SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ एक्करसमं भासापयं पज्जतियाइभासाभेयपरूवणं श्री प्रज्ञापना सूत्र भाग १ અને દીર્ઘત્વ એ બન્ને ધર્મો કાલ્પનિક છે', તે અયુક્ત છે. વસ્તુના ધર્મો બે પ્રકારના છે-સહકારી વડે જેનું સ્વરૂપ વ્યક્ત થાય તે અને તે સિવાયના બીજા. તેમાં જે સહકારીથી જેનું સ્વરૂપ વ્યક્ત થાય તેવા ધર્મો છે તે સહકારીના સંબન્ધથી પ્રતીત થાય છે. જેમ જળના સંબન્ધથી પૃથિવીમાં ગબ્ધ વ્યક્ત થાય છે. અને બીજા સહકારી સંબન્ધ સિવાય સ્વયં વ્યક્ત થાય એવા પ્રકારના છે, જેમ કર્પરાદિનો ગંધ. હસ્વત્વ અને દીર્ઘત્વ ધર્મો પણ સહકારીના સંબન્ધથી વ્યક્ત થાય તેવા પ્રકારના છે, તેથી તેઓ સહકારીને આશ્રયી અભિવ્યક્ત થાય છે. ૭ વ્યવહાર સત્યા' વ્યવહાર–એટલે લોકવિવક્ષા, વ્યવહારથી સત્ય તે વ્યવહારસત્ય, જેમ કે પર્વત બળે છે, પાત્ર ઝરે છે, પેટ વિનાની કન્યા છે, ઊન વિનાની ઘેટી છે. લોકો પર્વત ઉપરનું ઘાસ બળતું હોય ત્યારે ઘાસની સાથે પર્વતના અભેદની કલ્પના કરી ‘પર્વત બળે છે એમ કહે છે. પાત્રથી પાણી ઝરતું હોય ત્યારે પાણી અને પાત્રના અભેદની વિરક્ષા કરી પાત્ર ઝરે છે” એમ બોલે છે. સંભોગ હેતુક પેટની વૃદ્ધિના અભાવમાં “અનુદરા કન્યા’–પેટ વિનાની કન્યા કહેવાય છે, અને કાપવા લાયક ઊનના અભાવમાં ‘મનોમિા પડે'—ઊન વિનાની ઘેટી કહેવાય છે. માટે લોકવ્યવહારની અપેક્ષાએ તે પ્રમાણે બોલનાર સાધુની પણ ભાષા વ્યવહારસત્ય છે. ૮ માવસત્યા' ભાવ-વર્ણાદિ, તે વડે સત્ય. જે વણરદિભાવ જેમાં ઉત્કટ–અધિક હોય તે વડે જે સત્યભાષા તે ભાવ-સત્ય, જેમ બગલામાં પાંચ વર્ણનો સંભવ છે તો પણ શુક્લવર્ણની અધિકતા હોવાથી ધોળો બગલો કહેવાય છે. ૯ ‘યોગાસત્યા' યોગ-સંબધ, તે વડે સત્ય, જેમ છત્રના સંબન્ધથી વિવક્ષિત શબ્દપ્રયોગના સમયે છત્રનો અભાવ હોય તો પણ છત્રના યોગનો સંભવ હોવાથી “છત્રી અને દંડના સંબન્ધથી ‘દડી' કહેવાય છે તે યોગસત્ય. ૧૦૯૩૫માલયા' જેમ સમુદ્રના જેવું તળાવ છે, આ ઉપમા સત્ય છે. અહીં શિષ્યજન ઉપર ઉપકાર કરવા માટે સંગ્રહણી ગાથા કહે છે–‘નવયસમ્પયdવMા' ઇત્યાદિ. તેના અર્થનો વિચાર કરેલો છે. ૧૭૩૮૮ मोसा णं भंते! भासा पज्जत्तिया कतिविहा पन्नत्ता? गोयमा! दसविहा पन्नत्ता, तं जहा–कोहणिस्सिया १, माणनिस्सिया २, मायानिस्सिया ३, लोहनिस्सिया ४, पेज्जणिस्सिया ५, दोसनिस्सिया ६, हासणिस्सिया ७, भयणिस्सिया ८, अक्खाइयाणिस्सिया ९. उवघायणिस्सिया १०।। "कोहे माणे माया लोभे पिज्जे तहेव दोसे या हास भए अक्खाइय उवघायणिस्सिया दसमा ।" Iટૂ૦-૨૮૩૮૬il. (મૂ૦) હે ભગવન્! પર્યાપ્ત મૃષા ભાષા કેટલા પ્રકારની છે? હે ગૌતમ! દસ પ્રકારની છે. તે આ પ્રમાણ—કોધનિશ્રિત ૧, માનનિશ્રિત ૨, માયા નિશ્ચિત ૩, લોભનિશ્ચિત છે, પ્રેમનિશ્ચિતપ, દ્વેષનિશ્રિત ૬, હાસ્યનિશ્રિત ૭, ભયનિશ્રિત ૮, આખ્યાયિકાનિશ્રિત ૯, અને ઉપઘાતનિશ્રિત ૧૦. /૧૮૩૮૯ll' ' (ટી) મૃષાભાષા દસ પ્રકારની છે, જેમ ૧ ‘જોહનિયા' ઇત્યાદિ. ‘ક્રોનિઃસૃતા'–ક્રોધથી નીકળેલી વાણી, એમ બધે સ્થળે વિચાર કરવો. તેમાં ક્રોધાધીન આત્મા વિપરીત બુદ્ધિથી બીજાને છેતરવાને જે સત્ય કે અસત્ય બોલે તે પણ મૃષા જાણવું કારણ કે તેનો આશય અતિદુષ્ટ છે. જો કે ઘુણાક્ષરન્યાયથી તેમાં સત્યાંશ હોય અથવા કટિબુદ્ધિથી સત્ય બોલે તે પણ આશયના દોષથી દુષ્ટ હોવાથી અસત્ય છે. ૨ “માનનિઃસૃતા' પૂર્વે એશ્વર્યનો અનુભવ ન કર્યો હોય તો પણ પોતાનો ઉત્કૃષ્ટબતાવવા માટે અમે તે સમયે એશ્વર્યનો અનુભવ કર્યો હતો. ઇત્યાદિ કહેનારની માનનિઃસૃત ભાષા કહેવાય છે. ૩ “માયનિઃસૃતા' જે બીજાને છેતરવાના ઇરાદાથી સત્ય કે અસત્ય બોલે તે માયાનિવૃત ભાષા.૪ નો પરિવૃતા' લોભને અધીન થયેલો આત્મા ખોટા તુલા વગેરે કરી “તુલા વગેરે બરોબર પ્રમાણવાળા છે' એમ બોલે તે લોભનિઃસૃત ભાષા. ૫ નિવૃતા' અતિપ્રેમના વશથી હું તારી દાસ છું' ઇત્યાદિ ખુશામત કરનારની પ્રેમનિસૃત ભાષા. ૬ લેનિઃસૃતા' દ્વેષી આત્મા તીર્થંકરાદિ સટુરુષોના પણ અવર્ણવાદ બોલે તે ષનિઃસૃત ભાષા. ૭ હાનિ વૃતા' કેલિ–ગમ્મતને લીધે જૂઠું બોલવું તે હાસ્યનિસૃત ભાષા. ૮ ‘મનિઃસૃતા' ચોર વગેરેના ભયથી અસત્ય બોલવું તે ભયનિવૃત ભાષા. ૯ ‘ગાડ્યાયિન વૃતા' કથાઓમાં અસંભવિત 379.
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy