________________
एक्करसमं भासापयं पण्णवणीभासापरूवणं
श्री प्रज्ञापना सूत्र भाग १ બાળકોનો જન્મ થયો છે તેટલે અંશે યથાર્થપણાનો સંભવ છે માટે આરાધની, “દસ પૂરા નથી એટલા અંશે અયથાર્થપણાનો સંભવ હોવાથી વિરાધની, એ રીતે આરાધની વિરાધની હોવાથી સત્યમૃષા કહેવાય છે. જે તેનું લક્ષણ નહિ હોવાથી આરાધની નથી, તેમ વિપરીત વસ્તુના કથનના અભાવથી અને પરપીડાનો હેતુ નહી હોવાથી વિરાધની પણ નથી, તેમ અમુક અંશે સંવાદયથાર્થપણાના અને વિસંવાદ-અયથાર્થપણાના અભાવથી આરાધની-વિરાધની પણ નથી એવી છે સાધુ પ્રતિક્રમણ કરો, સ્પંડિલનું પ્રત્યુપેક્ષણ કરો' ઇત્યાદિ વ્યવહારસાધક આમત્રણી વગેરે ભેદવાળી અસત્યામૃષા નામે ચોથી ભાષા છે. એ હેતથી હે ગૌતમ! એમ કહું છું, ઇત્યાદિ ઉપસંહાર વાક્ય છે. III૩૭૩
|| SUMવળી મારાપવM II. अहं भंते। गाओ मिया पसू पक्खी पण्णवणी णं एसा भासा, ण एसा भासा मोसा?हंता गोयमा! गाओ मिया पसू पक्खी पण्णवणी णं एसा भासा.ण एसा भासा मोसा स०-३||३७४|| (મૂળ) હે ભગવન્! ગો-બળદ, મૃગ, પશુઓ અને પક્ષીઓ' એ ભાષા પ્રજ્ઞાપની–અર્થનું પ્રતિપાદન કરનારી છે? આ
ભાષા મૃષા–અસત્ય નથી? હે ગૌતમ! અવશ્ય ગો, મૃગ, પશુઓ અને પક્ષીઓ એ ભાષા પ્રજ્ઞાપની છે, ભાષા
અસત્ય નથી. III૩૭૪ો. (ટી) અહીં યથાવસ્થિત વસ્તુતત્ત્વનું પ્રતિપાદન કરનારી ભાષા આરાધની હોવાથી સત્ય છે એમ કહ્યું, તેથી સંશયને પ્રાપ્ત થયેલા ગૌતમ સ્વામી સંશય દૂર કરવા માટે પૂછે છે– સહ અંતે! જો fમયા' ઇત્યાદિ. હે ભગવન્! ગો-પ્રસિદ્ધ છે, મૃગો પણ પ્રસિદ્ધ છે, પશુઓ-બકરાઓ, પક્ષિઓ પણ પ્રસિદ્ધ છે, એ ભાષા પ્રજ્ઞાર્થોડાયા' ઇતિ જે વડે અર્થ જણાવાય તે પ્રજ્ઞાપની-અર્થને પ્રતિપાદન કરનારી યથાર્થ ભાષા છે? એટલે પ્રરૂપણા કરવા યોગ્ય છે? આ ભાષા સત્ય છે? આ ભાષા મૃષા નથી? અહીં પ્રશ્નનો આ ભાવાર્થ છ–ગો’ એવી ભાષા ગોજાતિનું પ્રતિપાદન કરે છે, અને જાતિમાં ત્રણે લિંગવાળા અર્થો અભિધેય-કહેવા યોગ્ય છે. કારણ કે ત્રણે લિંગનો જાતિમાં સંભવ છે. એ પ્રમાણે મૃગ, પશુ અને પક્ષી સંબધે પણ જાણવું. પરંતુ આ શબ્દો ત્રણે લિંગના વાચક નથી, કેમકે તેથી તેવા પ્રકારની પ્રતીતિ થતી નથી, પણ તે શબ્દો પુલિંગ રૂપ અર્થના વાચક છે. તેથી સંશય થાય છે કે આ ભાષા પ્રજ્ઞાપની-યથાવસ્થિત અર્થની પ્રતિપાદન કરનારી છે કે નહિ? ભગવાન્ ઉત્તર આપે છેદન્તા જોયમા'! ઇત્યાદિ. “હન્ત' શબ્દ અવધારણ અર્થમાં છે. “ૌતમ' એ આમત્રણ અર્થમાં છે. એટલે હે ગૌતમ! અવશ્ય
'-ઈત્યાદિ ભાષા પ્રજ્ઞાપની છે. તેના અર્થનું કથન કરવા માટે પ્રરૂપણા કરવા યોગ્ય છે, કારણ કે યથાવસ્થિત અર્થનું પ્રતિપાદન કરનારી હોવાથી સત્ય છે. તોપણ જાતિનું પ્રતિપાદન કરનારી આ ભાષા છે. અને જાતિનો ત્રણે લિંગની સાથે સંબન્ધ છે. માટે જાતિના પ્રતિપાદન વડે યથાસંભવ ત્રણે લિંગવાળા વિશેષ અર્થોનું પ્રતિપાદન થાય છે. તેથી યથાવસ્થિત અર્થના પ્રતિપાદનથી આ ભાષા પ્રજ્ઞાપની છે. વળી એમ જે કહેવામાં આવ્યું છે જો' વગેરે શબ્દો પુલિંગ વિશિષ્ટ અર્થના વાચક છે. તેના ઉત્તરમાં શબ્દમાં લિંગની વ્યવસ્થા વ્યાકરણ શાસ્ત્રને આધીન છે. “પુનપુંસકસફોwો પર” “પ્રાયશિશુદિgીંપે
સ્ત્રી પ્રાયઃ” ઈત્યાદિ વ્યાકરણના નિયમ છે; તેથી કોઈ શબ્દમાં વ્યાકરણના નિયમથી સ્ત્રીલિંગ, કોઈમાં પુલિંગ અને કોઇમાં નપુંસકલિંગ થાય છે. વાસ્તવિક રીતે તો બધા જાતિવાચક શબ્દ ત્રણે લિંગરૂપ અર્થને તે તે દેશ, કાળ અને પ્રસ્તાવાદિના સામર્થ્યથી કહે છે. માટે તેમાં કોઈપણ પ્રકારને દોષ નથી. આ ભાષા અન્યને પીડા કરનાર નથી, તેમજ છેતરવા વગેરે દુષ્ટ આશયથી કહેલી નથી, માટે અસત્ય નથી, તેથી પ્રજ્ઞાપની છે. ૩૩૭૪ો ૧. સ્ત્રીલિંગ, પુલિંગ અને નપુસકલિંગવાળા શબ્દોની સહોક્તિ-સાથે કથન હોય ત્યારે પર–નપુંસકલિંગવાચી શબ્દ શેષ રહે છે અને બીજાનો લોપ
થાય છે. ૨. ગ્રામ્ય અને શિશભિન્ન બે ખરીવાળા પ્રાણીઓના સમુદાયનું કથન હોય ત્યાં સ્ત્રીવાચી શબ્દ શેષ રહે છે અને બીજાનો લોપ થાય છે.
367