________________
एक्करसमं भासापयं पण्णवणीभासापरूवणं
श्री प्रज्ञापना सूत्र भाग १ (ટી) “મદ અંતે'! ઇત્યાદિ. હે ભગવન્! જે સ્ત્રીઆજ્ઞાપની આજ્ઞાથ-આજ્ઞાસંપાને પ્રયુચતે મનયા સા આજ્ઞાપની'સ્ત્રીને આજ્ઞા કરનારી, પુનાજ્ઞાપની–પુરુષને આજ્ઞા કરનારી અને નપુંસવજ્ઞાપની નપુંસકને આજ્ઞા કરનારી આ ભાષા પ્રજ્ઞાપની છે? આ ભાષા અસત્ય નથી? અહીં સંશયનું કારણ આ છે–પ્રજ્ઞાપની સત્યભાષા છે અને આ ભાષા આજ્ઞા સંપાદનની ક્રિયામાં યુક્ત સ્ત્રી વગેરેને કહેનારી છે. આજ્ઞા કરાયેલ સ્ત્રી વગેરે તે પ્રકારે કરે અથવા ન કરે, તેથી સંશયને પ્રાપ્ત થયેલા ગૌતમ સ્વામી નિશ્ચયને માટે પૂછે છ–અહીં ભગવાન ઉત્તર આપે છે–‘હત્તા જોયા'! હા ગૌતમ ઇત્યાદિ અક્ષરાર્થ સુગમ છે. ભાવાર્થ આ પ્રમાણે છે-આજ્ઞાપની ભાષા બે પ્રકારે છે–એક પરલોકનો બાધ નહીં કરનારી અને બીજી પરલોકનો બાધ કરનારી તેમાં સ્વ અને પરના ઉપર ઉપકારની બુદ્ધિથી કપટ સિવાય પારલૌકિક ફળના સાધન માટે સ્વીકારેલા ઐહિક આલંબનના પ્રયોજનવાળી, વિવલિત કાર્યને સિદ્ધ કરવાના સામર્થ્ય યુક્ત વિનીત સ્ત્રી વગેરે શિષ્ય વર્ગને પ્રેરણા કરનારી આજ્ઞાપની ભાષા પરલોકનો બાધ કરનારી હોતી નથી, આજ ભાષા સાધુને પ્રજ્ઞાપની-પ્રરૂપવા લાયક છે. કારણ કે તેથી પરલોકનો બાધ થતો નથી. બીજી ભાષા તેનાથી ઊલટી છે અને તે સ્વપરને સંક્લેશ ઉત્પન્ન કરનાર હોવાથી એસત્ય ભાષા છે. કહ્યું છે કે-“અવિનીતને આજ્ઞા કરનાર ક્લેશ પામે છે, અને તે મૃષા બોલે છે. કારણ કે ઘંટના લોઢાને જાણીને તેની કટસાદડી કરવામાં કોણ પ્રવૃત્તિ કરે? ક્રિયા દ્રવ્યન–યોગ્ય વસ્તુને સંસ્કારયુક્ત કરે છે, પણ અદ્રવ્યને—અયોગ્ય વસ્તુને કરતી નથી એ અભિપ્રાય છે. II૬ll૩૭૬ll अह भंते!जा य इत्थिपण्णवणी,जा य पुमपण्णवणी,जाय नपुंसगपण्णवणी पण्णवणीणं एसा भासा, ण एसा भासा मोसा? हंता गोयमा! जा य इत्थिपण्णवणी,जा य पुमपण्णवणी,जा य नपुंसगपण्णवणी पण्णवणी णं एसा भासा, ण एसा भासा मोसा ।।सू०-६।।३७७।। (મૂ૦) હે ભગવન્! જે સ્ત્રી પ્રજ્ઞાપની, પુરુષપ્રજ્ઞાપની અને નપુસંધ્રજ્ઞાપની ભાષા તે પ્રજ્ઞાપની છે? આ ભાષા અસત્ય નથી?
હા ગૌતમ! જે સ્ત્રી પ્રજ્ઞાપની, પુરુષપ્રજ્ઞાપની અને નપુસંકપ્રજ્ઞાપની ભાષા છે તે પ્રજ્ઞાપની છે, આ ભાષા અસત્ય
નથી. //૬/૩૭૭ll (ટી.) “દ પં!િ ના ય સ્થિપvyવળી' ઇત્યાદિ. હે ભગવન્! જે સ્ત્રી પ્રજ્ઞાપની' યોનિ, કોમળતા, અસ્થિરતા, મુગ્ધતાઇત્યાદિ સ્ત્રીનાં લક્ષણને જણાવનારી છે, જે “પુરુષપ્રજ્ઞાપની–પુરુષચિહ્ન, કઠોરતા, દૃઢતા–ઇત્યાદિરૂપ પુરુષના લક્ષણને જણાવનારી છે અને જે નપુંસકપ્રજ્ઞાપની—“સ્તનાદિ અને દાઢી મૂછ વગેરેનાં સદ્ભાવ અને અભાવયુક્ત ઇત્યાદિરૂપ નપુંસકના લક્ષણને જણાવનારી છે, આ ભાષા પ્રજ્ઞાપની છે? આ ભાષા અસત્ય નથી? અહીં પ્રશ્નનો એ અભિપ્રાય છે કે સ્ત્રીલિંગાદિ શબ્દો શાબ્દિક વ્યવહારના બળથી સ્ત્રી વગેરેના લક્ષણરહિત અન્ય અર્થમાં બીજે પણ પ્રવૃત્તિ કરે છે. જેમકે ખવા, ઘટ, કુષ્ય વગેરે ખટવાદિ અર્થમાં પ્રવર્તે છે, પરંતુ તેમાં પૂર્વોક્ત સ્ત્રી વગેરેનાં લક્ષણો નથી, એ સંબંધ પૂર્વે કહ્યું છે. માટે અવ્યાપક હોવાથકી “સ્ત્રી વગેરેના લક્ષણને જણાવનારી ભાષા ન કહેવી જોઈએ કે કહેવી જોઇએ? આ પ્રમાણે સંશયને પ્રાપ્ત થયેલા ગૌતમ! સ્વામી પૂછે છે. અહીં ભગવાન ઉત્તર આપે છે–“હંતા જોયા'! હે ગૌતમ! અવશ્ય-ઈત્યાદિ અક્ષરાર્થ પ્રસિદ્ધ છે. તેનો ભાવાર્થ આ છે–અહીં સ્ત્રી વગેરેના લક્ષણ બે પ્રકારના છે–શાબ્દિક વ્યવહારગત અને શાસ્ત્રગતે. તેમાં જ્યારે શાબ્દિક વ્યવહારને અનસરી પ્રતિપાદન કરવું ઈષ્ટ હોય ત્યારે અવ્યાપક હોવાથી શાસ્ત્રગત સ્ત્રી વગેરેના લક્ષણ એ પ્રમાણે ન કહેવાં જોઇએ, તે લક્ષણોની અવ્યાપકતા તે પ્રકારે પૂર્વે લેશથી બતાવેલી છે. વિસ્તારથી સ્વોપન્નશબ્દાનુશાસનના વિવરણથી જાણવું. માટે આ ભાષા શાબ્દિક વ્યવહારને આશ્રયી પ્રજ્ઞાપની છે. જ્યારે શાસ્ત્રને અનુસરી સ્ત્રી વગેરેનું લક્ષણ પ્રતિપાદન કરવાનું હોય ત્યારે યથાવસ્થિત અર્થના કથનથી આ ભાષા પ્રજ્ઞાપનીજ છે, અસત્ય નથી. ૬૩૭૭l. अह भंते! जा जायीति इत्थिवयू, जातीइ पुमवयू, जातीति णपुंसगवयू पण्णवणी णं एसा भासा, ण एसा भासा
369