SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ एक्करसमं भासापयं एगवयणाइभासापरूवणं श्री प्रज्ञापना सूत्र भाग १ તેનો અર્થ છે. સંશ-અવધિજ્ઞાની જાતિસ્મરણયુક્ત કે સામાન્ય રીતે વિશિષ્ટ મનના સામર્થ્યવાળો, તે સિવાય બીજો જાણતો નથી. પરંતુ ઉપર કહેલા સ્વરૂપવાળો સંજ્ઞી જાણે છે. એ પ્રમાણે આહારાદિ સંબન્ધી ચારે સૂત્રોનો વિચાર કરવો. પરંતુ, ‘તિરાડતા' એ દેશીપદ છે અને સ્વામીના ઘરવાચી છે. પતૃતારવ:' ભર્તા-સ્વામી, તેનો દાર-પુત્ર તે ભર્તદારક કહેવાય છે. એ પ્રમાણે ઊંટ વગેરે સંબધે પણ પાંચ સૂત્રો જાણવા. પરંત ઊંટ વગેરે પણ અત્યન્ત બાલ્ય અવસ્થાવાળા લેવા, પણ મોટી ઉંમરના ન લેવા. કારણ કે માટી અવસ્થામાં તેઓને પૂર્વોક્ત જ્ઞાનનો સંભવ છે. ૧૧૩૮રા, || વિચUTIકુમારસાવવM || अह भंते! मणुस्से महिसे आसे हत्थी सीहे वग्धे वगे दीविए अच्छे तरच्छे परस्सरे सियाले विराले सुणए कोलसुणए कोक्कंतिए ससए चित्तए चिल्ललए जे यावन्ने तहप्पगारा सव्वा सा एगवयू? हंता गोयमा! मणुस्से जाव चिल्ललए, जे यावन्ने तहप्पगारा सव्वा सा एगवयू। अह भंते! मणुस्सा जाव चिल्ललगा जे यावन्ने तहप्पगारा सव्वा सा बहुवयू? हंता गोयमा! मणुस्सा जाव चिल्ललगा सव्वा सा बहुवयू ।।सू०-१२।।३८३॥ (મૂળ) હે ભગવન્! મનુષ્ય, મહિષ—પાડો, અશ્વ, હસ્તી, સિંહ, બાઘ, વૃક–નાહાર, દીપડો, રીંછ, તરસ, પરસ્પર–ગડો, શિયાળ, બિલાડો કૂતરો, શિકારી કૂતરો, કોકેતિક–લોકડી, સસલો, ચિત્તો, ચિલ્લલક અને તે સિવાયના બીજા તેવા પ્રકારના તે બધા એકવચન છે? હે ગૌતમ! અવશ્ય મનુષ્ય યાવત્ ચિલ્લલક અને તે સિવાયના તેવા પ્રકારના તે બધા એકવચન છે. હે ભગવન્! મનુષ્યો યાવત્ ચિલ્લલકો તે સિવાય તેવા પ્રકારના બીજા બધા બહુવચન છે? હે ગૌતમ! અવશ્ય મનુષ્યો, યાવત્ ચિલ્લલકો અને તે સિવાય તેવા પ્રકારના બધા બહુવચન છે. /૧૨૩૮all (20) હવે એક વચનાદિ ભાષા સંબન્ધી સંશય દૂર કરવાને માટે પૂછે છે– મદ અંતે' ઇત્યાદિ. હે ભગવન્! મનુષ્ય, મહિષ, અશ્વ, હસ્તી સિંહ, વાઘ અને વૃક-નારહ(વરૂ) એ પ્રસિદ્ધ છે. દીપડો એ એક જાતનો ચિત્તો છે. ઋક્ષ-રીંછ, તરસ-એક વાઘની જાત, પરસ્પર-ગેડો, શૃંગાલ-શીયાળ, બિલાડો, શુનક-કૂતરો, કોલશુનક-શીકાર કરવામાં કુશળ કૂતરો, શશક-સસલો પ્રસિદ્ધ છે, 'વો તવ:' લોકડી, ચિત્રક-પ્રસિદ્ધ છે અને ચિલ્લલક એ અરણ્યનો પશુ વિશેષ છે, “ યાવન્ને તપIRI' ઇતિ. તે સિવાય બીજા બધા તેવા પ્રકારના એકવચનાન્ત શબ્દો તે ‘વવા' એકવચનપ્રતિપાદક ભાષા છે? અહીં પ્રશ્નનો આ અભિપ્રાય છે—ધર્મો અને ધર્મીના સમુદાયરૂપ વસ્તુ છે, પ્રત્યેક વસ્તુમાં અનન્તા ધર્મો છે, “મનુષ્ય' ઇત્યાદિ કથનમાં ધર્મ અને ધર્મીના સમુદાયરૂપ સંપૂર્ણ વસ્તુ પ્રતીયમાન થાય છે. કારણ કે તેવા પ્રકારનો વ્યવહાર દેખાય છે. એક અર્થમાં એકવચન અને બહુ અર્થમાં બહુવચન આવે છે. અહીં ઘણા ધમ અભિધેય-કહેવા યોગ્ય છે, તેથી એકવચન કેમ ઘટી શકે? અને લોકમાં એક વચન વડે પણ વ્યવહાર થાય છે. માટે પૂછે છે કે આ બધી એકવચન પ્રતિપાદક ભાષા છે? કાકુ-પ્રશ્નાર્થક ધ્વનિ વડે આ સૂત્ર પાઠ કહેવો, તેથી પ્રશ્નાર્થનો ખ્યાલ આવે છે. ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ! અવશ્ય આ બધી એકવચન પ્રતિપાદક ભાષા છે-ઇત્યાદિ. અક્ષરાર્થ સુગમ છે. ભાવાર્થ આ છે-શબ્દની પ્રવૃત્તિ વિવલાને અધીન છે અને તે વક્તાની વિવક્ષા પ્રયોજનના વશથી કોઈ સ્થળે, કોઈ સમયે કથંચિત્ ભિન્ન ભિન્ન હોવાથી અનિયત હોય છે. જેમ કે તે એકજ પુરુષ “આ મારો પિતા છે એમ પત્ર વડે વિવક્ષિત હોય ત્યારે તે પિતા કહેવાય છે. અને જ્યારે તેજ પુરુષ “મને આ ભણાવે છે એમ તે પત્રવડે જ વિવક્ષિત હોય ત્યારે ‘ઉપાધ્યાય' કહેવાય છે. તેમાં જ્યારે ધર્મોને ગૌણ કરી ધર્મીની પ્રધાનપણે વિવક્ષા કરાય ત્યારે ધર્મી એક હોવાથી એક વચન થાય છે અને ધર્મો ધર્મીની અંતર્ગત હોવાથી સંપૂર્ણ વસ્તુની પ્રતીતિ થાય છે. જેમ કે “તું છે. જ્યારે ધર્મીને ગૌણ કરી પાંડિત્ય, પરોપકારીપણું, મહાદાનનુંદાતાપણું વગેરે ધર્મોની પ્રધાનપણે વિવક્ષા કરાય છે ત્યારે ધર્મો ઘણા હોવાથી એક વ્યક્તિમાં પણ બહુવચન ઘટે છે. જેમકે ‘તમે છો.” તેથી અહીં પણ મનુષ્ય ઇત્યાદિના કથનમાં ધર્મોને ગૌણ કરી, ધર્મીની પ્રધાનપણે વિવક્ષા કરી છે. માટે આ પ્રકારની બધી વાણી એકવચનપ્રતિપાદક છે. “ગદ અંતે મજુસ્સો' ઇત્યાદિ સૂત્રનો 373
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy