SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ एक्करसमं भासापयं भासादव्वगहणाइ परूवणं श्री प्रज्ञापना सूत्र भाग १ કરે છે. તેમાં યાવત્ શબ્દથી ત્રણ સ્પર્શવાળા દ્રવ્યોને ગ્રહણ કરે છે. ત્રણ સ્પર્શવાળાં દ્રવ્યો આ પ્રમાણે છે-કેટલાક દ્રવ્યો મૃદુ,અને શીત સ્પર્શવાળાં છે અને કેટલાંક મૃદુ અને સ્નિગ્ધ સ્પર્શવાળાં છે. તેમાં મૃદુસ્પર્શનો મૃદુસ્પર્શમાં સમાવેશ થાય છે માટે એક સ્પર્શ, અને શીત અને સ્નિગ્ધરૂપ બે અન્ય સ્પર્શે એમ સમુદાયને આશ્રયી ત્રણ સ્પર્શવાળાં દ્રવ્યો ગ્રહણ કરે છે. એમ બીજા સ્પર્શીનો યોગ હોય તો પણ ત્રણ સ્પર્શવાળાં દ્રવ્યો જાણવા. કેટલાંક ચાર સ્પર્શવાળાં દ્રવ્યો ગ્રહણ કરે છે. તેમાં ચાર સ્પર્શમાં મૃદુ અને લઘુરૂપ બે સ્પર્શી અવસ્થિત છે, કારણ કે સૂક્ષ્મ સ્કન્ધોમાં તે અવશ્ય હોય છે અને બીજા બે સ્નિગ્ધ અને ઉષ્ણ, સ્નિગ્ધ અને શીત, રુક્ષ અને ઉષ્ણ, રુક્ષ અને શીત સ્પર્શ હોય છે. સર્વ સમુદાયની અપેક્ષાએ અવશ્ય તે ચાર સ્પર્શવાળાં દ્રવ્ય ગ્રહણ કરે છે. તેમાં મૃદુ અને લઘુ એ સ્પર્શી અવસ્થિત છે અને અવસ્થિત હોવાથી વ્યભિચારના (અનિયતપણાના) અભાવથી અર્થાનિશ્ચિત હોવાથી ગણાતા નથી, તે સિવાય બીજા સ્નિગ્ધાદિ ચાર સ્પર્શે વિકલ્પ હોય છે-તેને આશ્રયી સૂત્ર કહે છે. 'શીતસ્પર્શવાળાં ગ્રહણ કરે છે, (ઉષ્ણ સ્પર્શવાળાં, સ્નિગ્ધ સ્પર્શવાળાં અને રુક્ષ સ્પર્શવાળાં ગ્રહણ કરે છે.) ઇત્યાદિ વાવનાઃ પતિ! બતાવનારું છે' હે ભગવન્! જે યાવત્ અનન્તગુણ રુક્ષ દ્રવ્યોને ગ્રહણ કરે છે ત્યાં સુધી સુગમ છે. અહીં હમણાં આ છેલ્લું સૂત્ર કહ્યું –અનન્તગુણ રુક્ષ દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે અને ત્યારપછી સૂત્રના સંબન્ધથી આ કહ્યું કે-હે ભગવી જે યાવત્ અનન્તગુણ રુક્ષ દ્રવ્યોને ગ્રહણ કરે છે. અહીં યાવત્ શબ્દવડે હે ભગવન્! જે એકગુણ કાળાવર્ણવાળા દ્રવ્યો ગ્રહણ કરે છે'-ઈત્યાદિ જાણવું. હે ભગવન્! તે દ્રવ્યો શું સ્પષ્ટ-આત્મપ્રદેશોવડે સ્પર્શ કરાયેલા ગ્રહણ કરે છે કે નહિ સ્પર્શ કરાયેલા ગ્રહણ કરે છે? ભગવાન્ ઉત્તર આપે છે– ગૌતમ! આત્મપ્રદેશો સાથે સ્પર્શ કરાયેલા ગ્રહણ કરે છે, પણ સ્પર્શ નહિ કરાયેલા ગ્રહણ કરતો નથી. અહીં ભાષા દ્રવ્યોનો આત્મપ્રદેશોની સાથે સ્પર્શ આત્મપ્રદેશોના અવગાહના ક્ષેત્રથી બહાર પણ સંભવે છે, માટે પ્રશ્ન કરે છે–હે ભગવન્! ઇત્યાદિ અવગાઢ આત્મપ્રદેશો સાથે એક ક્ષેત્રમાં રહેલા દ્રવ્યો ગ્રહણ કરે છે પણ તેથી બીજા અનવગાઢ-ભિન્ન ક્ષેત્રમાં રહેલાં દ્રવ્ય ગ્રહણ કરતો નથી. જે અવગાઢ દ્રવ્યો ગ્રહણ કરે છે તેમાં અનન્તરાવગાઢ-અન્તર. સિવાય રહેલા ભાષાદ્રિવ્યોને ગ્રહણ કરે છે પણ પરંપરાવગાઢ દ્રવ્યોને ગ્રહણ કરતો નથી. ભાવાર્થ એ છે કે જે આત્મપ્રદેશોને વિષે જે ભાષાદ્રવ્યો રહેલા છે તે આત્મપ્રદેશો વડે તેજ ભાષાદ્રવ્યોને ગ્રહણ કરે છે, પણ એક, બે, ત્રણ આત્મપ્રદેશોને અત્તર રહેલા ભાષાદ્રવ્યોને ગ્રહણ કરતો નથી. જે અનન્તરાવગાઢ દ્રવ્યોને ગ્રહણ કરે છે, તે અણુ-થોડા પ્રદેશવાળા પણ ગ્રહણ કરે છે. એક સ્પર્શ તો હોવો જોઇએ. જો સ્નિગ્ધ ન હોય તો રુક્ષ હોય અને રુક્ષ ન હોય તો સ્નિગ્ધ હોય, શીત ન હોય તો ઉષ્ણ હોય અને ઉષ્ણ ન હોય તો શીત હોય એટલે એક સ્કન્દમાં પરસ્પર વિરોધી સ્પર્શ ન હોય, તેથી કોઇપણ રીતે મશીતસ્પર્શવાળા કે મૃસ્નિગ્ધસ્પર્શવાળાં દ્રવ્ય ઘટી શકતા નથી, કારણ કે મૃદુ અને શીત સ્પર્શ હોય ત્યાં સ્નિગ્ધ કે રુક્ષ સ્પર્શ હોવો જોઇએ, અને મૃદુ સ્નિગ્ધ, સ્પર્શ હોય ત્યાં શીત કે ઉષ્ણ સ્પર્શ હોવો જોઇએ, એટલે બે સ્પર્શવાળાં કે ત્રણ સ્પર્શવાળાં દ્રવ્યો ઘટી શકતાં નથી. કદાચ એમ માનીએ કે મૃદુ અને લધુ સ્પર્શ અવસ્થિત હોવાથી તેની ગણના ન કરીએ તોપણ ઊપર કહ્યા પ્રમાણે મૃદુ અને શીત અને મૃદુ અને ઉષ્ણરૂપ બે સ્પર્શવાળાં દ્રવ્યો ઘટતા નથી, તેમ ત્રિસ્પર્શવાળા દ્રવ્યોના ગ્રહણ પ્રસંગે મૃદુશીતસ્પર્શવાળા અને મૃદુસ્નિગ્ધસ્પર્શવાળા દ્રવ્યો ઘટતા નથી. લોકપ્રકાશમાં કહ્યું છે કે “જીયા નાના ગર્વ લrfમિક મૃત સ્પર્શતુ રાવતેષાં મૃ૬નવુ છુ અચી તો ? स्निग्धशीतो स्निग्धोष्णौ वा प्रकीर्तितौ। रूक्षोष्णौ रूक्षशीतौ वा विज्ञेर्वेद्यौ यथागमम्॥ अयं पञ्चसङ्ग्रहवृत्तिशतकबृहट्टीकाद्यभिप्रायः પ્રતિપ્રજ્ઞતામાન વૈતાનિધોળશાપને પર્શતુવે યાત્રાતિ'' લોક પ્રકાશ, સર્ગ ૩૫, શ્લોd ૪૩-૪૪. અર્થ–તેજસ, ભાષા, શ્વાસોચ્છવાસ, મન અને કાર્મણ વર્ગણાઓ પણ વર્ણાદિ વડે એ પ્રમાણે છે. પરન્તુ સ્પર્શની અપેક્ષાએ ચાર સ્પર્શવાળી છે, તેમાં મૃદુ અને લઘુ એ બે સ્પર્શે ધ્રુવ-અવસ્થિત છે અને બીજા સ્નિગ્ધ શીત અથવા સ્નિગ્ધ ઉષ્ણ અને રુક્ષ ઉષ્ણ અથવા શીત સ્પર્શ હોય છે એ વિદ્વાનોએ આગમને અનુસરી જાણવું. આ પ્રમાણે પચ્ચસંગ્રહવૃત્તિમાં છે અને શતકબૃહદ્દીકા વગેરેનો અભિપ્રાય છે. કર્મપ્રકૃતિ અને ભગવતી સૂત્રના અભિપ્રાયથી સ્નિગ્ધ, ઉષ્ણ, રુક્ષ અને શીત એ ચાર જ સ્પર્શ હોય છે. એટલે ભાષાવર્ગણાના કોઇ સ્કન્ધ સ્પર્શની અપેક્ષાએ સ્નિગ્ધ અને શીત સ્પર્શવાળો, સ્નિગ્ધ અને ઉષ્ણ, રુક્ષ અને શીત અથવા રુક્ષ અને ઉષ્ણ સ્પર્શવાળો હોય તો તે અપેક્ષાએ બે સ્પર્શવાળા દ્રવ્ય ગ્રહણ કરે છે, પણ ત્રણ સ્પર્શવાળાં દ્રવ્ય ગ્રહણ કરે છે એમાં કયા ત્રણ સ્પર્શ લેવા એ પ્રશ્ન તો બાકી જ રહે છે. સર્વ ગ્રહણ યોગ્ય દ્રવ્યની અપેક્ષાએ ચાર સ્પર્શવાળા ગ્રહણ કરે છે એ તો બરાબર છે. પણ પ્રત્યેક સ્કન્ધની અપેક્ષાએ ત્રણ સ્પર્શવાળાં દ્રવ્યો તો કોઇપણ રીતે ઘટી શકતાં નથી. તત્ત્વ બહુશ્રુત ગમ્ય છે. | 387
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy