SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ एक्करसमं भाषापयं ओहारिणी भासापरूवणं L|| વિવરરસનં મારવયં IT. ||| બોરિ મારતાપજીવM II से णूणं भंते! मण्णामीति ओहारिणी भासा? चिंतेमीति ओहारिणी भासा? अह मण्णामीति ओहारिणी भासा? अह चिंतेमीति ओहारिणी भासा? तह मण्णामीति ओहारिणी भासा? तह चिंतेमीति ओहारिणी भासा? हंता गोयमा! मण्णामीति ओहारिणी भासा, चिंतेमीति ओहारिणी भासा, अह मण्णामीति ओहारिणी भासा, अह चिंतेमीति ओहारिणी भासा, तह मण्णामीति ओहारिणी भासा, तह चिंतेमीति ओहारिणी भासा ।।सू०-१॥३७२।। અગિઆરમું ભાષાપદ (મૂળ) હે ભગવન્! હું એમ અવશ્ય માનું છું કે ભાષા અવધારિણી–અર્થનો બોધ કરનારી છે, હું એમ ચિન્તન કરું છું વિચારું છું કે ભાષા અવધારિણી છે. હું એમ માનું ભાષા અવધારિણી છે? હું એમ ચિંતન કરું કે ભાષા અવધારિણી છે? હું તે પ્રકારે મનન કરું કે ભાષા અવધારિણી છે? હું તે પ્રકારે ચિન્તન કરું કે ભાષા અવધારિણી છે? હા ગૌતમ! તું એમ માન કે ભાષા અવધારિણી છે, તું એમ વિચાર કર કે ભાષા અવધારિણી છે. તે તે પ્રકારે મનન કર કે ભાષા અવધારિણી છે, તું તે પ્રકારે ચિન્તન કર કે ભાષા અવધારિણી છે, તે પ્રકારે મનન અથવા ચિન્તન કર કે ભાષા અવધારિણી છે. 7/૧૩૭૨/. (ટી.) એ પ્રમાણે દસમા પદની વ્યાખ્યા કરી, હવે અગિયારમા પદનો પ્રારંભ કરાય છે, તેનો સંબન્ધ આ પ્રમાણે છે–અહીં પૂર્વના પદમાં પ્રાણીઓના રત્નપ્રભાદિ ઉપપાતક્ષેત્ર છે, તેના ચરમ અને અચરમ વિભાગનું પ્રતિપાદન કર્યું. અહીં ભાષાપતિવડે પર્યાપ્તાઓની સત્યાદિ ભાષાઓનો વિભાગ બતાવાય છે, તેમાં આ પ્રથમ સૂત્ર છે—“જે મૂળ મંત! મામતિ મોહારિણી પાસા' હે ભગવન્! હું અવશ્ય માનું છું કે ભાષા અવધારિણી છે” ઇત્યાદિ. એ શબ્દ અર્થ શબ્દના અર્થમાં છે. અને તે વાક્યના પ્રારંભમાં વપરાય છે. ‘નૂનમ્' અવ્યય ઉપમાન, અવધારણ, તર્ક પ્રશ્ન અને હેતના અર્થમાં વપરાય છે. અહીં અવધારણ અર્થમાં છે. “ભંતે’ ભદન્ત એ આમત્રણ છે. “મન્ય' માનું છું, જાણું છું કે “ઇતિ એ પ્રમાણે ‘અવધારિણી’— વધાર્યક્ત કર્થોડાયા-જે " હે ભગવન્! આપ નિશ્ચિત માનો છો કે ભાષા અવધારિણી–અર્થનો નિશ્ચય કરનારી છે, આપ ચિંતવો છો કે ભાષા અવઘારિણી છે? આપ જે પ્રકારે માનો છો કે ભાષા અવધારિણી છે, આપ જે પ્રકારે ચિંતવો છો કે ભાષા અવધારિણી છે તે પ્રકારે હું માનું છું કે ભાષા અવધારિણી છે, તે પ્રકારે હું ચિંતવું કે ભાષા અવધારિણી છે? હા, ગૌતમ! હું માનું છું કે ભાષા અવધારિણી છે, હું ચિંતવું કે ભાષા અવધારિણી છે. હું જે પ્રકારે માનું છું કે ભાષા અવધારિણી છે, હું જે પ્રકારે ચિંતવું છું કે ભાષા અવધારિણી છે તે પ્રકારે તુ માન કે ભાષા અવધારિણી છે, તે પ્રકારે તું ચિંતવ કે ભાષા અવધારિણી છે. અહીં મૂળ સૂત્રમાં “મન્નામિ' એવો પાઠ છે, તેથી તેનો પ્રસિદ્ધ અર્થ ‘હું માનું છું' એવો થાય છે, પરન્તુ ટીકાકાર જણાવે છે કે “મન્નાઈમ રૂચાલીનિ ક્રિયાપન પ્રતિશૈલ્યા છાત્ત્વ વા યુwવર્ષેપિ યુને.” “મન્નાઈમ' ઇત્યાદિ ક્રિયાપદો પ્રાકૃતશૈલીથી અને સૂત્રની રચના હોવાથી “પુ' શબ્દના અર્થમાં પણ પ્રયોજાય છે. વળી yહરે ર મચોપર્વે મન્યતેત્તમ વિ" (૧. ૪. ૧૦૬) એવું પાણિનીય સૂત્ર છે. તેનો અર્થ આવો થાય છે–પ્રહાસ-હાસ્ય ' ચમ્યમાન હોય ત્યારે મન્ ધાતુ જેની સમપિવર્તી હોય એવા ધાતુથી મધ્યમ પુરુષ અને ‘ક' ધાતુથી ઉત્તમ પુરુષનો પ્રત્યય લાગે છે, અને તે એકવચનમાં મૂકવામાં આવે છે. જેમકે “મચે થેન વાસ, વાસ, યાતને પિતા'. આવું તું માને કે રથમાં બેસીને હું જઇશ, પણ તું નહિ જઈ શકે, કારણ કે તારો પિતા (રથમાં બેસીને) ગયો. અહીં “કચે' નો અર્થ ‘ત્વ મળ્યસે' તું માને છે એવો થાય છે. જો કે અહીં પ્રહાસ નથી, તો પણ મન્ ધાતુથી મુખદ્ શબ્દના અર્થમાં ઉત્તમ પુરુષનો પ્રયોગ થાય છે એમ માનવાને કારણ છે, - તેથી અહીં રે પ! “મન્નાની 'તિ અથ -ને બન્ન! વં મચલે હે ભગવન્! તમે માનો છો કે 'નમ્' અવશ્ય ભાષા અવધારિણી છે? એ એક પ્રશ્ન છે, અને “મદ મન્નાનીતિ ગવાણિી પાસા' અહીં ‘પદ' યથા–જે પ્રકારે આપ માનો છો કે ભાષા અવધારિણી છે ‘ઇ' તથા તે પ્રકારે હું માનું? એ બીજો પ્રશ્ન છે અને તે બન્નેના ક્રમશઃ ઉત્તરો આપવામાં આવ્યા છે. ટીકાકારે આ સૂત્રની વ્યાખ્યા કરી છે તેને અનુસરી ઉપર મૂળના અનુવાદનો અર્થ આપ્યો છે. તે સિવાય બીજી રીતે પણ આ સૂત્રનો અર્થ થઇ શકે છે અને તે પણ સત હોવાથી અહીં આપવામાં આવ્યો છે. 364
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy