SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ छटुं वक्कति पयं अट्ठमं आगरिसदारं सिणं ते! जीवाणं जातिनामनिहत्ताउयं जहन्नेणं एक्केण वा दोहिं वा तीहिं वा उक्कोसेणं अट्ठहिं आगरिसेहिं . पकरेमाणाणं कतरे कतरेहिन्तो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा जीवा जातिणामनिहत्ताउयं अट्ठहिं आगरिसेहिं पकरेमाणा, सत्तहिं आगरिसेहिं पकरेमाणा संखेज्जगुणा, छहिं आगरिसेहिं पकरेमाणा संखेज्जगुणा, एवं पंचहिं संखिज्जगुणा, चउहिं संखिज्जगुणा, तीहिं संखिज्जगुणा, दोहिं संखिज्जगुणा, एगेणं आगरिसेणं पगरेमाणा संखेज्जगुणा । एवं एतेणं अभिलावेणं जाव अणुभागनामनिहत्ताउयं, एवं एते छप्पिय अप्पाबहुदंडगा जीवादीया भाणियव्वा ।। सू० - ४९ ।। ३२८ ।। इति बन्नवणाए भगवईए वक्कतियपयं छट्टं समत्तं ६ । (મૂળ) હે ભગવન્! જાતિનામનિધત્તાયુષ્યને જઘન્યથી એક, બે કે ત્રણ આકર્ષ વડે અને ઉત્કૃષ્ટથી આઠ આકર્ષ વડે બાંધતા એ જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક હોય છે? હે ગૌતમ! જાતિનામનિધત્તાયુષ્યને આઠ આકર્ષ વડે બાંધતા જીવો સૌથી થોડા છે, તેથી સાત આકર્ષ વડે બાંધતા જીવો સંખ્યાતગુણા છે. તેથી છ આકર્ષવડે બાંધતા જીવો સંખ્યાતગુણા છે. એ પ્રમાણે પાંચ આકર્ષ વડે બાંધતા સંખ્યાતગુણા, તેથી ચાર આકર્ષ વડે બાંધતા સંખ્યાતગુણા, તેનાથી ત્રણ આકર્ષ વડે બાંધતા સંખ્યાતગુણા, તેથી બે આકર્ષ વડે બાંધતા સંખ્યાતગુણા અને તેથી એક આકર્ષ વડે બાંધતા સંખ્યાતગુણા છે. એ પ્રમાણે આ અભિલાપ—પાઠ વડે યાવત્–અનુભાગનામનિધત્તાયુષ્ય જાણવું. એ પ્રમાણે જીવાદિ છ અલ્પબહુત્વના દંડકો કહેવા. II૪૯૩૨૮॥ પ્રજ્ઞાપના સૂત્રમાં છટ્ઠ વ્યુત્ક્રાન્તિ પદ સમાપ્ત. (ટી૦) હવે જાત્યાદિનામકર્મવિશિષ્ટ આયુષ્ય કેટલા આકર્ષી વડે બાંધે છે? એ પ્રમાણે જિજ્ઞાસુ શિષ્ય પૂછે છે— “નીવાળ અંતે! જ્ઞાતિનામનિહત્તાયું ષિ આèિહિં પદ્મરતિ"? ‘હે ભગવન્! જીવો કેટલા આકર્ષ વડે જાતિનામનિધત્તાયુષ બાંધેઇત્યાદિ. 'આકર્ષ એટલે તેવા પ્રકારના પ્રયત્નથી કર્મપુદ્ગલોનું ગ્રહણ કરવું. જેમ ગાય પાણી પીતી પીતી ભયવડે આડુંઅવળું જોતી પાણી પીએ છે. એ પ્રમાણે જીવ પણ જ્યારે તીવ્ર આયુષ્યબન્ધના અધ્યવસાય વડે જાતિનામવિશિષ્ટ આયુષ્ય કે બીજું ગત્યાદિવિશિષ્ટ આયુષ્ય બાંધે છે ત્યારે એક આકર્ષ વડે, મન્દ હોય તો બે કે ત્રણ આકર્ષ વડે મન્દતર હોય તો ચાર કે પાંચ આકર્ષવડે અને મદન્તમ હોય તો છ, સાત કે આઠ આકર્ષવડે બાંધે છે. અહીં જાત્યાદિ કર્મના આકર્ષનો નિયમ આયુષ્યની સાથે ` બંધાતા હોય ત્યારે સમજવો. બાકીના કાળને વિષે નિયમ નથી. કારણ કે કેટલીક પ્રકૃતિઓ ધ્રુવબન્ધિની હોવાથી અને બીજી પ્રકૃતિઓ પરાવર્તમાન (વિરોધિની) હોવાથી ઘણા કાળ સુધી બન્યનો સંભવ હોવાને લીધે તેમાં આકર્ષનું નિયતપણું હોતું નથી. પ્રજ્ઞાપના ટીકાના અનુવાદમાં છઠ્ઠું વ્યુત્ક્રાન્તિ પદ સમાપ્ત. II૪૯૩૨૮॥ ૧. કર્મબંધને યોગ્ય પ્રયત્નવિશેષરૂપ અધ્યવસાયની ધારાને આકર્ષ કહે છે, જ્યારે આયુષ્યકર્મના બંધને યોગ્ય અધ્યવસાયની ધારા તીવ્ર હોય છે ત્યારે તે એક ધારા વડે અન્તર્મુહૂર્ત પર્યંત આયુષ્યનો બંધ થાય છે. જ્યારે મન્દ ધારા હોય છે ત્યારે વચ્ચે અન્તર પડી જાય છે એટલે અન્તર્મુહૂર્તની વચ્ચેના કાળમાં આયુષ્યનો બન્ધ થતો અટકી જાય છે, એટલે વચ્ચે ખાંચો પડી જાય છે ત્યારે બે આકર્ષ વડે આયુષ્યનો બન્ધ થાય છે. જ્યારે તેથી પણ અધ્યવસાયની મન્દ ધારા હોય છે, ત્યારે વચ્ચે વચ્ચે બે વાર આયુષ્યનો બન્ધ થતો નથી એટલે ત્રણ આકર્ષ વડે આયુષ્યનો બન્ધ થાય છે, જેમ જેમ અધ્યવસાયધારાની મન્દતા તેમ તેમ વધારે આકર્ષ ક૨વા પડે છે. એમ વધારેમાં વધારે આઠ આકર્ષ વડે આયુષ્યનો બન્ધ થાય છે. જેમ ગાય પાણી પીતી હોય ત્યારે પાણી પીતા પીતા વચ્ચે ભયથી આડું અવળું જોતી પાણી પીતી બંધ પડી જાય છે તેમ આયુષ્યકર્મનો બન્ધ વચ્ચે અટકી જાય છે અને ત્યારે આકર્ષ વડે પુનઃ આયુષ્યનો બન્ધ થાય છે. આ આકર્ષનો નિયમ આયુષ્યકર્મમાં અને આયુષ્યકર્મની સાથે બંધાતાં જાત્યાદિ નામને લાગુ પડે છે. જે પ્રકૃતિઓ ધ્રુવબન્ધિની છે તેથી અથવા તો પરાવર્તમાન પ્રકૃતિઓ હોય છે કે જેનો બન્ધ લાંબા કાળ સુધી ચાલુ છે, જેમકે જ્ઞાનાવરણીયાદિ ધ્રુવબન્ધીની પ્રકૃતિઓ છે, અથવા તો દેવગત્યાદિ પરાવર્તમાન પ્રકૃતિઓ છે અને તેનો ઘણા કાળ સુધી બન્ધ થયા કરે છે, ત્યાં આકર્ષનો નિયમ નથી. 322
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy