________________
श्री प्रज्ञापना सूत्र भाग १
एक्कारसमं भासापयं भासासरूवं નપુંસકવાચી બોલતો (સાધુ) જે ભાષા બોલે છે તે ભાષા અસત્ય નથી. /૧૪૩૮૫ (ટી૦) ૩મદ અંતે! પુઢવી' ઇત્યાદિ સૂત્ર સુગમ છે, પરંતુ આઊ (અ) એ પ્રાકૃતના નિયમથી પુંલ્લિંગ છે, સંસ્કૃતમાં તો તે સ્ત્રીલિંગ જ છે. ‘મદ અંતે! પુત્રવત્તિ રૂOિાળવણી' ઇત્યાદિ. હે ભગવન્! “તું પૃથ્વી કર, તું પૃથ્વી લાવ.” એ પ્રમાણે સ્ત્રીલિંગમાં પૃથ્વીને ઉદેશી આજ્ઞા કરનારી સ્ત્રીઆજ્ઞાપની, એ પ્રમાણે પુંલ્લિંગમાં વર્તમાન આઊને (અ-પાણીને) ઉદેશી આજ્ઞા કરનારી અને નપુંસકલિંગમાં વર્તમાન ધાન્યને ઉદેશી આજ્ઞા કરનારી નપુંસકાત્તાપની એ ભાષા પ્રજ્ઞાપની છે? એ ભાષા સત્ય નથી? ભગવાન! ઉત્તર આપે છે–દત્તા યમા'! હે ગૌતમ! અવશ્ય એ ભાષા પ્રજ્ઞાપની છે.
મદઅંતે' ઇત્યાદિ, હે ભગવન્! પૃથ્વીને વિષે સ્ત્રી પ્રજ્ઞાપની-સ્ત્રીપણાના સ્વરૂપને જણાવનારી, આઊ (પાણી) ને વિષે પુરુષત્વ રૂપને નિરૂપણ કરનારી પુરુષપ્રજ્ઞાપની અને ધાન્યને વિષે નપુંસકપણાના સ્વરૂપને બતાવનારી નપુંસકપ્રજ્ઞાપની એ ભાષા આરાધની સમ્યગદર્શનાદિ મુક્તિમાર્ગની સાધક છે? આ ભાષા અસત્ય નથી? અર્થાત્ –એ પ્રમાણે બોલનારને અસત્યભાષીપણાનો પ્રસંગ આવતો નથી? ભગવાન્ ઉત્તર આપે છે–એ ભાષા આરાધની છે, એ ભાષા અસત્ય નથી. કારણ કે શાબ્દિક વ્યવહારની અપેક્ષાએ યથાવસ્થિત વસ્તુતત્ત્વની પ્રરૂપણા કરે છે. અહીં એક એક પદ સંબધે કેટલું પૂછી શકાય? તેથી અતિદેશ (સાદશ્યબોધક વાક્ય) થી પૂછે છે–‘બ્રેવં મંત!' “ઇતિ' ઉપદર્શન અર્થમાં છે અને “એવ” શબ્દ પ્રકાર અર્થમાં છે એટલે ઉપદર્શિત બતાવેલા પ્રકાર વડે જ્યારે બીજા પણ સ્ત્રીલિંગવાચક, પુંલ્લિંગવાચક અને નપુંસકલિંગવાચક ભાષા સાધુ બોલે ત્યારે એમ બોલતાં જે ભાષા બોલાય તે પ્રજ્ઞાપની ભાષા કહેવાય? તે ભાષા અસત્ય નથી? ભગવાન્ ઉત્તર આપે છે – એ ભાષા પ્રજ્ઞાપની છે', કારણ કે શાબ્દિક વ્યવહારનું અનુસરણ કરવાથી તેમાં દોષ નથી. અન્યરૂપે રહેલી વસ્તુમાં અન્યરૂપે બોલવું તે દોષ છે, પરંતુ જે વસ્તુ યથાવસ્થિત છે તેને તે પ્રકારે કહેવામાં શો દોષ છે? એ પ્રમાણે ભાષાના પ્રતિપાદન સંબધે કેટલાક સંદેહો હતા તે દૂર કર્યા. //૧૪૩૮પી
|| મારનારનવે || भासा णं भंते! किमादिया, किंपवहा, किंसंठिया, किंपज्जवसिया? गोयमा! भासा णंजीवादीया, सरीरप्पभवा, वज्जसंठिया, लोगंतपज्जवसिया पण्णत्ता। भासा कओ य पभवति? कतिहिं व समएहि भासती भासं?। भासा कतिप्पगारा? कति वा भासा अणुमयाओ? सरीरप्पभवा भासा, दोहि य समएहिं भासती भासं। भासा चउप्पगारा, दोण्णि य भासा अणुमताओ
સૂ૦-૧/૨૮દ્દા (મૂળ) હે ભગવન્! ભાષાનું મૂળ કારણ શું છે? તે શાથી ઉત્પન્ન થાય છે? તેનો આકાર કોના જેવો છે? તેનો અત્ત ક્યાં
થાય છે? હે ગૌતમ! ભાષાનું મૂળ કારણ જીવ છે, ભાષા શરીરથી ઉત્પન્ન થાય છે, વજના જેવો તેનો આકાર છે અને લોકાત્તે તેનો અત્ત થાય છે. ૧ ભાષા ક્યાંથી ઉત્પન્ન થાય છે? ૨ કેટલા સમયે ભાષા બોલે છે? ૩ ભાષા કેટલા પ્રકારની છે? અને ૪ કેટલી ભાષા બોલવા યોગ્ય છે? ૧ શરીરથી ભાષા ઉત્પન્ન થાય છે. ૨ બે સમયે ભાષા બોલે છે.
૩ ભાષા ચાર પ્રકારની છે અને ૪ બે ભાષા બોલવા યોગ્ય છે./૧પ૩૮૬ll (ટી૦) હવે સામાન્યતઃ ભાષાના કારણાદિ સંબધે પ્રશ્ન કરે છે–“ભાષા મં!િ વિમાફિયા' ઇત્યાદિ. હે ભગવન! અવબોધનું કારણભૂત ભાષા “વિમવિશ'-fમ્ ગારિક-મૌર્ત ર ય સા'—જેનું મૂળ કારણ શું છે એવા પ્રકારની છે? આથી તેનું ઉપાદાન કારણ સિવાય બીજું મૂળ કારણ શું છે? ‘f pખવા' તેની ઉત્પત્તિ શાથી થાય છે એટલે તેનું મૂળ કારણ છતાં ભાષા બીજા કયા કારણથી ઉત્પન્ન થાય છે? ‘હિં સંસ્થિતા' કયા આકારે રહેલી છે–એટલે કોના જેવું તેનું સંસ્થાન–આકાર છે? “હિં પર્થવસિતા' અને ક્યાં તેનું પર્યવસાન-અન્ત થાય છે? ભગવાન્ ઉત્તર આપે છે–હે ગૌતમ!
376