________________
छटुं वक्कंतिय पयं पंचमं कत्तोदारं
श्री प्रज्ञापना सूत्र भाग १
દેવોથી આવી ઉત્પન્ન થતા નથી. એ પ્રમાણે સૌધર્મ અને ઈશાન દેવો પણ કહેવા. સનકુમાર દેવો સંબંધે પણ એમજ કહેવું, પરન્તુ અસંખ્યાત વરસના આયુષ્યવાળા અકર્મભૂમિ સિવાયના બીજા (પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોથી) આવી ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે યાવત્—સહસ્રાર કલ્પોપપન્ન વૈમાનિક દેવો સુધી કહેવું. હે ભગવન્! આનત દેવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? શું નૈરયિકોથી, પંચેન્દ્રિય તિર્યંચોથી, મનુષ્યોથી કે દેવોથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! નૈરયિકોથી, તિર્યંચોથી કે દેવોથી આવી ઉત્પન્ન થતા નથી, પણ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય છે. જો મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સંમૂર્છિમ મનુષ્યોથી કે ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! સંમૂર્છિમ મનુષ્યોથી આવી ઉત્પન્ન થતા નથી, પણ ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય છે. જો ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું કર્મભૂમિના, અકર્મભૂમિના કે અંતરદ્વીપના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! અકર્મભૂમિના કે અંતરદ્વીપના મનુષ્યોથી આવી ઉત્પન્ન થતા નથી, પણ કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય છે. જો કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સંખ્યાતા વરસના આયુષ્યવાળા કે અસંખ્યાતા વરસના આયુષ્યવાળા મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! સંખ્યાતા વરસના આયુષ્યવાળા મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય છે, પણ અસંખ્યાતા વરસના આયુષ્યવાળા મનુષ્યોથી આવી ઉત્પન્ન થતા નથી. જો સંખ્યાતા વરસના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય કે અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! પર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય, પણ અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન ન થાય. જો પર્યાપ્તા સંખ્યાતા વરસના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સમ્યગ્દષ્ટિથી આવી ઉત્પન્ન થાય, સમ્યગમિથ્યાદૃષ્ટિથી આવી ઉત્પન્ન થાય કે મિથ્યાદૃષ્ટિથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! સમ્યગ્દષ્ટિથી કે મિથ્યાદૃષ્ટિથી આવી ઉત્પન્ન થાય, પણ સમ્યગ્મિથ્યાદૃષ્ટિથી આવી ઉત્પન્ન ન થાય. જો સય્યદૃષ્ટિ પર્યાપ્ત સંખ્યાતા વરસના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સંયત સમ્યગ્દષ્ટિથી, અસંયત સભ્યદૃષ્ટિથી કે સંયતાસંયત સમ્યગ્દષ્ટિથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! ત્રણેથી આવી ઉત્પન્ન થાય. એ પ્રમાણે અચ્યુત કલ્પ સુધી જાણવું. ત્રૈવેયક દેવો પણ એમજ જાણવા. પરંતુ સમ્યગ્દષ્ટિ અસંયત અને સંયતાસંયતનો 'પ્રતિષેધ કરવો. જેમ પ્રૈવેયક દેવો કહ્યા તેમ અનુત્તરૌપપાતિક દેવો પણ સમજવા. પરંતુ એટલો વિશેષ છે કે અહીં સંયતો જ આવી ઉપજે છે. જો સય્યદૃષ્ટિ સંયત પર્યામા સંખ્યાતા વરસના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું પ્રમત્ત સંયતથી કે અપ્રમત્ત સંયતથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! અપ્રમત્ત સંયતથી આવી ઉત્પન્ન થાય, પરંતુ પ્રમત્ત સંયતથી આવી ઉત્પન્ન ન થાય. જો અપ્રમત્ત સંયતથી આવી ઉત્પન્ન થાય તો શું ઋદ્ધિપ્રાપ્ત (લબ્ધિપ્રાપ્ત) સંયતથી આવી ઉત્પન્ન થાય કે ઋદ્ધિ અપ્રાપ્ત (લબ્ધિને નહિ પ્રાપ્ત થયેલા) સંયતથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! બન્નેથી આવી ઉત્પન્ન થાય, પંચમ દ્વાર સમાપ્ત. Ilxoll૩૧૯૫
(ટી૦) ભવનવાસી દેવોના ઉપપાતના વિચારમાં દેવો, નારકો, પૃથિવ્યાદિ પાંચ સ્થાવર, વિકલેન્દ્રિયત્રિક, અપર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિય, સંમૂર્છિમ અને અપર્યાપ્ત ગર્ભજ મનુષ્યોનો પ્રતિષેધ જાણવો. બાકીનાનું વિધાન સમજવું. પૃથિવી, અર્ અને વનસ્પતિને વિષે સકલ નૈરયિકો અને સનત્કુમારાદિ દેવોનો, તેજસ્ વાયુ, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચરિન્દ્રિયોમાં સર્વ નારકો અને સર્વ દેવોનો, તિર્યંચ પંચેન્દ્રિયોમાં આનત દેવોનો, મનુષ્યોમાં સાતમી નરકપૃથિવીના નાક, તેજસ્ અને વાયુનો,
૧. નૈવેયકમાં સભ્યષ્ટિ અસંયત—અવિરતિ અને સંયતાસંયત—દેશવિરતિનો પ્રતિષેધ કર્યો, એટલે તેમાં મિથ્યાષ્ટિ દ્રવ્યસંયત અને સભ્યષ્ટિ સંયત આવીને ઉપજે છે, અને અનુત્તરૌપપાતિકમાં કેવળ સંયત જ ઉત્પન્ન થાય છે, ત્યાં મિથ્યાષ્ટિ દ્રવ્યસંયત ઉત્પન્ન થતા નથી, પણ
કેવળ અપ્રમત્ત ભાવસંયત આવીને ઉત્પન્ન થાય છે.
315