SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ नवमं जोणिपयं नेरइयाइसु संवुडाइजोणीओ जहा असुरकुमाराणं ।।सू०-५।।३४७।। (મૂળ) હે ભગવન્! નરયિકોને શું સચિત્તયોનિ, અચિત્તયોનિ કે મિશ્રયોનિ હોય છે? હે ગૌતમ! તેઓને સચિત્ત અને મિશ્રયોનિ નથી, પણ અચિત્તયોનિ છે. હે ભગવન્! અસુરકુમારોને શું સચિત્તયોનિ, અચિત્તયોનિ કે મિશ્રયોનિ હોય છે? હે ગૌતમ! સચિત્ત અને મિશ્રયોનિ નથી, પણ અચિત્તયોનિ હોય છે. એ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું. હે ભગવન્! પૃથિવીકાયિકોને શું સચિત્ત, અચિત્ત કે મિશ્રયોનિ હોય છે? હે ગૌતમ! સચિત્ત, અચિત્ત અને મિશ્ર ત્રણ પ્રકારે યોનિ હોય છે. એ પ્રમાણે યાવત્ ચઉરિન્દ્રિય સુધી જાણવું. સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચો અને સંપૂર્ણિમ મનુષ્યોને એમજ જાણવું. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો અને ગર્ભજ મનુષ્યોને સચિત્ત અને અચિત્ત યોનિ નથી, પણ મિશ્રયોનિ હોય છે. વાવ્યન્તર, જ્યોતિર્ષિક અને વૈમાનિકોને અસુરકુમારોની પેઠે જાણવું. //પ૩૪૭ll. (ટી૦) અલ્પબદુત્વના વિચારમાં સૌથી થોડા જીવો મિશ્રયોનિ વાળા છે, કારણ કે ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોની જ મિશ્ર યોનિ છે. તેથી અચિત્તયોનિવાળા અસંખ્યાતગુણા છે, કારણ કે નારકો, દેવો અને કેટલાક, પૃથિવી, અપ, તેજસુ, વાયુ, પ્રત્યેક વનસ્પતિ, બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, સંમૂર્શિમ તિર્યંચ પંચેન્દ્રિય અને સંમૂર્છાિમ મનુષ્યોની અચિત્ત યોનિ છે. તેથી યોનિરહિત અનન્તગુણા છે, કારણ કે સિદ્ધો અનન્ત છે. તેથી સચિત્તયોનિવાળા અનન્તગુણા છે. કારણ કે નિગોદના જીવોની સચિત્ત યોનિ છે અને તેઓ સિદ્ધાં કરતાં પણ અનન્તગુણા છે. પી૩૪૭ एएसिणं भंते! जीवाणं सचित्तजोणीणं अचित्तजोणीणं मीसजोणीणं अजोणीण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा। सव्वत्थोवाजीवा मीसजोणिया, अचित्तजोणिया असंखेज्जगुणा, अजोणिया अणंतगुणा, सचित्तज़ोणिया अणंतगुणा ।।सू०-६।।३४८।। ' (૧) હે ભગવન્! સચિત્તયોનિ વાળા, અચિત્તયોનિ વાળા, મિશ્રયોનિ વાળા અને યોનિરહિત એ જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક હોય છે? હે ગૌતમી સૌથી થોડા જીવો મિશ્રયોનિવાળા હોય છે, તેથી અચિત્તયોનિવાળા અસંખ્યાતગુણા છે, તેથી યોનિરહિત અનન્તગુણા છે અને તેથી સચિત્તયોનિવાળા અનન્તગુણા છે. /6/૩૪૮ ' TIPરાફર સંપુરૂનોળો | कइविहा णं भंते! जोणी पन्नत्ता? गोयमा। तिविहा जोणी पन्नत्ता? तं जहा-संवुडा जोणी, वियडा जोणी, संवुडवियडा जोणी ।।सू०-७।।३४९।। (મૂ૦) હે ભગવન્! કેટલા પ્રકારની યોનિ કહી છે? હે ગૌતમ! ત્રણ પ્રકારની યોનિ કહી છે. તે આ પ્રમાણે—સંવૃતયોનિ, - વિવૃત યોનિ અને સંવૃતવિવૃતયોનિ. //૭/૩૪૯ll (20) હવે ફરી પણ પ્રકારાન્તરથી યોનિનું પ્રતિપાદન કરે છે– હે ભગવન્! કેટલા પ્રકારની યોનિ કહી છે? તેમાં નારકોની સંવૃત યોનિ છે, કારણ કે નારકોની ઉત્પત્તિના સ્થાનરૂપ નરકનિષ્ફટો બંધ કરેલા ગવાક્ષ જેવા છે, તેમાં ઉત્પન્ન થયેલા નરયિકો વૃદ્ધિ પામતાં તેઓની અંદરથી બાહર પડે છે. શીત ઉપપાતસ્થાનોથી ઉષ્ણ ક્ષેત્રમાં અને ઉષ્ણ ઉપપાત સ્થાનોથી શીત ક્ષેત્રમાં પડે છે. ભવનપતિ, વન્તર, જ્યોતિષિક, અને વૈમાનિકોની પણ સંવૃત યોનિ હોય છે, કારણ કે તેઓ દેવદૂષ્ય વસ્ત્રથી ઢંકાયેલ દેવશધ્યામાં ઉત્પન્ન થાય છે. “રેવતળિsiાંતિ દેવદૂતંતરિપ બંધુતસંહે ઝરૂખાને સરાહના વવશ્વ"| દેવદૂષ્ય વસ્ત્રથી આચ્છાદિત દેવશયામાં અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ શરીરની અવગાહના વડે ઉત્પન્ન થાય છે–એવું શાસ્ત્ર વચન છે. એકેન્દ્રિયો પણ સંવૃતયોનિ વાળા છે કારણ કે તેઓની યોનિ સ્પષ્ટ જણાતી નથી. બેઈન્દ્રિયથી આરંભી ચઉરિન્દ્રિય સુધીના જીવો, સંમૂર્શિમ તિર્યંચ પંચેન્દ્રિય અને સંમૂર્છાિમ મનુષ્યોની વિવૃત યોનિ હોય છે. કારણ કે તેઓનું ઉત્પત્તિસ્થાન જલાશયાદિ સ્પષ્ટ જણાય છે. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને ગર્ભજ મનુષ્યોની સંવૃતવિવૃત યોનિ છે. કારણ કે - 334.
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy