________________
छट्टं वक्कंतिय पयं अट्ठमं आगरिसदारं
श्री प्रज्ञापना सूत्र भाग १
"मोत्तूण सगमबाहं पढमाइ ठिईए बहुतरं दव्वं । सेसे विसेसहीणं जावुक्कोसंति उक्कोसा।। " ( कर्मप्रकृतिप्रदेशबन्ध गा.८२) “પોતાનો અબાધાકાળ છોડીને પ્રથમ સ્થિતિમાં ઘણાં પુદ્ગલદ્રવ્યો હોય છે, અને પછીની સ્થિતિમાં વિશેષ ન્યૂન ન્યૂન પુદ્ગલો હોય છે, યાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિમાં–છેલ્લા સમયની સ્થિતિમાં સૌથી ન્યૂન પુદ્ગલો હોય છે.” તાત્પર્ય એ છે કે બધા ય કર્મ બંધાતા હોય છે ત્યારે પોતપોતાનો અબાધાકાળ છોડીને બાકીના સ્થિતિકાળમાં નિષેક-દલિકરચના થાય છે, તેમાં પ્રથમ સમયે એટલે અબાધાકાળ પછીના પ્રથમ સમયમાં ઘણા દલિકો હોય છે, બીજા સમયે વિશેષહીન દલિકો હોય છે, તેથી ત્રીજા સમયે વિશેષહીન દલિકો હોય છે, તેથી ચોથા સમયે વિશેષહીન દલિકો હોય છે. એમ અનુક્રમે વિશેષહીન વિશેષહીન ત્યાં સુધી કહેવું યાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિ–છેલ્લા સમયની સ્થિતિમાં વિશેષહીન દલિકો હોય છે. ૨ ‘નામનિધત્તાકÇ' નરકગત્યાદિના ભેદથી ગતિ ચાર પ્રકા૨ે છે, તે ગતિનામની સાથે નિધત્ત-નિષેક-દલિકરચનાને પ્રાપ્ત થયેલું આયુષ્ય તે ગતિનામનિધત્તાયુષ્ય, ૩ ‘વિજ્ઞનામનિહત્તાઽપ્' સ્થિતિ–તે ભવમાં સ્થિતિ થવી–ઉદયમાં આવવું, એટલે જે નામ કર્મ જે ભવમાં ઉદયમાં આવે તે ગતિ, જાતિ અને પાંચ શરીરાદિ સિવાય સ્થિતિનામ કર્મ જાણવું. ગત્યાદિને વર્જન કરવાનું કારણ એ છે કે તેઓનું ‘ગતિનામનિધત્તાયુષ્ય' ઇત્યાદિ સ્વપદોવડે ગ્રહણ કહેલું છે. તે સ્થિતિનામની સાથે નિધત્ત-નિષેકને પ્રાપ્ત થયેલું આયુષ્ય તે સ્થિતિનામનિધત્તાયુષ્ય. ૪ . ‘ઓહળળાનિહત્તાનÇ' ‘અવાહતે યસ્યાં' જેને વિષે જીવ રહે તે અવગાહના–ઔદારિકાદિ શરી૨ જાણવાં, તેનું કારણભૂત જે ઔદારિકાદિશ૨ી૨નામકર્મ તે અવગાહનાનામ, તેની સાથે નિષેકને પ્રાપ્ત થયેલું આયુષ્ય તે અવગાહનાનામનિધત્તાયુષ્ય. ૫ ‘પલેક્ષળાનામનિહત્તાનÇ' પ્રદેશ—કર્મપરમાણુઓ, તે પ્રદેશો સ્તિબુક સંક્રમથી પણ અનુભવાતા હોય તે ગ્રહણ કરવા, તે પ્રધાન જેમાં છે એવું નામકર્મ તે પ્રદેશનામ. તાત્પર્ય એ છે કે જે ભવમાં જે પ્રદેશથી ભોગવાય તે પ્રદેશનામ. આથી વિપાકોદયને નહિ પ્રાપ્ત થયેલું પણ નામકર્મ ગ્રહણ કરવું. તે પ્રદેશનામની સાથે નિષેકને પ્રાપ્ત થયેલું આયુષ્ય તે પ્રદેશનામનિધત્તાયુષ્ય. ૬
.
‘અનુભાવનામનિહત્તાતÇ' જે ભવમાં જે તીવ્ર વિપાકવાળું નામકર્મ વેદાય, જેમકે નાકાયુષ્યનાં ઉદયમાં અશુભ વર્ણ, ગન્ધ, રસ, સ્પર્શ, ઉપઘાત, અનાદેય, દુઃસ્વર, અયશઃકીર્તિ વગેરે નામકર્મ, તેની સાથે જે નિષેકને પ્રાપ્ત થયેલું આયુષ્ય તે અનુભાવનામનિધત્તાયુષ્ય.
(પ્ર0)—શા માટે જાત્યાદિનામકર્મ આયુષ્યના વિશેષણ તરીકે આપવામાં આવેલાં છે?
(60)—આયુષ્યકર્મની પ્રધાનતા બતાવવા માટે છે. તે આ પ્રમાણે—નારકાદિના આયુષ્યનો ઉદય થયા પછી જાત્યાદિ નામકર્મનો ઉદય થાય છે, તે સિવાય થતો નથી, માટે આયુષ્યની પ્રધાનતા છે. II૪૭।૩૨૬॥ जीवा णं भंते! जातिनामनिहत्ताउयं कतिहिं आगरिसेहिं पगरेंति ? गोयमा ! जहन्नेणं एक्केण वा दोहिं वा तीहिं वा उक्कोसेणं अट्ठहिं। नेरइया ण भंते! जातिनामनिहत्ताउयं कतिहिं आगरिसेहिं पगरेंति ? गोयमा ! जहन्नेणं एक्केण वा दोहिं वा, तीहिं वा, उक्कोसेणं अट्ठहिं । एवं जाव वेमाणिया । एवं गतिनामनिहत्ताउए वि, ठितीणामनिहत्ताउए वि, ઓળાહળાનામનિહત્તાકવિ, પ્લેસનામનિદત્તા વિ, અનુભાવનામનિહત્તાકવિ IIR૦-૪૮।।૩૨૭ના
(મૂળ) હે ભગવન્! જીવો જાતિનામનિધત્તાયુષ્ય કેટલા આકર્ષ વડે બાંધે? હે ગૌતમ! જધન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી આઠ આકર્ષવડે. એ પ્રમાણે યાવ—વૈમાનિક સુધી જાણવું. એ પ્રમાણે ગતિનામનિધત્તાયુષ્ય, સ્થિતિનામનિધત્તાયુષ્ય, અવગાહનાનામનિધત્તાયુષ્ય, પ્રદેશનામનિધત્તાયુષ્ય અને અનુભાવનામનિધત્તાયુષ્ય સંબંધે પણ જાણવું. હે ભગવન્! નૈરયિકો જાતિનામનિધત્તાયુષ્યને કેટલા આકર્ષ વડે બાંધે? હે ગૌતમ! જઘન્ય એક, બે કે ત્રણ આકર્ષ વડે અને ઉત્કૃષ્ટ આઠ આકર્ષ વડે બાંધે છે. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. એમ ગતિનામનિધત્તાયુષ્ય, સ્થિતિનામનિધત્તાયુષ્ય, અવગાહનાનામનિદ્ધાત્તાયુષ્ય, પ્રદેશનામનિધતાયુષ્ય અને અનુભાવનામનિધત્તાયુષ્ય સંબંધે પણ જાણવું. II૪૮૩૨૭॥
321