________________
श्री प्रज्ञापना सूत्र भाग १
एक्करसमं भासापयं ओहारिणी भासापरूवणं
શા હેતુથી કહો છો કે ‘અવધારિણી ભાષા કદાચિત્ સત્ય, કદાચિત્ મૃષા, કદાચિત્ સત્યમૃષા, કે કદાચિત્ અસત્યામૃષા હોય’? હે ગૌતમ! જે આરાધની—સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગની સાધક ભાષા તે સત્ય ભાષા, જે વિરાધની—સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગની બાધક અસત્ય ભાષા તે મૃષા, જે આરાધની અને વિરાધની બન્ને પ્રકારની તે સત્યમૃષા ભાષા, અને જે આરાધની નથી, વિરાધની નથી, તેમ આરાધની અને વિરાધની ઉભય પ્રકારની નથી તે અસત્યામૃષા નામે ચોથી ભાષા છે, તે માટે હે ગૌતમ! હું એમ કહું છું કે અવધારિણી ભાષા કદાચિત્ સત્ય, કદાચિત્ અસત્ય, કદાચિત્ સત્યમૃષા અને કદાચ અસત્યામૃષા હોય છે. ર૩૭૩||
(ટી) એ પ્રમાણે ‘ભાષા અવધારિણી છે' એમ નિર્ણય કર્યો, હવે આ અવધારિણી ભાષા સત્ય છે, ભૃષા છે ઇત્યાદિ નિર્ણય કરવા માટે પૂછે છે—‘ઓહારિળી ખં મંતે!' અવધારણી—અર્થાવબોધના કારણભૂત ભાષા શું સત્ય, મૃષા, સત્યમૃષા કે અસત્યામૃષા છે? તેમાં ‘સભ્યો હતા સત્યા'—સતને હિતકારક તે સત્ય. સત્—મુનિત્રા, કારણ કે તેઓ ભગવન્તની આશાના સમ્યક્ આરાધાક હોવાથી પરમ શિષ્ટ છે, તેઓને હિતકારક—આ લોક અને પરલોકની આરાધક હોવાથી મુક્તિ પ્રાપ્ત કરાવનાર તે સત્યભાષા. (અહીં સત્ શબ્દનો યુગાદિમાં પાઠ હોવાથી ય પ્રત્યય થયો છે.) અથવા જે જેને હિતકારક હોય તે (હિતકારક) તેને વિષે સાધુ–યોગ્ય હોય છે. સત્ત્ને માટે યોગ્ય ભાષા તે સત્ય. ‘તંત્ર સાૌ' એ વ્યાકરણના સૂત્રથી ય પ્રત્યય થયો છે. અથવા સત્ એટલે મૂળ મહાવ્રતો અને તેના સાધક ઉત્તર ગુણો, તેઓ જ જગતમાં મુક્તિપદના પ્રાપ્ત કરાવનાર હોવાથી સત્—અત્યન્ત શ્રેષ્ઠ છે, તેને હિતકારક તે સત્ય. અથવા સત્~વિદ્યમાન અને તે ભગવન્દે ઉપદેશેલા જીવાદિ પદાર્થો છે, બીજા પદાર્થોની સત્તા માત્ર કલ્પનાજન્ય હોવાથી વાસ્તવિક રીતે તે સત્ નથી: તેને યથાવસ્થિત વસ્તુતત્ત્વની પ્રરૂપણા કરવા વડે હિતકારક અથવા તેમાં સાધુ–યોગ્ય જે ભાષા તે સત્યભાષા. તેથી વિપરીત સ્વરૂપવાળી મૃષાભાષા, સત્ય અને મૃષા ઉભય સ્વભાવવાળી તે સત્યમૃષા અને જે ત્રણે ભાષામાં તેના લક્ષણના અભાવથી જેનો અન્તર્ભાવ થતો નથી અને આમન્ત્રણ, આજ્ઞા કરવી વગેરે જેનો વિષય છે એવી ભાષા અસત્યામૃષા કહેવાય છે. કહ્યું છે કે—
." सच्चा हिया सयामिह सन्तो मुणयो गुणा पयत्था वा । तव्विवरीया मोसा मीसा जा तदुभयसहावा ।। अहिगया तीसु वि सद्दो च्चिय केवलो असच्चमुसा ।"
સત્ એટલે મુનિઓ, ગુણો, અને પદાર્થો; સત્ત્ને હિતકારક તે સત્ય. તેથી વિપરીત તે મૃષા. ઉભય સ્વભાવવાળી તે મિશ્રિત ભાષા, ત્રણેને વિષે જેનો અધિકાર નથી અને જે શબ્દવ્યવહારરૂપ હોય તે અસત્યામૃષા ભાષા કહેવાય છે. હવે ભગવાન્ ઉત્તર કહે છે—ોયમા! ‘સિય સન્ના' ઇત્યાદિ. હે ગૌતમ! કદાચ સત્ય પણ હોય, કદાચિત્ અસત્ય પણ હોય, કદાચિત્ સત્યમૃષા હોય અને કદાચિત્ અસત્યામૃષા હોય. અહીં આ સંબન્ધે પ્રશ્ન કરે છે—‘સેòળદ્રુળ મંતે!' ‘હે ભગવન્ એમ શા હેતુથી કહો છો’? ઇત્યાદિ પાઠ સુગમ છે. ભગવાન્ ઉત્તર આપે છ` ગૌતમ! ‘આરાધની સત્યભાષા છે.’ અહીં વિવાદના વિષયમાં વસ્તુનું સ્થાપન કરવાની બુદ્ધિથી જે સર્વજ્ઞના મતને અનુસરી બોલાય, જેમકે આત્મા છે અને તે સત્ અસત્‚ નિત્ય, અનિત્ય આદિ અનેક ધર્મયુક્ત છે–ઇત્યાદિ યથાવસ્થિત વસ્તુને કહેવાવાળી ‘આરાધ્યતે મોક્ષમાર્ગોનયા' જેનાથી સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગનું આરાધન થાય એવી આરાધની ભાષા કહેવાય છે, અને આરાધની હોવાથી તે સત્યભાષા કહેવાય છે. વિરાધની—‘વિરાતે મુક્તિમાર્ગોનયા'−જે વડે મુક્તિમાર્ગની વિરાધના થાય તે, એટલે સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગને પ્રતિકૂલ હોય તે મૃષાભાષા કહેવાય છે. વિવાદના વિષયમાં વસ્તુનું સ્થાપન કરવાના આશયથી સર્વજ્ઞના મતથી પ્રતિકૂલપણે જે બોલાય, જેમકે ‘આત્મા નથી, અથવા તે એકાન્તનિત્ય છે’—ઇત્યાદિ તે અસત્ય ભાષા છે, તથા સત્ય છતાં બીજાને પીડા ઉત્પન્ન કરનારી વિપ૨ીત વસ્તુના કથનથી, પ૨ને પીડાનો હેતુ હોવાથી, કે મુક્તિમાર્ગની વિરાધના કરનાર હોવાથી વિરાધની અને વિરાધકભાવવાળી હોવાથી મૃષાભાષા કહેવાય છે. કોઇ નગર કે પત્તનને ઉદ્દેશી પાંચ બાળકોનો જન્મ થયો હોય ત્યારે એમ કહેવાય કે અહીં દસનો જન્મ થયો છે, તે સ્થૂલવ્યવહારનયના મતથી આરાધની-વિરાધની કહેવાય છે, કારણ કે પાંચ
366