________________
नवमं जोणिपयं नेरइयाइसु सचित्ताइजोणीओ
श्री प्रज्ञापना सूत्र भाग १ ઉષ્ણયોનિ વાળા અને અપ્લાયિકો શીતયોનિ વાળા પ્રત્યક્ષ જણાય છે. રા૩૪૪ एएसिणं भंते! सीतजोणियाणं उसिणजोणियाणं सीतोसिणजोणियाणं अजोणियाण य कयरे कयरेहितो अप्पा वा, बहुया वा, तुल्ला वा, विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा जीवा सीतोसिणजोणिया, उसिणजोणिया असंखेज्जगुणा, अजोणिया अणंतगुणा, सीतजोणिया अणंतगुणा ।।सू०-३।।३४५॥ . (મૂ૦) હે ભગવન્! શીતયોનિ વાળા, ઉષ્ણુયોનિ વાળા, શીતોષ્ણયોનિ વાળા અને યોનિરહિત જીવોમાં કોણ કોનાથી અલ્પ,
બહુ, તુલ્ય, કે વિશેષાધિક હોય છે? હે ગૌતમ! સૌથી થોડા જીવો શીતોષ્ણયોનિ વાળા હોય છે, તેથી ઉષ્ણયોનિવાળાં
અસંખ્યાતગુણા છે, તેથી યોનિરહિત અનન્તગુણા છે અને તેથી શીતયોનિ વાળા અનન્તગુણા છે. //ર ૩૪પ ' (ટી.) અલ્પબદુત્વના વિચારમાં સૌથી થોડા શિતોણરૂપ ઉભયયોનિ વાળા જીવો હોય છે, કારણ કે ભવનવાસી, ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય, ગર્ભજ મનુષ્ય, વ્યન્તર, જ્યોતિષિક અને વૈમાનિકોની ઉભયરૂપ યોનિ છે. તેથી સંખ્યાતગુણા ઉષ્ણુયોનિ વાળા છે, કારણ કે સૂક્ષ્મ અને બાદર બન્ને પ્રકારના તેજસ્કાયિકો, ઘણા નરયિકો અને કેટલાક પૃથિવી, પાણી વાયુ અને પ્રત્યેક વનસ્પતિ ઉષ્ણયોનિ વાળા છે. તેથી યોનિરહિત અનન્તગુણા છે, કારણ કે સિદ્ધો અનંત છે. તેથી શીતયોનિવાળા અનંતગુણા છે. કારણ કે બધા અનંતકાયિકો શીતયોનિ વાળા છે. અને તેઓ સિદ્ધોથી અનંતગુણા છે. રિ ૩૪પી
|| નેરડ્રાફર સરિત્તારૂનોળાનો || कतिविहा णं भंते! जोणी पन्नत्ता? गोयमा! तिविहा जोणी पन्नत्ता, तं जहा–'सचित्ता, 'अचिता, 'मीसिया Iટૂ-જીરૂદ્દા (મૂ૦) હે ભગવન્! યોનિ કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ! યોનિ ત્રણ પ્રકારે કહી છે. આ પ્રમાણ– સચિત્ત, અચિત્ત
અને મિશ્ર યોનિ. //૪/૩૪૬/l (ટી) હવે બીજા પ્રકારે યોનિનું પ્રતિપાદન કરે છે– હે ભગવન્! યોનિ કેટલા પ્રકારની છે”? સચિત્ત-જીવપ્રદેશના સંબંધવાળી, અચિત્ત-સર્વથા જીવરહિત, અને મિશ્ર-અંશતઃ જીવપ્રદેશ સહિત અને અંશતઃ જીવપ્રદેશરહિત-એમ ત્રણ પ્રકારે છે. તેમાં નરયિકોનું જે ઉપપાતક્ષેત્ર છે તે કોઈ પણ જીવે શરીરરૂપે ગ્રહણ કરેલું નથી માટે તેઓની અચિત્ત યોનિ છે. યદ્યપિ સૂક્ષ્મ એકેન્દ્રિયો સકલ લોકવ્યાપી છે તો પણ તેના આત્મપ્રદેશો સાથે ઉપપાતસ્થાનના પગલો પરસ્પર અભેદાત્મક સંબંધવાળા નથી, એટલે તે જીવોએ ઉપપાતસ્થાનના પુદ્ગલો શરીરરૂપે ગ્રહણ કરેલા નથી, માટે તેઓની અચિત્ત યોનિ છે. એ પ્રમાણે અસુરકુમારાદિ ભવનપતિઓની, તથા વ્યન્તર, જ્યોતિર્ષિક અને વૈમાનિકોની અચિત્ત યોનિ જાણવી. પૃથિવીકાયિકથી માંડી સંમૂર્છાિમ મનુષ્ય પર્યન્ત જીવોનું ઉપપાતક્ષેત્ર અન્ય જીવોએ ગ્રહણ કરેલું હોય છે, ક્વચિત્ ગ્રહણ કરેલું હોતું નથી અને અંશતઃ ગ્રહણ કરેલું અને અંશતઃ નહિ ગ્રહણ કરેલું ઉભય સ્વભાવવાળું પણ હોય છે માટે તેઓની ત્રણ પ્રકારની યોનિ છે. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને ગર્ભજ મનુષ્યોની જ્યાં ઉત્પત્તિ થાય છે ત્યાં અચેતન પણ શુક્ર અને શોણિતના પુલો હોય છે માટે તેઓની મિશ્ર યોનિ હોય છે. જાપ૩૪૬ll. नेरइयाणं भंते! किं सचित्ता जोणि, अचित्ता जोणी, मीसीया जोणी? गोयमा! नो सचित्ता जोणी, अचित्ता जोणी, नो मीसियाजोणी। असुरकुमाराणं भंते! किंसचित्ताजोणी, अचित्ता जोणी,मीसियाजोणी? गोयमा! नो सचित्ता जोणी, अचित्ता जोणी, नो मीसिया जोणी, एवं जाव थणियकुमाराणं। पुढविकाइयाणं भंते! किं सचित्ता जोणी, अचित्ता जोणी, मीसिया जोणी? गोयमा! सचित्ता जोणी वि, अचित्ता जोणी वि, मीसिया वि जोणी, एवं जाव चरिदियाणं।संमुच्छिमपंचेंदियतिरिक्खजोणियाणंसंमुच्छिममणुस्साण य एवं चेव।गब्मवक्कंतियपंचिंदियतिरिक्खजोणियाणं गब्भवक्कंतिमणुस्साण य नो सचित्ता, नो अचित्ता, मीसियाजोणी। वाणमंतर-जोइसिय-वेमाणियाणं
- 333