________________
श्री प्रज्ञापना सूत्र भाग १
एक्कारसमं भासापयं पज्जत्तियाइभासाभेयपरूवणं બન્નેની મિશ્રતરૂપ હોવાથી અને સત્ય અને અસત્ય બન્નેના પ્રતિષેધરૂપ હોવાથી પ્રતિનિયતરૂપે-સત્ય કે અસત્ય એમ નિશ્ચિતાર્થરૂપે જાણી શકાતી નથી તે અપર્યાપ્તા–અર્થનો નિર્ણય કરવાના સામર્થ્ય રહિત છે. તે સત્યમૃષા અને અસત્યમૃષા જાણવી. કારણ કે બન્ને ભાષાનો પણ પ્રતિનિયતરૂપે–સત્ય કે અસત્ય એમ વિનિશ્ચય થઈ શકતો નથી. /૧૬૩૮ાા . सच्चा णं भंते! भासा पज्जत्तिया कतिविहा पन्नत्ता? गोयमा! दसविहा पन्नत्ता। तं जहा--जणवयसच्चा १, सम्मतसच्चा २,ठवणासच्चा ३, नामसच्चा ४, रूवसच्चा ५, पडुच्चसच्चा ६, ववहारसच्चा ७, भावसच्चा ८, जोगसच्चा ९, ओवम्मसच्चा १०। "जणवय १ संमत २ ठवणा ३ नामे ४ रूवे ५ पडुच्चसच्चे ६ या ववहार ७ भाव जोगे ९ दसमे ओवम्मसच्चे य ૨૦” Iટૂ-ગારૂ૮૮ (મૂળ) હે ભગવન્! પર્યાપ્તા સત્યભાષા કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ! દસ પ્રકારની છે. તે આ પ્રમાણે–૧ જનપદસત્ય,
ર સંમતસત્ય, ૩ સ્થાપનાસત્ય, ૪ નામસત્ય, ૫ રૂપસત્ય, ૬ પ્રતીત્યસત્ય (અપેક્ષાસત્ય), ૭ વ્યવહારસત્ય, ૮
ભાવસત્ય, ૯ યોગસત્ય, ૧૦ ઉપમાસત્ય. /૧૭૩૮૮ (ટી) એ પ્રમાણે પર્યાપ્ત ભાષાના સ્વરૂપનો વિચાર કર્યો, પરન્તુ તેના સત્ય અને મૃષા એ બે ભેદ કહ્યાં છે, તેથી સત્ય ભાષાના ભેદો જાણવા માટે પ્રશ્ન કરે છે–સન્ના જે તે માસી પન્નત્તિયા વિહા પન્ના'? હે ભગવન્! પર્યાપ્તા સત્ય ભાષા કેટલા પ્રકારની છે?—ઇત્યાદિ પાઠ સિદ્ધ છે. હવે ભગવાન્ ઉત્તર આપે છે–'જોયમા'! હે ગૌતમ દસ પ્રકારની છે-૧ બનાવવા ' જનપદસત્યા-તે તે જનપદ-દેશને આશ્રયી ઇષ્ટ અર્થના બોધનું કારણ હોવાને લીધે વ્યવહારનો હેતુ હોવાથી સત્ય તે જનપદસત્ય. જેમ કે કોંકણાદિ દેશમાં પાણીને પીવ' કહે છે-ઇત્યાદિ. ૨ સંમતસત્યા' જે સકલ લોકને સંમત હોવાથી સત્યપણે પ્રસિદ્ધ છે, જેમકે કુમુદ, કુવલય, ઉત્પલ અને તામરસ (રક્ત કમળ) એ બધા સમાન રીતે પંકથકી ઉત્પન્ન થયેલા હોવા છતાં પણ ગોપાલો અરવિન્દને જ પંકજ માને છે, બાકીનાને માનતા નથી, માટે અરવિંદને પંકજ કહેવું તે સંમતસત્ય. ૩ ‘થાપના સત્યા' તેવા પ્રકારના અંક વગેરે કે સિક્કા વગેરેને જોઇને કહેવાય, જેમ કે એકડાની પાસે બે મીંડાં જોઈને ‘આ સો છે એમ કહેવાય અને ત્રણ મીંડાં જોઈને “આ હજાર છે એમ કહેવાય, માટી વગેરેમાં તેવા પ્રકારની મુદ્રાછાપ જોઇને “આ માબ છે, આ કાષપણ છે એમ કહેવાય તે સ્થાપનાસત્ય. ૪ના સત્યા' નામમાત્રથી સત્ય હોય, જેમ કે કુલની વૃદ્ધિ-અભુદય ન કરતો હોય તો પણ “કુલવર્ધન' કહેવાય છે તે નામસત્ય. ૫ ‘સત્યા' જે રૂપ-વેષમાત્રથી સત્ય હોય, જેમ કે જેણે દંભથી સાધુનો વેષ ધારણ કરેલો હોય તે સાધુ કહેવાય છે તે રૂપસત્યા. ૬ 'પ્રતીત્યસત્યા' પ્રતીત્ય–બીજી વસ્તની અપેક્ષાએ જે સત્ય હોય. જેમ કે અનામિકા આંગળી કનિષ્ઠાની અપેક્ષાએ લાંબી અને મધ્યમાની અપેક્ષાએ ટૂંકી કહેવાય છે તે પ્રતીત્યસત્ય. અહીં એમ ન કહેવું કે એક વસ્તુમાં હ્રસ્વત્વ અને દીર્ઘત્વ વાસ્તવિક રીતે કેમ કહેવાય? કારણ કે તેઓનો પરસ્પર વિરોધ છે. જે હસ્વ હોય તે દીર્ઘ કેમ હોય અને જે દીર્ઘ હોય તે હ્રસ્વ કેમ હોય? તેનો ઉત્તર એ છે કે ભિન્ન નિમિત્ત હોવાથી–જુદી જુદી અપેક્ષાએ હોવાથી ત્યાં પરસ્પર વિરોધનો સંભવ નથી. જો તે એક કનિષ્ઠાને કે મધ્યમાં આંગળીને આશ્રયી લાંબી કે ટૂંકી કહીએ તો વિરોધનો સંભવ છે, કારણ કે એક નિમિત્તની અપેક્ષાએ પરસ્પર વિરુદ્ધ બે કાર્યનો અસંભવ છે, જ્યારે એક આંગળીની અપેક્ષાએ ટુંકી અને બીજીની અપેક્ષાએ લાંબી કહીએ તો સત્ત્વ અને અસત્ત્વની જેમ ભિન્ન નિમિત્ત હોવાથી પરસ્પર વિરોધ નથી. અહીં શંકા કરે છે–જો દીર્ઘત્વ-લંબાઈ અને હ્રસ્વત-ટુંકાઈ વાસ્તવિક હોય તો ઋજુત્વસરલતા અને વક્રતાની જેમ બીજા નિમિત્તની અપેક્ષા વિના કેમ ભાસતા નથી? માટે અન્ય નિમિત્ત સાપેક્ષા હોવાથી હ્રસ્વત્વ
૧. એકજ વસ્તુ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ અને સ્વભાવની અપેક્ષાએ સત્ છે અને પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાલ અને પરભાવની અપેક્ષાએ અસત્ ' છે, અને તે ભિન્ન ભિન્ન નિમિત્તની અપેક્ષાએ હોવાથી તેમાં સત્ત્વ અને અસત્ત્વનો પરસ્પર વિરોધ નથી.
378