિ નિમિત્તે ગૌરવ અને લાઘવનો વિચાર કરી અસત્ય પણ બોલનાર સાધુ આરાધક છે, જે સાવધાનતાપૂર્વક બોલે છે તે સિવાય અન્ય અસંયતમન, વચન અને કાયાના સંયમ રહિત, અવિરત સાવદ્ય વ્યાપારથી જેનું મન નિવૃત્ત થયું નથી એવો, અપ્રતિહત-મિથ્યા દુષ્કત આપવું, પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરવો, ઇત્યાદિ વડે જેણે અતીત કાળનું પાપ નાશ કર્યું નથી, તથા અપ્રત્યાખ્યાતફરીથી નહિ કરવા વડે ભવિષ્યકાળના પાપ કર્મનું પ્રત્યાખ્યાન જેણે નથી કર્યું એવો સત્યાદિ કોઈપણ ભાષાને બોલતો આરાધક નથી. li૩૭l૪૦૪ एतेसिणं भंते! जीवाणंसच्चभासगाणं मोसभासगाणंसच्चामोसभासगाणं असच्चामोसभासगाणंअभासगाण य कयरे कयरेहितोअप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा जीवा सच्चभासगा, सच्चामोसभासगा असंखिज्जगुणा, मोसभासगा असंखेज्जगुणा,असच्चामोसभासगा असंखेज्जगुणा,अभासगा અiતાળ તૂ૦-૨૪૪૦૧/l.
पण्णवणाए भगवईए एक्कारसमं भासापदं समत्तं। (મૂળ) હે ભગવન્! એ સત્યભાષી, મૃષાભાષી, સત્યમૃષાભાષી કે અસત્યામૃષાભાષી જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ,
તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! થોડા જીવો સત્યભાષી છે, તેથી સત્યમૃષાભાષી અસંખ્યાતગુણા છે, તેથી મૃષાભાષી અસંખ્યાતગુણા છે, તેથી અસત્યામૃષાભાષી અસંખ્યાતગુણા છે અને તેથી અભાષી (નહિ બોલનારા) અનન્તગુણા છે. /૩૪ll૪૦પ/
પ્રજ્ઞાપના ભગવતીમાં અગિયારમું ભાષાપદ સમાપ્ત. (ટી.) અલ્પબદુત્વના વિચારમાં સૌથી થોડા સત્યભાષી છે. અહીં સમ્યક ઉપયોગપૂર્વક સર્વજ્ઞ મતના અનુસાર વસ્તુને સિદ્ધ કરવાની બુદ્ધિથી બોલે છે તે સત્યભાષક છે, અને તેઓ પ્રશ્ન સમયે કેટલાક જ હોય છે માટે સૌથી થોડા કહ્યા છે, તેથી અસંખ્યાતગુણા સત્યમૃષાભાષી છે, કારણ કે ઘણા જીવોને જે તે પ્રકારે સત્યમૃષા બોલવાનો સંભવ છે, અને લોકમાં તેમ જણાય 394