SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ एक्करसमं भासापयं पज्जत्तियाइभासाभेयपरूवणं श्री प्रज्ञापना सूत्र भाग १ નીવવિ' ભાષાનું મૂળ કારણ જીવ છે. કારણ કે જીવના તેવા પ્રકારના પ્રયા સિવાય અવબોધના કારણભૂત ભાષાનો અસંભવ છે. એ સંબન્ધ ભગવાન્ ભદ્રબાહુ સ્વામી કહે છે—“તિવિમિ રીમિ નીવપક્ષી હન્તિ નીવસ નેહિ ? હાં તો માત૬ માસો માસી” દારિક, વૈક્રિય અને આહારક-એ ત્રણ પ્રકારના શરીરમાં જીવપ્રદેશો જીવના છે, અને જે જીવપ્રદેશો વડે ગ્રહણ–ભાષાદ્રવ્યને ગ્રહણ કરે છે અને ત્યાર પછી ભાષક-વક્તા બોલે છે'. હવે ‘ભાષા શાથી ઉત્પન્ન થાય છે એ પ્રશ્નનો ઉત્તર આપે છે–“શરીરમવા' શરીરથી ઉત્પન્ન થાય છે, કારણ કે ઔદારિક, વૈક્રિય અને આહારક શરીરમાંના કોઈ પણ શરીરના સામર્થ્યથી ભાષા દ્રવ્ય નીકળે છે. ભાષા કેવા સંસ્થાન-આકારવાળી છે? એ પ્રશ્નનો ઉત્તર આપે છે–‘વસંસ્થિતા' વજના જેવા સંસ્થાન-આકારવાળી છે, કારણ કે તેવા પ્રકારના પ્રયત્ન વડે નીકળેલા ભાષા દ્રવ્યો સર્વ લોકોને વ્યાપ્ત કરે છે, અને લોકની વજના જેવી આકૃતિ છે માટે ભાષા પણ વજના આકાર જેવી છે, તેનું પર્યવસાન (અત્ત) ક્યાં છે? એ પ્રશ્નનો ઉત્તર–‘નોના પર્યવસતા' લોકાત્તે તેનું પર્યવસાન-અન્ત છે, કારણ કે ત્યાર પછી ગતિક્રિયામાં સહાયક ધમસ્તિકાયના અભાવથી ભાષાદ્રવ્યના ગમનનો અસંભવ છે. એ પ્રમાણે મેં અને બીજા તીર્થકરોએ ભાષા કહી છે. હવે ફરીથી પ્રશ્ન કરે છે–“માસા તો ૨૫મવા'? ભાષા કયા યોગથી ઉત્પન્ય થાય છે? કાયયોગથી કે વચન યોગથી? કેટલા સમયે ભાષા બોલે છે? તાત્પર્ય એ છે કે કેટલા સમયે નીકળતા દ્રવ્યના સમૂહરૂપ ભાષા હોય છે? તથા તિબRI' ભાષ્યના કેટલા પ્રકાર છે? અને કેટલી ભાષા સાધુને બોલવાની અનુજ્ઞા છે? અહીં દરેક પ્રશ્નનો ઉત્તર આપે છે–‘શરીરમવા બાવા'શરીરથી ઉત્પન્ન થાય છે. અહીં શરીરના ગ્રહણથી શરીરયોગનું ગ્રહણ કરવું, કારણ કે “ભાષા શરીરમાત્રથી ઉત્પન્ન થાય છે' એ વાતનો પૂર્વેજ નિર્ણય કર્યો છે. અહીં ‘શરીરમવા' એટલે ભાષા શરીર-કાયયોગથી ઉત્પન્ન થાય છે એ અર્થ સમજવો. તે આ પ્રમાણેકાયયોગવડે ભાષાયોગ્ય પગલો ગ્રહણ કરી ભાષાપણે પરિણાવી વચન યોગ વડે બહાર કાઢે છે. તેથી કાયયોગના સામર્થ્યથી ભાષા ઉત્પન્ન થાય છે. એ સંબધે ભગવાન્ ભદ્રબાહુ સ્વામી કહે છે–“fig #ારૂપ નિસર તહ વાફળ નો ઇતિ. કાયયોગ વડે ગ્રહણ કરે છે અને વચનયોગ વડે બહાર કાઢે છે. કેટલા સમયે ભાષા બોલે છે? એ પ્રશ્નનો ઉત્તર આપે છે–એ સમયે ભાષા બોલે છે. તે આ પ્રમાણે—પ્રથમ સમયે ભાષાયોગ્ય પગલો ગ્રહણ કરે છે. અને બીજે સમયે ભાષાપણે પરિણાવી છોડી દે છે. ‘ભાષાના કેટલા પ્રકાર છે”—એનો ઉત્તર આ પ્રમાણ—સત્યાદિના ભેદથી ભાષાના ચાર પ્રકાર છે અને તેનો વિચાર પૂર્વે કરેલો છે. “કઈ ભાષા બોલવાની અનુજ્ઞા છે? એનો ઉત્તર–સત્યાદિ બે ભાષા સાધુને બોલવાની અનુજ્ઞા છે—સત્ય અને અસત્યામૃષા, અર્થાત્ જે અસત્ય અને સત્યાસત્ય-મિશ્ર ભાષા છે તે બોલવાની અનુજ્ઞા નથી. કારણ કે તે બન્ને અયથાર્થ અર્થનું પ્રતિપાદન કરતી હોવાથી મોક્ષને પ્રતિકૂલ છે. ૧પ૩૮૬ll | MનિયમિરનામેયરૂવM || कतिविहा णं भंते! भासा पण्णत्ता? गोयमा! दुविहा भासा पन्नत्ता, तं जहा–पज्जत्तिया य अपज्जत्तिया या पज्जत्तिया णं भंते! भासा कतिविहा पन्नत्ता? गोयमा! दुविहा पन्नत्ता, तं जहा-सच्चा य मोसा य સૂ૦-દારૂ૮ળા. (મૂ૦) હે ભગવન્! કેટલા પ્રકારની ભાષા કહેલી છે? હે ગૌતમ! બે પ્રકારની ભાષા કહી છે. તે આ પ્રમાણે– પર્યાપ્તા અને અપર્યાપ્તા. હે ભગવન્! પર્યાપ્તા ભાષા કેટલા પ્રકારની છે? હે ગૌતમ બે પ્રકારની છે. તે આ પ્રમાણે સત્ય અને મૃષા. /૧૬/૩૮ll (ટી૦) ભાષા સંબધે ફરીથી પ્રશ્ન કરે છે કેટલા પ્રકારની ભાષા છે? ઉત્તર–પર્યાપ્ત ભાષા અને અપર્યાપ્તા ભાષા. જે પ્રતિનિયતરૂપે-નિશ્ચિતાર્થરૂપે જાણી શકાય તે પર્યાપ્તા-અર્થનો સમ્યક કે અસમ્યક નિર્ણય કરવાના સામર્થ્યયુક્ત. તે સત્ય અને મૃષા બે પ્રકારની છે, કારણ કે બન્ને ભાષા સત્ય કે અસત્ય એમ નિશ્ચિતાર્થરૂપે જાણી શકાય છે. જે ભાષા સત્ય અને અસત્ય '377
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy