SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना. सूत्र भाग १ एक्कारसमं भासापयं एगवयणाइभासापरूवणं અક્ષરાર્થ પૂર્વની પેઠે જાણવો. અહીં પણ સંશયનું કારણ આ છે—મનુષ્યાદિ શબ્દો જાતિવાચક છે, અને જાતિ સામાન્યરૂપ હોવાથી એક છે. કારણ કે “ નિત્યં નિવયવમયિં સર્વનું ૨ સામાન્યમ્" એક, નિત્ય, અવયવરહિત, નિષ્ક્રીય અને સર્વવ્યાપક સામાન્ય છે—એવું વચન છે, તેથી અહીં બહુવચન શી રીતે ઘટે? અને બહુવચન વડે પણ વ્યવહા૨ જણાય છે, માટે પ્રશ્ન ક૨ે છે કે—આ બધી બહુવચનપ્રતિપાદક ભાષા છે? અહીં પ્રશ્નાર્થક ધ્વનિ વડે સૂત્રનો પાઠ કહેવાથી પ્રશ્નાર્થનો ખ્યાલ આવે છે. ભગવાન્ ઉત્તર આપે છે—‘હત્તા ગોયમા' ઇત્યાદિ. હે ગૌતમ! અવશ્ય આ બધી બહુવચનપ્રતિકારક ભાષા છે. સૂત્રનો અક્ષરાર્થ સુગમ છે. તેનો ભાવાર્થ આ છે—યદ્યપિ એ બધા જાતિવાચક શબ્દો છે તો પણ જાતિ એ સમાનપરિણામરૂપ છે અને સમાન પરિણામ અસમાન–વિશેષ પરિણામ સિવાય હોતો નથી, જો એમ ન હોય તો વસ્તુમાં એકત્વના પ્રસંગથી સમાનપણું ઘટી ન શકે. તાત્પર્ય એ છે કે વસ્તુમાં અસમાન પરિણામ સિવાય કેવળ સમાન પરિણામ હોય તો તે એક હોવાથી સમાનપણું ઘટી શકશે નહિ. તેથી જ્યારે અસમાન પરિણામથી અભિન્ન એવા સમાન પરિણામની પ્રધાનપણે વિવક્ષા કરાય ત્યારે અસમાન પરિણામ દરેક વ્યક્તિમાં ભિન્ન હોવાથી તેને કહેવામાં બહુવચન ઘટી શકે છે. જેમ કે ઘડાઓ, પરંતુ જ્યારે તેજ સમાન પરિણામની પ્રધાનપણે વિવક્ષા કરાય અને બીજો અસમાન પરિણામ ગૌણ હોય ત્યારે બધેય સમાન પરિણામ એક હોવાથી તેના કથનમાં એક વચન ઘટી શકે છે. જેમ કે સર્વ ઘટ પહોળા તળીયાં અને ઉદરાદિ આકારવાળા હોય છે. અહીં પણ ‘મનુષ્યા: ' મનુષ્યો ઇત્યાદિના કથનમાં અસમાન પરિણામથી અભિન્ન સમાન પરિણામ પ્રધાનપણે વિવક્ષિત છે અને તે અનેક હોવાથી તેમાં બહુવચન ઘટે છે. II૧૩૩૮૩૫ अह भंते! मणुस्सी महिसी वलवा हत्थिणिया सीही वग्घी विगी दीविया अच्छी तरच्छी परस्सरी रासभी सियाली विराली सुणिया कोलसुणिया कोक्कंतिया ससिया चित्तिया चिल्ललिया जा यावण्णा तहप्पगारा सव्वा सा इत्थिक्यू? हंता गोयमा! मणुस्सी जाव चिल्ललिगा जा यावण्णा तहप्पगारा सव्वा सा इत्थिवयू। अह भंते! मणुस्से जाव चिल्ललए जे यावन्ने तहप्पगारा सव्वा सा पुमवयू ? हंता गोयमा ! मणुस्से महिसे जाव चिल्ललए जे यावन्ने तहप्पगारा सव्वा सा पुमवयू । अह भंते! कंसं कंसोयं परिमंडलं सेलं थूभं जालं थालं तारं रुवं अच्छिं पव्वं कुंडं पठमं दुद्धं दहिं णवणीतं आसणं सयणं भवणं विमाणं छत्तं चामरं भिंगारं अंगणं णिरंगणं आभरणं रयणं जे यावन्ने तहप्पगारा सव्वं तं णपुंसगवयू ? हंता गोयमा ! कंसं जाव रयणं जे यावन्ने तहप्पगारा तं सव्वं નપુંસÍવયું IIR॰-૧૩||રૂ૮૪]] (મૂળ) હે ભગવન્! માનુષી—મનુષ્યની સ્ત્રી, મહિષી—ભેંસ, વડવા—ઘોડી, હાથણી, સિંહણ, વાઘણ, નાહરી(વરૂ), દીપડી, રીંછણ, તરક્ષી, ગેંડી, ગધેડી, શિયાળી, બિલાડી, કૂતરી, શિકારી કૂતરી, કોકતિકા—લોંકડી, સસલી, ચીત્તી, ચિલ્લલિકા અને તે સિવાયના બીજા તેવા પ્રકારના હોય તે બધા સ્ત્રીવાચી છે? હે ગૌતમ! અવશ્ય માનુષી યાવત્–ચિલ્લલિકા અને તે સિવાય બીજા તેવા પ્રકારના તે બધા સ્ત્રીવાચી છે. હે ભગવન્! મનુષ્ય યાવત્ ચિલ્લલક અને તે સિવાય તેવા તે પ્રકારના બીજા બધા પુરુષવાચી છે? હે ગૌતમ! અવશ્ય મનુષ્ય, મહિષ, યાવત્ ચિલ્લલક અને તે સિવાયના તેવા પ્રકારના બીજા બધા પુરુષવાચી છે. હે ભગવન્! કંસ, કંસોય, પરિમંડલ, શૈલ, સ્તૂપ, જાલ, સ્થાલ, તાર, રૂપ, અક્ષિપર્વ, કુંડ, પદ્મ, દૂધ; દહિં, નવનીત, અશન, શયન, ભવન, વિમાન, છત્ર, ચામર, ભૃગાર, કલશ, અંગણ— આંગણુ, નિરંગણ, આભરણ, રત્ન અને તે સિવાયના તેવા પ્રકારના બીજા બધા નપુંસકવાચી છે? હે ગૌતમ! અવશ્ય કંસ યાવત્ રત્ન અને તે સિવાયના તેવા પ્રકારના બીજા બધા તે સર્વે નપુંસકવાચી છે. ૧૩૫૩૮૪ (ટી0) ‘અહ ભંતે! મનુસ્મી' ઇત્યાદિ. માનુષી ઇત્યાદિ પ્રશ્નમાં સંશયનુ કારણ આ છે—સર્વ વસ્તુ ત્રણ લિંગવાળી છે. જેમકે આ માટીરૂપ છે, તેથી પુલ્લિંગ છે. આ માટીની પરિણતિ (પરિણામ) છે કે આ ઘટાકારવાળી પરિણતિ (પરિણામ) છે, તેથી 374
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy