SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ एक्करसमं भासापयं भासादव्वभेयणपरूवणं श्री प्रज्ञापना सूत्र भाग १ (ટી) હે ભગવન્ ! જીવ જે દ્રવ્યો ભાષાપણે ગ્રહણ કરે છે તે શું સાન્તર (સમયાદિના અત્તર સહિત) ગ્રહણ કરે છે કે નિરંતર (સમયાદિના અન્તર સિવાય) ગ્રહણ કરે છે? ભગવાન્ ઉત્તર આપે છે—સાન્તર પણ ગ્રહણ કરે છે અને નિરંતર પણ ગ્રહણ કરે છે, કારણ કે બન્ને પ્રકારે ગ્રહણ કરવાનો સંભવ છે. તેમાં સાન્તર ગ્રહણ અને નિરંતર ગ્રહણના કાળનું પ્રમાણ બતાવે છે–‘સંતર frન્હમાળે' ઇત્યાદિ. સાન્નર ગ્રહણ કરતો જઘન્ય એક સમયનું અન્તર કરી ગ્રહણ કરે છે. આ જઘન્ય એક સમયનું અન્તર નિરંતર બોલવામાં પ્રવૃત્ત થયેલાં બોલનારને આશ્રયી સમજવું, તે. આ પ્રમાણે—એક સમયે ભાષાપુદ્ગલોને ગ્રહણ કરી ત્યાર બાદ મૂકવાના સમયે બીજા પુદ્ગલો ગ્રહણ કર્યા સિવાય ત્રીજા સમયે ફરીથી ગ્રહણ જ કરે છે, મૂકતો નથી અને બીજા સમયે પ્રથમ સમયમાં ગ્રહણ કરેલા પુદ્ગલો મૂકે છે અને બીજા ગ્રહણ કરતો નથી. અહીં આશંકા કરે છે કે ‘અન્ય પ્રયત્નથી ગ્રહણ થાય છે અને અન્ય પ્રયત્નથી મૂકે છે, તે બન્ને ગ્રહણ અને નિસર્ગ પ્રયત્ન પરસ્પર વિરુદ્ધ કાર્ય કરવાથી પરસ્પર વિરુદ્ધ છે, તો એક સમયે તે બે પ્રયત્ન કેમ હોય? તે આશંકા અયુક્ત છે. કારણ કે જીવના તેવા પ્રકારના સ્વભાવથી બે ઉપયોગ એક સમયે હોતા નથી, પરન્તુ જે ક્રિયાઓ છે તે ઘણી હોય તો પણ એક સમયે ઘટે છે, કેમકે તેવી રીતે દેખાય છે. જેમ કે નૃત્ય કરનારી એક છતાં પણ ભ્રમણાદિ નૃત્ય કરતી એક સમયે પણ હાથ પગ વગેરેના વિચિત્ર અભિનયો કરતી દેખાય છે, વળી સર્વ વસ્તુનો પણ પ્રત્યેક સમયે ઉત્પાદ અને વ્યય થાય છે અને એક જ સમયે સંઘાત–મળવું અને પરિશાટ–જુદા પડવું થાય છે. માટે એક સમયે ગ્રહણ અને નિસર્ગ બે ક્રિયાઓ માનવામાં કોઇ પણ પ્રકારનો દોષ નથી. એ સંબન્ધે ભાષ્યકાર કહે છે કે—‘પરસ્પર વિરોધી એવા ગ્રહણ અને નિસર્ગરૂપ બે પ્રયત્નો એક સમયે કેમ હોય? ઉત્તર—એક સમયે બે ઉપયોગ ન હોય, પણ અનેક ક્રિયાઓ હોવામાં શો દોષ છે’? ત્રીજા સમયે બીજા સમયે ગ્રહણ કરેલા તેજ પુદ્ગલોને મૂકે છે અને બીજા ગ્રહણ કરતો નથી. એમ સાન્તર ગ્રહણ કરે છે. ઉત્કૃષ્ટથી તો અસંખ્યાતા સમય સુધી નિરન્તર ગ્રહણ કરે છે. કદાચ બીજો કોઇ અસંખ્યાતા સમયમાં થયેલા ગ્રહણને એક ગ્રહણ માને, તેથી કહે છે કે ‘પ્રતિસમય ગ્રહણ કરે છે.’ કદાચિત્ અન્તર પડતું હોય તો પણ વ્યવહારથી ‘પ્રતિસમય ગ્રહણ કરે છે' એમ કહેવાય, તેથી તે આશંકા દૂર કરવા માટે ‘અવિરહિતપણે નિરંતર ગ્રહણ કરે છે’ એમ કહ્યું છે. તેમાં પ્રથમ સમયે પુદ્ગલોનું ગ્રહણમાત્ર હોય છે, પણ મૂકવાનું હોતુ નથી. કારણ કે ગ્રહણ કર્યા સિવાય નિસર્ગ હોતો નથી. છેલ્લે સમયે મૂકવાનું જ હોય છે. કારણ કે બોલવાની ઇચ્છા બંધ થતાં ગ્રહણનો સંભવ નથી. બાકીના બીજા ત્રીજા વગે૨ે સમયમાં ગ્રહણ અને નિસર્ગ–મૂકવું બન્ને એક સમયે થાય છે. સ્થાપના— . ગ્રં. ગુ. ગ્ર. ગૃ. ૦ ૦ નિ. નિ. નિ. નિ. નિ. || માસવવમેયળવવળ || जीवे णं भंते! जाई दव्वाई भासत्ताए गहियाई णिसिरति ताई किं भिण्णाई णिसिरति ? अभिण्णाई णिसिरति ? गोयमा ! भिन्नाई पि निस्सरइ, अभिन्नाई पि निस्सरइ । जाई भिन्नाई णिसिरति ताई अनंतगुणपरिवड्डीएणं परिवड्ढमाणाई लोयंतं फुसन्ति, जाई अभिण्णाई निसिरइ ताई असंखेज्जाओ ओगाहणवग्गणाओ गंता भेदमावज्जंति, संखेज्जातिं जोअणातिं गंता विद्धंसमागच्छंति । सू० - २७ ।।३९८ ।। (મૂળ) હે ભગવન્! જીવ ભાષાપણે ગ્રહણ કરેલાં દ્રવ્યો બહાર કાઢે છે તે ભિન્ન ભેદાયેલા કાઢે છે કે અભિન્ન નહી ભેદાયેલા કાઢે છે? હે ગૌતમ! ભિન્ન પણ કાઢે છે અને અભિન્ન પણ કાઢે છે. જે ભિન્ન દ્રવ્યોને કાઢે છે, તે અનન્તગુણા વૃદ્ધિથી વધતાં લોકાન્તનો સ્પર્શ કરે છે. જે અભિન્ન દ્રવ્યો કાઢે છે તે અસંખ્યાતી અવગાહનાવર્ગણા (અસંખ્ય પ્રદેશાત્મક ક્ષેત્રના વિભાગરૂપ) પર્યન્ત જઈને ભેદાય છે, અને પછી સંખ્યાતા યોજનો સુધી જઇને વિનાશ પામે છે. I૨૭૩૯૮૫ (ટી૦) ‘નીવા ખં ભંતે! નાર્ ર્ળ્વારૂં માસત્તાણું નહિયારૂં નિસરફ’—હે ભગવન્! જીવો ભાષાપણે ગ્રહણ કરેલાં જે દ્રવ્યો મૂકે છે–ઇત્યાદિ પ્રશ્નસૂત્ર સુગમ છે. ઉત્તર-‘સાન્તાં નિવૃઽતિ' સાન્તર મૂકે છે પણ નિરન્તર મૂકતો નથી. તેનો આ ભાવાર્થ 389
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy