________________
श्री प्रज्ञापना- सूत्र भाग १
नवमं जोणिपयं नेरइयाइसु सीयाइजोणीओ ગૌતમ! તેઓને ત્રણે પ્રકારની યોનિ હોય છે. હે ભગવન્! ગર્ભજ મનુષ્યોને શું શીતયોનિ, ઉષ્ણયોનિ કે શીતોષ્ણયોનિ હોય છે? હે ગૌતમ! તેઓને શીત અને ઉષ્ણયોનિ નથી પણ શીતોષ્ણયોનિ હોય છે. હે ભગવન્! વાનવ્યન્તર દેવોને શું શીતયોનિ, ઉષ્ણયોનિ કે શીતોષ્ણયોનિ હોય છે? હે ગૌતમ! તેઓને શીત અને ઉષ્ણયોનિ નથી, પણ શીતોષ્ણુયોનિ હોય છે. જ્યોતિષિક અને વૈમાનિકોને પણ એમજ જાણવું. ૨૩૪૪॥
(ટી) એ પ્રમાણે આઠમા પદની વ્યાખ્યા કરી, હવે નવમા પદનો પ્રારંભ કરાય છે. તેનો આ પ્રમાણે સમ્બન્ધ છે—પૂર્વના પદમાં પ્રાણીઓના સંશારૂપ પરિણામો કહ્યા, અને આ પદમાં તેઓની યોનિઓ કહેવાય છે, તેનું આ પ્રથમ સૂત્ર છે—‘વિહા ખં ભંતે! ખોળી પન્નત્તા'? હે ભગવન્! કેટલા પ્રકારની યોનિ કહી છે’? ઇત્યાદિ. તેમાં યોનિ શબ્દનો અર્થ શો છે? તે કહે છે– યોનિ શબ્દમાં ‘યુ’ ધાતુ મિશ્ર થવાના અર્થમાં છે. ‘યુવન્તિ માં’—જેમાં તૈજસકાર્યણશ૨ી૨વાળા જીવો ઔદારિકાદિ શરીરયોગ્ય પુદ્ગલ સ્કન્ધના સમુદાયની સાથે મિશ્ર થાય તે યોનિ–'ઉત્પત્તિસ્થાન. અહીં ઔણાદિ ‘નિ’ પ્રત્યય લાગેલો છે. હવે ભગવાન્ ઉત્તર આપે છે–ત્રણ પ્રકારની યોનિ કહી છે. તે આ પ્રમાણ—શીત, ઉષ્ણ, શીતોષ્ણ, તેમાં શીતસ્પર્શના પરિણામવાળી શીતયોનિ, ઉષ્ણસ્પર્શના પરિણામવાળી ઉષ્ણયોનિ અને શીત અને ઉષ્ણ ઉભય સ્પર્શના પરિણામવાળી શીતોષ્ણ યોનિ કહેવાય છે. તેમાં નૈયિકોને બે પ્રકારની યોનિ હોય છે–શીત અને ઉષ્ણ યોનિ. પણ તેઓને શીતોષ્ણ યોનિ હોતી નથી. કઈ નરક પૃથિવીમાં કઈ યોનિ હોય છે? તે કહે છે–રત્નપ્રભા, શર્કરાપ્રભા, અને વાલુકાપ્રભામાં જે નૈયિકોના ઉપજવાના ક્ષેત્રો છે તે બધાં શીતસ્પર્શના પરિણામવાળાં છે, અને ઉપજવાના ક્ષેત્ર સિવાયનું બાકી બધું એ ત્રણે નકપૃથિવીમાં ઉષ્ણસ્પર્શના પરિણામવાળું છે, તેથી ત્યાંના શીતયોનિવાળા નૈરયિકો ઉષ્ણ વેદના અનુભવે છે. પદ્મપ્રભામાં ઘણાં ઉપપાત ક્ષેત્રો શીતસ્પર્શના પરિણામવાળાં છે અને થોડાં ઉષ્ણસ્પર્શના પરિણામવાળાં છે. જે પ્રસ્તટોમાં (પાથડામાં) અને જે નરકાવાસોમાં શીતસ્પર્શના પરિણામવાળાં ઉપપાતક્ષેત્રો છે તેમાં ઉપપાતક્ષેત્ર સિવાય બધું ઉષ્ણસ્પર્શના પરિણામવાળું છે. જે પ્રસ્તટોમાં અને જે નરકાવાસોમાં ઉષ્ણસ્પર્શના પાિમવાળાં ઉપપાતક્ષેત્રો છે તેમાં તે સિવાય બધું શીતસ્પર્શના પરિણામવાળું છે, તેથી ત્યાંના ઘણા શીતયોનિવાળા નૈરયિકો ઉષ્ણ વેદના અનુભવે છે અને થોડા ઉષ્ણયોનિવાળા શીતવેદના અનુભવે છે. ધૂમપ્રભામાં ઘણા ઉપપાત ક્ષેત્રો ઉષ્ણસ્પર્શના પરિણામવાળાં છે અને થોડાં શીતસ્પર્શના પરિણામવાળાં છે. જે પ્રસ્તટોમાં અને જે નરકાવાસોમાં ઉષ્ણસ્પર્શનાં પરિણામવાળાં ઉપપાત ક્ષેત્રો છે તેઓમાં તે સિવાય બધું શીતસ્પર્શના પરિણામવાળું છે, જેઓમાં શીતસ્પર્શના પરિણામવાળાં ઉપપાતક્ષેત્રો છે તેમાં બધું ઉષ્ણસ્પર્શના પરિણામવાળું છે, તેથી ત્યાંના ઘણા ઉષ્ણયોનિવાળા નારકો શીતવેદના અનુભવે છે, અને થોડા શીતયોનિવાળા નારકો ઉષ્ણવેદના અનુભવ કરે છે. તમઃપ્રભામાં અને તમઃતમઃપ્રભામાં બધાં ઉપપાતક્ષેત્રો ઉષ્ણસ્પર્શના પરિણામવાળાં છે અને તે સિવાય બાકી બધું શીતસ્પર્શના પરિણામવાળું છે. તેથી ત્યાંના ઉષ્ણયોનિવાળા નારકો શીતવેદના અનુભવે છે. ભવનવાસી, ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ, ગર્ભજ મનુષ્યો, વ્યન્તર, જ્યોતિષિક, અને વૈમાનિકોના ઉપપાતક્ષેત્રો શીત અને ઉષ્ણ ઉભય સ્પર્શવાળાં છે, તેથી તેઓની યોનિ ઉભય સ્વભાવવાળી છે, પણ કેવળ શીત કે ઉષ્ણ નથી. અપ્લાયિક સિવાય બધા એકેન્દ્રિયો, બેઇન્દ્રિયો, તેઇન્દ્રિયો, ચઉરિન્દ્રિયો, સંમૂર્છાિમ તિર્યંચ પંચેન્દ્રિયો અને સંમૂર્ણિમ મનુષ્યોના ઉપપાતસ્થાનો શીતસ્પર્શવાળાં, ઉષ્ણસ્પર્શવાળા અને ઉભયસ્પર્શવાળાં પણ હોય છે, માટે તેઓની ત્રણે પ્રકારની યોનિ હોય છે, તેજસ્કાયિકો
૧. તે યોનિ દરેક જીવનિકાયને વર્ણ, ગન્ધ, રસ અને સ્પર્શના ભેદથી અનેક પ્રકારની છે, તે આ પ્રમાણે—પૃથિવી, પાણી, અગ્નિ, અને વાયુ પ્રત્યેકની સાત સાત લાખ, પ્રત્યેક વનસ્પતિકાયની દસ લાખ, અનન્તકાયની ચૌદ લાખ, બેઇન્દ્રિય તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય પ્રત્યેકની બબ્બે લાખ, દેવ ના૨ક અને તિર્યંચ પંચેન્દ્રિયની ચાર ચાર લાખ અને મનુષ્યોની ચૌદ લાખ યોનિ હોય છે. સર્વ મળીને ચોરાશી લાખ યોનિ થાય છે. યદ્યપિ વ્યક્તિભેદની અપેક્ષાએ અનન્ત જીવો હોવાથી અનન્ત યોનિ થાય, તો પણ સમાન વર્ણ, ગન્ધ, રસ, સ્પર્શીવાળી ઘણી યોનિ છતાં પણ સામાન્યપણે જાતિરૂપે એક યોનિ તરીકે ગણાય છે, માટે ચોરાશી લાખ જ યોનિ થાય છે, કહ્યું છે કેसमवण्णाइसमेया बहवोवि हु जोणिभेअलक्खा उ। सामन्ना घेप्पंति ह एक्कजोणीए गहणेणं " |
44
સમાનવર્ણાદિસહિત ઘણા લાખ યોનિના ભેદો થાય છે તો પણ સામાન્યપણે એક યોનિના ગ્રહણ વડે ગ્રહણ કરાય છે. 332