SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ छटुं वक्कंतिय पयं बीइयं चउवीसाइं दारं श्री प्रज्ञापना सूत्र भाग १ (ટી) એ પૂર્વોક્ત દ્વારોનું અનુક્રમે વિવરણ કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર પ્રથમ ગતિસંબન્ધ કહે છે-નિયા નું તે વયં વાસં ૩વવા વિરહિયા પત્તા' ઇત્યાદિ. હે ભદન્ત–ભગવન્! નરકગતિ કેટલા કાળ સુધી ઉપપાત-ઉત્પત્તિ વડે રહિત હોય છે? નરકગતિ એ નરકગતિનામકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલો જીવનો ઔદારિક ભાવ છે અને તે એક ભાવ સાતે નરક પૃથિવીવ્યાપી છે, તેથી એકવચન છે અને સાતે નરકમૃથિવીઓને ગ્રહણ કરવાની છે. “ભદન્ત' એ પરમગુરુનું સંબોધન છે, એટલે પરમકલ્યાણના યોગવાળા હે પ્રભો! નરકગતિ કેટલા કાળ સુધી અન્યગતિના જીવોના નારકપણે ઉત્પન્ન થવારૂપ ઉપપાત વડે શૂન્ય-રહિત આપે તથા અન્ય ઋષભાદિ તીર્થકરોએ કહેલી છે? એટલે નરકગતિમાં નારકપણે કેટલા કાળસુધી ઉત્પન્ન ન થાય? એમ ગૌતમસ્વામીએ પ્રશ્ન કર્યો એટલે ભગવાન્ ઉત્તર આપે છ– “હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત સુધી નરકગતિ ઉપપાતશૂન્ય કહેલી છે. અહીં મૂઢ પૂર્વપક્ષી શંકા કરે છે–આગળ એક પણ નરકમૃથિવીમાં ઉપપાતવિરહ કાળ બાર મુહૂર્તનો કહેવાનો નથી, અને ચોવીશ મુહૂતદિ પ્રમાણ કાળ તો આગળ કહેવાનો છે, તો બધી પૃથિવીના સમુદાયને વિષે બાર મુહૂર્ત પ્રમાણ કાળ કેમ ઘટે? કારણ કે “પ્રત્યેકની અંદર ન હોય તો સમુદાયની અંદર પણ ન હોય –એવો ન્યાય છે. તે અયુક્ત છે. કારણ કે અહીં વસ્તુતત્ત્વનું અજ્ઞાન છે. જો કે રત્નપ્રભાદિ એક એક પૃથિવીના નામનો નિર્દેશ કરી ચોવીશ મુહૂતદિપ્રમાણ ઉપપાતવિરહ કહેવાનો છે, તો પણ જ્યારે બધી સાતે પૃથિવીઓની અપેક્ષાએ ઉપપાતવિરહ કાળનો વિચાર થાય ત્યારે તો બાર મુહૂર્તનોજ ઉપપાતવિરહ કાળ હોય છે. બાર મુહૂર્ત પછી કોઈ પણ એક પૃથિવીમાં અવશ્ય ઉત્પન્ન થાય છે, કારણ કે કેવલજ્ઞાનીએ તે પ્રમાણે જાણેલું છે. “જે પ્રત્યેકમાં ન હોય તે સમુદાયમાં પણ ન હોય, તે ન્યાય કારણકાર્યના ધર્મના વિચારમાં ઘટે છે, બીજે ઘટતો નથી, માટે અહીં દોષ નથી. જેમ નરકગતિ ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત સુધી ઉપપાત વડે રહિત છે એમ તિર્યંચ, મનુષ્ય અને દેવગતિ જાણવી. સિદ્ધિગતિ ઉત્કૃષ્ટથી છ માસ સુધી ઉપપાતરહિત હોય છે. એ પ્રમાણે ઉદ્વર્તન પણ જાણવી. પરન્તુ સિદ્ધો મરણ પામતા નથી, કારણ કે તેઓ શાશ્વત હોવાથી સાદિ અનન્ત કાળ સુધી સિદ્ધિ ઉદ્વર્તનારહિત હોય છે. ll૧/૨૮૦ निरयगई णं भंते! केवइयं कालं विरहिया उव्वट्टणाए पन्नत्ता? गोयमा। जहन्नेणं एक्कं समयं, उक्कोसेणं बारस मुहुत्ता। तिरियगई णं भंते! केवइयं कालं विरहिया उव्वट्टणाए पन्नत्ता? गोयमा! जहन्नेणं एगं समय, उक्कोसेणं बारस मुहुत्ता। मणुयगई णं भंते! केवइयं कालं विरहिया उव्वट्टणाए पन्नत्ता? गोयमा। जहन्नेणं एगं समयं, उक्कोसेणं बारस मुहुत्ता।देवगईणं भंते! केवइयं कालं विरहिया उव्वट्टणाए पन्नत्ता? गोयमा! जहन्नेणं एगसमय, ૩ોસે વારસ મુદત્તાવાર સૂ૦-૨૨૮// (મૂળ) હે ભગવન્! નરકગતિ કેટલા કાળસુધી ઉદ્વર્તના–મરણ વડે રહિત હોય છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત સુધી હોય છે. હે ભગવન્! તિર્યંચગતિ કેટલા કાળ સુધી મરણ વડે રહિત હોય છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત હોય છે. હે ભગવન્! મનુષ્યગતિ કેટલા કાળ સુધી ઉદ્વર્તના રહિત હોય છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત સુધી હોય છે. હે ભગવન્! દેવગતિ કેટલા કાળ સુથી ઉદ્વર્તના–મરણ રહિત હોય છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત સુધી હોય છે. //ર ૨૮૧. | વિચંડવી કુંવાર || रयणप्पभापुढविनेरइया णं भंते! कंवइयं कालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणंचउव्वीसंमुहुत्ता। सक्करप्पभापुढविनेरइया णं भंते। केवइयंकालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं सत्त राईदियाणि। वालुयप्पभापुढविनेरइया णं भंते! केवइयं कालं विरहिया – 297
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy