SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ छ8 वक्कतिय पयं छड़ें उवट्टणा दारं ક્યાં ઉત્પન્ને થાય? હે ગૌતમ! નરયિકોમાં ઉત્પન્ન થાય, યાવત દેવોમાં ઉત્પન્ન થાય. જો નૈરયિકોમાં ઉત્પન્ન થાય તો શું . રત્નપ્રભામાં ઉત્પન્ન થાય કે યાવત્ સાતમી નરકમૃથિવીમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! રત્નપ્રભામાં પણ ઉત્પન્ન થાય, થાવત્ સાતમી નરકમૃથિવીમાં પણ ઉત્પન્ન થાય. જો તિયચોમાં ઉત્પન્ન થાય તો શું એકેન્દ્રિયોમાં કે યાવતુ–પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય, યાવત-પંચેન્દ્રિયોમાં પણ ઉત્પન્ન થાય ઈત્યાદિ જેમ એનો ઉપપાત કહ્યો છે તેમ ઉદ્વર્તના પણ કહેવી. પરન્તુ એઓ અસંખ્યાત વરસના આયુષ્યવાળા તિચોમાં પણ ઉત્પન્ન થાય છે. જો મનુષ્યોમાં ઉત્પન્ન થાય તો શું સંમૂર્છાિમ મનુષ્યોમાં ઉત્પન્ન થાય કે ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! બન્નેમાં ઉત્પન્ન થાય. એ પ્રમાણે જેમ ઉપપાત કહ્યો છે તેમ ઉદ્વર્તના પણ કહેવી. પરન્તુ અકર્મભૂમિના અને અત્તર દ્વીપના અસંખ્યાત વરસના આયુષ્યવાળા મનુષ્યોમાં પણ ઉત્પન્ન થાય છે એમ કહેવું. જો દેવામાં ઉત્પન્ન થાય તો શું ભવનપતિમાં ઉત્પન્ન થાય કે યાવતું વૈમાનિકોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! બધામાં ઉત્પન્ન થાય. જો ભવનપતિમાં ઉત્પન્ન થાય તો શું અસુરકુમારોમાં ઉત્પન્ન થાય કે યાવતુ–સ્વનિતકુમારોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! બધામાં ઉત્પન્ન થાય. એ પ્રમાણે વ્યત્તર, જ્યોતિષ્ક અને વૈમાનિકોમાં સહસ્ત્રારકલ્પ સુધી નિરંતર ઉત્પન્ન થાય છે. //૪૩૩૨૨ मणुस्सा णं भंते! अणंतरं उव्वट्टित्ता कहिं गच्छंति? कहिं उववज्जति? किं नेरइएसु उववज्जंति जाव देवेसु उववज्जति? गोयमानेरइएसु वि उववज्जन्ति, जाव देवेसु वि उववज्जति। एवं निरंतरं सव्वेसु ठाणेसु पुच्छा। गोयमा! सव्वेसु ठाणेसु उववज्जन्ति, न कहिं च पडिसेहो कायव्वो, जाव सव्वट्टगसिद्धदेवेसु वि उववज्जन्ति, अत्थेगतिया सिझंति, बुझंति, मुच्चंति, परिनिव्वायंति, सव्वदुक्खाणं अंतं करेंति। वाणमंतर-जोइसियवेमाणिय सोहम्मीसाणा य जहा असुरकुमारा, नवरं जोइसियाण य वेमाणियाण य चयंतीति अभिलावो कायव्वो। सणंकुमारदेवाणं पुच्छा। गोयमा! जहा असुरकुमारा, नवरं एगिदिएसु ण उववज्जति। एवं जाव सहस्सारगदेवा। आणय-जाव अणुत्तरोववाइया देवा एवं चेव, नवरं नो तिरिक्खजोणिएसु उववज्जन्ति, मणुस्सेसु पज्जत्तगसंखेज्जवासाउयकम्मभूमगगब्भवक्कंतियमणूसेसु उववज्जन्ति ।६ दारं। ।। सू०-४४ ।।३२३।। (મૂળ) હે ભગવન્! મનુષ્યો મરણ પામી તુરત ક્યાં જાય, ક્યાં ઉત્પન્ન થાય? શું નરયિકોમાં ઉત્પન્ન થાય, યાવત્ દેવામાં • ઉત્પન્ન થાય? હે ગૌતમ! નરયિકોમાં પણ ઉત્પન્ન થાય, યાવત્ દેવોમાં પણ ઉત્પન્ન થાય. એમ નિરંતર બધા સ્થાનકો સંબન્ધ પૃચ્છા કરવી. હે ગૌતમ! બધા સ્થાનકોમાં ઉત્પન્ન થાય છે. કોઈ પણ સ્થાનનો પ્રતિષેધ ન કરવો. વાવ–સર્વાર્થસિદ્ધ દેવોમાં પણ ઉત્પન્ન થાય છે. કોઈક તો સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થાય છે, નિર્વાણ પામે છે અને સર્વ દુઃખોનો અત્ત કરે છે. વ્યત્તર, જ્યોતિષિક, વૈમાનિક સૌધર્મ અને ઈશાન દેવો જેમ અસુરકુમારો કહ્યા તેમ કહેવા. પરંતુ જ્યોતિષિક અને વૈમાનિકો ‘વે છે” એવો પાઠ કહેવો. સનસ્કુમાર દેવો સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જેમ અસુરકુમારો કહ્યા તેમ કહેવા, પરંતુ એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થતા નથી. એ પ્રમાણે સહસાર દેવો સુધી જાણવા. આનત, યાવત્ અનુત્તરૌપપાતિક દેવો સંબંધે એમજ જાણવું, પરંતુ તેઓ તિર્યંચોમાં ઉત્પન્ન થતા નથી. મનુષ્યોમાં પણ પર્યાપ્તા સંખ્યાતા વરસના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. છઠ્ઠું દ્વાર સમાપ્ત. //૪૪૩૨૩ (20) “હે ભગવન્! નૈરયિકો ઉદ્વર્તન-મરણ પામી ક્યાં જાય છે, ક્યાં ઉત્પન્ન થાય છે –ઇત્યાદિ પાઠસિદ્ધ છે. પરંતુ અહીં પણ સંક્ષેપમાં આ અર્થ કહેવાનો છે–વૈરયિકો સ્વભાવથી મરણ પામી સંખ્યાતા વરસના આયુષ્યવાળા ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. પરંતુ સાતમી નરક પૃથિવીના નારકો સંખ્યાતા વરસના આયુષ્યવાળા ગર્ભજ તિર્યંચ 318
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy