________________
एक्करसमं भासापयं ओहारिणी भासापरूवणं
श्री प्रज्ञापना सूत्र भाग १ વડે અર્થનો નિશ્ચય થાય તે અવધારિણી અર્થા–અર્થના અવબોધનું કારણભૂત, ભાષ્યતે–બોધાય તે ભાષા, એટલે ભાષાને યોગ્ય હોવાથી પરિણમન કરેલા અને છોડી દીધેલા ભાષાવર્ગણા દ્રવ્યનો સમુદાય. આ પદનો અર્થ છે. વાક્યનો અર્થ આ પ્રમાણે છે-હે ભગવન્! હું એમ માનું છું કે ભાષા અવશ્ય અવધારિણી-અથવબોધના કારણભૂત છે, આ વિચાર્યા સિવાય એકવાર માનું છું એમ નથી, પણ વિન્તયામિ' યુક્તિદ્વારા ચિંતવું છું વિચારું છું કે ભાષા અવધારિણી છે. એમ ગૌતમ સ્વામી પોતાનો અભિપ્રાય ભગવન્તને નિવેદન કરી પ્રસ્તુત અર્થના નિશ્ચય નિમિત્તે આ પ્રમાણે ભગવન્તને પૂછે છે–‘બર મામતિ બહારની બાસા'–અથશબ્દ પ્રક્રિયા, પ્રશ્ન, અનન્તર્ય–પછી, મંગલ, ઉપન્યાસ-પ્રારંભ, પ્રતિવચન અને સમુચ્ચયના અર્થમાં છે. અહીં પ્રશ્નના અર્થમાં છે. કાકુ (પ્રશ્નાર્થક ધ્વનિ) વડે આ સૂત્રનો પાઠ કહેવો. તેથી આ અર્થ થાય છે. અથ-હે ભગવન્! હું એમ માનું, મનન કરું કે ભાષા અવધારિણી છે? બીજા અભિપ્રાયના નિવેદનને આશ્રયી પ્રશ્ન કરે છે-હું એમ ચિન્તન કરું કે ભાષા અવધારિણી છે? આ મારી માન્યતા નિર્દોષ છે? હવે પ્રશ્ન સમયની પૂર્વે જેમ મનન અને ચિન્તન કર્યું હતું, તેમ અત્યારે પ્રશ્ન સમયે પણ મનન અને ચિન્તન કરુ? અન્ય પ્રકારે નહિ? એ પ્રમાણે ભગવન્તના જ્ઞાનની સાથે સંવાદ-મેળ કરવાની ઇચ્છાવાળા ગૌતમ સ્વામી પૂછે છે–'તદ મન્ના નીતિ મોહારિણી માસા, તદ ઉત્તેતિ મોહારિણી માલા' તથા શબ્દ સમુચ્ચય, નિર્દેશ, અવધારણ, સાદગ્ય અને પ્રશ્નના અર્થમાં છે. અહીં નિર્દેશ અર્થમાં છે. કાકુ-પ્રશ્નાર્થક ધ્વનિવડે આ સૂત્રનો પણ પાઠ કહેવો. તેથી પ્રશ્નાર્થનો ખ્યાલ આવે છે. હે ભગવન્! જેમ પૂર્વે માનતો હતો તેમ અત્યારે પણ હું માનું કે “એ પ્રમાણે અવધારિણી ભાષા છે? એ પ્રશ્નનો અભિપ્રાય છે. તાત્પર્ય એ છે કે હે ભગવન્! મારા અત્યારના મનમાં કંઈપણ વિશેષ નથી, જેમ મેં પૂર્વે ચિન્તવ્યું હતું તથા-તે પ્રકારે અત્યારે ચિત્તવું કે ભાષા અવધારિણી છે? એ બરોબર છે? એ પ્રમાણે ગૌતમ સ્વામીએ પોતાના અભિપ્રાયના નિર્દેશનરૂપ પ્રશ્ન કર્યો એટલે ભગવાનું કહે છે–'દત્તા જોય! મન્નાનીતિ બહારની માસા'-હત્ત-સંપ્રેષણ, પ્રત્યવધારણ-સ્વીકાર અને વિવાદના અર્થમાં છે. અહીં પ્રત્યવધારેણ અર્થમાં જાણવો. “મન્નામ' ઇત્યાદિ ક્રિયાપદોનો પ્રાકૃત શૈલિથી કે છાન્દસ-સૂત્રની રચનાને લીધે ખ‘તમે' ના અર્થમાં પણ પ્રયોગ થાય છે. તેથી તેનો આ અર્થ છે-હા, ગૌતમ! તું માને છે કે ભાષા અવધારિણી છે એ હું કેવલજ્ઞાન વડે જાણું છું, એ અભિપ્રાય છે. અને તું ચિંતવે છે કે એ પ્રમાણે અવધારણી–અર્થનો અવબોધ કરનારી ભાષા છે, આ પણ હું કેવલજ્ઞાની હોવાથી જાણું છું. ‘મદ મન્નાલિત મોરારી બાસા'—અથ શબ્દ આનન્તર્ય (પછી)ના અર્થમાં છે, એટલે એ વાત મને સંમત હોવાથી હવે પછી તું નિઃશંક માન કે એ પ્રમાણે અવધારિણી ભાષા છે, હવે પછી તે નિઃશંક ચિન્તન કરે છે એ પ્રમાણે અવધારિણી ભાષા છે. “આ તારી માન્યતા યથાર્થ અને નિર્દોષ છે –એ અભિપ્રાય છે. જેમ તે પૂર્વે માનતો હતો ‘તથા–તે પ્રમાણે અવિકલપણે—પરિપૂર્ણપણે માન કે એ પ્રમાણે અવધારિણી ભાષા છે, તાત્પર્ય એ છે કે જેમ તે પૂર્વે મનન કર્યું હતું, અત્યારે પણ મને માન્ય હોવાથી બધું તે પ્રમાણે જ મનન કર, કંઇપણ શા ન કર, તથા સંપૂર્ણપણે ચિન્તન કર કે ‘ભાષા અવધારિણી છે'. ll૧/૩૭૩
ओहारिणी णं भंते! भासा किं सच्चा, मोसा, सच्चामोसा, असच्चामोसा? गोयमा! सिय सच्चा, सिय मोसा, सियसच्चामोसा, सिय असच्चामोसा।सेकेणटेणं भंते! एवं वुच्चति-'ओहारिणी णं भासा सिय सच्चा, सिय मोसा.सियसच्चामोसा.सिय असच्चामोसा'? गोयमा! आराहणी सच्चा, विराहणी मोसा, आराहणविराहणी सच्चामोसा, जा णेव आराहणी णेव विराहणी णेवाराहणविराहणी सा असच्चामोसा णामं सा चउत्थी भासा, से तेणद्वेणं गोयमा! एवं वुच्चति-'ओहारिणी णं भासा सिय सच्चा, सिय मोसा, सिय सच्चामोसा, सिय મળ્યાનોસા' ટૂ-રાર૭રૂા. (મૂળ) હે ભગવન્! અવધારિણી–અર્થનો બોધ કરનારી ભાષા શું સત્ય, મૃષા, સત્યમૃષા, અસત્યામૃષા છે? હે ગૌતમ! કદાચિત્ સત્ય હોય, કદાચિત્ મૃષા હોય, કદાચિત્ સત્યમૃષા હોય કે કદાચિત્ અસત્યામૃષા હોય. હે ભગવન્! એમ
365