________________
दसमं चरमाचरमपयं चरिमाचरिमपयाणं अप्पबहुत्तं
श्री प्रज्ञापना सूत्र भाग १ लोगस्स य अलोगस्स य अचरमं च चरमाणि य दो वि विसेसाहियाई, परसट्ठयाते सव्वत्थोवा लोगस्स चरमन्तपदेसा, अलोगस्स चरमन्तपदेसा विसेसाहिआ, लोगस्स अचरमन्तपएसा असंखेज्जगुणा, अलोगस्स अचरमन्तपएसा अणन्तगुणा, लोगस्स य अलोगस्स य चरमन्तपदेसा य अचरमन्तपदेसा दो वि विसेसाहिया। दव्वट्ठपएसट्टयाए सव्वत्थोवे लोगालोगस्स दव्वट्ठयाए एगमेगे अचरमे, लोगस्स चरमाई असंखेज्जगुणाई, अलोगस्स चरमाई विसेसाहियाई, लोगस्स य अलोगस्स य अचरमं च चरमाणि य दो वि विसेसाहियाई, लोगस्स चरमन्तपदेसा असंखेज्जगुणा, अलोगस्स य चरमन्तपएसा विसेसाहिया, लोगस्स अचरमन्तपएसा असंखेज्जगुणा,अलोगस्स अचरमंतपएसा,अणंतगुणा, लोगस्सय अलोगस्सयचरमन्तपएसाय अचरमन्तपएसा य दो वि विसेसाहिया, सव्वदव्वा विसेसाहिया, सव्वपएसा अणंतगुणा, सव्वपज्जवा अणंतगुणा Iટૂ૦-૧/રૂા . (મૂળ) હે ભગવન્! લોક અને અલોકમાં અચરમ ખંડ. ચરમ ખંડો, ચમાત્તપ્રદેશો અને અચાન્તપ્રદેશોમાં દ્રવ્યાર્થરૂપે,
પ્રદેશાર્થરૂપે અને દ્રવ્યાર્થપ્રદેશાર્થરૂપે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમે! સૌથી થોડા લોક અને અલોકનો દ્રવ્યાર્થરૂપે એક એક અચરમ ખંડ છે, તેથી લોકના ચરમખંડો અસંખ્યાતગુણા છે, તેથી અલોકના ચરમ ખંડો વિશેષાધિક છે, તેથી લોકનો અને અલોકનો અચરમ ખંડ અને ચરમ ખંડો બન્ને મળી વિશેષાધિક છે. પ્રદેશાર્થરૂપે સૌથી થોડા લોકના ચરમાત્તપ્રદેશો છે, તેથી અલોકના ચરમાત્તપ્રદેશો વિશેષાધિક છે, તેથી લોકના અચરમાત્તપ્રદેશો અસંખ્યાતગુણા છે, તેથી અલોકના અચરમાત્તપ્રદેશ અનન્તગુણા છે, તેથી લોકના અને અલોકના ચરમાત્તપ્રદેશો અને અચરમાત્તપ્રદેશો બન્ને મળી વિશેષાધિક છે. દ્રવ્યાર્થપ્રદેશાર્થરૂપ–સૌથી થોડો લોક અને અલોકનો દ્રવ્યાર્થરૂપે એક એક અચરમ ખંડ છે, તેથી લોકના ચરમખંડો અસંખ્યાતગુણા છે, તેથી અલોકના ચરમ ખંડો વિશેષાધિક છે, તેથી લોકના અને અલોકના અચરમ ખંડ અને ચરમ ખંડો બન્ને મળી વિશેષાધિક છે, તેથી લોકના ચરમાત્તપ્રદેશો અસંખ્યાતગુણા છે. તેથી અલોકના ચરમાત્તપ્રદેશો વિશેષાધિક છે, તેથી લોકના અચરમાત્તપ્રદેશો અસંખ્યાતગુણા છે, તેથી અલોકના અચરમાત્તપ્રદેશો અનન્તગુણા છે, તેથી લોકના અને અલોકના ચરમાન્તપ્રદેશ અને અચરમાત્તપ્રદેશો બન્ને મળી વિશેષાધિક છે, તેથી સર્વ દ્રવ્યો વિશેષાધિક છે તેથી સર્વ પ્રદેશ અનન્તગુણા છે અને તેથી સર્વ પર્યાયો
અનન્તગુણા છે. //પ૩પ૭ll (ટી) હવે લોક અલોકના સમુદાય વિષે પ્રશ્નસૂત્ર કહે છે તો તો . જે અંતે! નવરમ ય રમાન – ભગવન્! લોક અને અલોકના અચરમખંડ, ચરમખંડો ઇત્યાદિ સંબંધે પ્રશ્નસૂત્ર સુગમ છે. હવે તેનો ઉત્તર આપે છ– હે ગૌતમ! ઇત્યાદિ. લોકનો અને અલોકનો એક એક અચરમ-મધ્યવર્તી ખંડ છે તે એક હોવાથી સૌથી અલ્પ છે. તેથી લોકના ચરમખંડ દ્રવ્યો અસંખ્યાતગુણા છે. કારણ કે તે અસંખ્યાતા છે. તેથી અલોકના ચરમખંડો વિશેષાધિક છે. તેનું કારણ એ છે કે અહીં યદ્યપિ લોકના ચરમખંડો વાસ્તવિક રીતે અસંખ્યાતા છે, તો પણ પૂર્વે બતાવેલ પૃથિવીનો સ્થાપનાની કલ્પનાથી એક એક ચાર દિશાએ અને એક એક ચાર વિદિશામાં એમ આઠ કલ્પવા. અલોકના ચરમખંડો તેની સ્થાપનાની કલ્પનાથી એક એક ચાર દિશામાં અને બબ્બે ચાર વિદિશામાં એમ બાર કલ્પવા. બાર આઠથી બમણા નથી, એમ ત્રણગુણા નથી, પરંતુ વિશેષાધિક છે. તે અલોકના ચરમખંડોથી લોક અને અલોકના અચરમખંડ અને ચરમખંડો બન્ને મળીને વિશેષાધિક છે, તે આ પ્રમાણેલોકના ચરમખંડો પૂર્વે કહેલી કલ્પનાથી આઠ અને એક અચરમખંડ બન્ને મળી નવ થાય છે, અલોકના ચરમખંડો બાર અને એક અચરમખંડ મળીને તેર થાય છે. લોક અને અલોક બન્નેના એકઠા કરવાથી બાવીશ થાય છે અને તે બારથી બમણા નથી. ત્રણગણા નથી, પરંતુ વિશેષાધિક છે. માટે અલોકના ચરમખંડોથી સમુદિત લોકાલોકના ચરાચરમ ખંડો વિશેષાધિક છે.
341