________________
दसमं चरमाचरमपयं फासचरिमाचरिमाइं
श्री प्रज्ञापना सूत्र भाग १ પ્રાપ્ત થયેલા તે પે તે 'ચરમ કે અચરમ છે-એ વિચારવડે ઉપર કહેલો ઉત્તર ઘટી શકે છે. ભવચરમસૂત્ર ગતિચરમસૂત્રની પેઠે જાણવું. નેરા મંત! માણાવળ' ઇત્યાદિ. “હે ભગવન્! નરયિક ભાષાચરમ વડે ચરમ છે કે અચરમ છે? ભાષાચરમછેલ્લી ભાષા, તેથી સૂત્રનો આ અર્થ થાય છે-હે ભગવન્! નૈરયિક ચરમભાષા વડે ચરમ છે કે અચરમ છે? બાકી બધું સુગમ છે. બહુવચનસૂત્રમાં પ્રશ્નનો ભાવાર્થ આ પ્રમાણે છે-પ્રશ્નસમયે જે નારકો છે તેઓ કાળક્રમે ચરમભાષાને પ્રાપ્ત થાય છે, તેઓ તે ચરમભાષા વડે ચરમ છે કે અચરમ છે? તેથી ઉત્તરસૂત્ર પણ ઘટે છે. એ પ્રમાણે ઉચ્છવાસ અને આહારસૂત્રનો પણ વિચાર કરવો. ભાવચરમમાં ઔદારિકભાવ લેવો, બાકી બધુ સુગમ છે.
શ્રીમદ્દઆચાર્યમલયગિરિવિરચિત પ્રજ્ઞાપના ટીકાના અનુવાદમાં દસમું ચરમપદ સમાપ્ત.
૧. સ્થિતિચરમ સંબધે બહુવચનના દડકમાં કેટલા એક સ્થિતિચરમ વડે ચરમ હોય અને કેટલાક અચરમ પણ હોય. અહીં જે નૈરયિકો
સ્વસ્થિતિના ચરમ સમયને પ્રાપ્ત થયેલા હોય તે ચરમ અને બીજા અચરમ એમ ન સમજવું, જો એમ માનીએ તો ઉત્તરસૂત્રમાં કેટલા એક ‘ારમ:' ચરમ હોય અને કેટલા ‘સત્તરમ:' અચરમ હોય' એ બહુવચન ઘટી શકશે નહિ, કારણ કે નૈરયિકોમાં ઉદ્વર્તનાવિરહનો ઉત્કૃષ્ટ કાળ બાર મુહૂર્તનો કહ્યો છે, એટલે તે દરમ્યાન કોઇ નૈરયિક અવતો નથી, તેમજ કદાચિત્ એકાદિ નૈરયિકની પણ ઉદ્વર્તના હોય છે એટલે પ્રશ્નસમયે જ્યારે એક પણ નૈરયિક સ્થિતિના ચરમ સમયને ન પ્રાપ્ત થયેલો હોય, અથવા એક કે બે નૈરયિક પ્રાપ્ત થયેલા હોય ત્યારે કેટલાક ચરમ હોય અને કેટલાક અચરમ હોય એ ઉત્તર ઘટી શકે નહિ, માટે પ્રશ્નસમયે જે નૈરયિકો છે તેમાં કેટલાક ચરસંસ્થિતિને પ્રાપ્ત થયેલા હોય કે અનુક્રમે થવાના હોય, પણ ફરીથી નરકમાં આવી સ્થિતિના ચરમ સમયનો અનુભવ નહિ કરે તે સ્થિતિચરમ જાણવા અને ફરીથી નરકમાં આવી સ્થિતિના ચરમ સમયનો અનુભવ કરશે તે અચરમ જાણવા–અનુવાદક. ,
અરિહંત ઈન્દ્રો અને દેવતાઓની સેવાની અપેક્ષા રાખતા જ નથી. તે ઈન્દ્રો તો પોતાના સ્વાર્થ માટે જ અરિહંતની ભક્તિ કરે છે. એમનો સ્વાર્થ અરિહંતની ભક્તિ દ્વારા અરિહંત બનવાનો છે. અરિહંતની પાસે યાચકો આવવાના જ. એમાં બેમત નથી જ, પણ એજ યાચકો મેળવી જાય છે, જે યાચકો એમની પાસે જે હોય છે તે જ માંગે છે. પણ જે યાચકો એમના દ્વારા તજાયલું માગે છે તે તો ખાલી હાથે જ પાછા જાય છે. એમાં આશ્ચર્ય પણ નથી જ. અને શંકાને સ્થાન પણ નથી જ. અરિહંતના શાબ્દિક અર્થને જ જો લેવામાં આવે તો અનર્થ થઈ જાય. કારણ કે શાબ્દિક અર્થ તો અરિ-શત્રુ, હત-હણનાર, શત્રુને હણનાર ને અરિહંત એમ થાય છે. આ જગતમાં પોતાના શત્રુને હણનારા તો અનેક છે. એથી એ સર્વે અરિહંત પદમાં આવી જાય પણ એ અર્થ ઈષ્ટ નથી. તેથી તે શબ્દનો તાત્વિક અર્થ લેવો પડે અને તે અરી=અંતરંગ શત્રુ [રાગ-દ્વેષ હત=હણનાર, રાગ-દ્વેષ રૂપી અંતરંગ શત્રુઓને હણનાર તે અરિહંત એ માટે પ્રત્યેક શબ્દનો તાત્વિક અર્થ જ વિચારવો સમજવો આવશ્યક છે. આત્મગુણ પ્રગટ કરવા અરિહંત એજ સર્વોત્તમ આલંબન છે. માટે એમના આલંબનનો ત્યાગ કરનાર તો સમુદ્રની અધવચ્ચે નૌકાનો ત્યાગ કરનાર વ્યક્તિના જેવો છે.
- જયાનંદ
- 363