SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापमा सूत्र भाग १ छटुं वक्कतिपयं पढमं बारसदारं || કુંવëતિવર્ય || 'बारसा 'चठवीसाई 'सअंतरं "एगसमय 'कत्तो य । 'उव्वट्टण "परभवियाउयं च अद्वैव आगरिसा ।।१।। છટકું ભુતકાન્તિ પદ. (મૂ૦) ૧ બાર મુહૂર્ત અને ર ચોવીશ મુહૂર્તનો ઉપરાત અને ઉદ્વર્તના–મરણને આશ્રયી વિરહકાળ, ૩ સાન્તર–સાન્તર ઉત્પન્ન થાય કે નિરંતર ઉત્પન્ન થાય?૪ એક સમય–એક સમયમાં કેટલા ઉપજે અને મરણ પામે, પ ક્યાંથી આવીને ઉપજે? ૬ ઉદ્વર્તના–મરણપામીને ક્યાં ઉત્પન્ન થાય? ૭ પરભવિકાયુષ્ય-પરભવનું આયુષ્ય ક્યારે બંધાય? ૮ અને આયુષ્યના બંધ સંબંધે આઠ આકષા–એ આઠ દ્વાર આ છઠ્ઠા પદમાં કહેવાના છે. (ટી૦) પાંચમા પદની વ્યાખ્યા કરી, હવે છઠ્ઠા પદનો પ્રારંભ થાય છે. તેનો આ પ્રમાણે સંબધ છે–પૂર્વના પદમાં ઔદારિક, ક્ષયોપથમિક અને ક્ષાયિક ભાવને આશ્રયી પર્યાયોના પરિમાણનો નિર્ણય કર્યો, અને આ પદમાં ઔદારિક અને ક્ષાયોપથમિક ભાવ સંબન્ધમાં પ્રાણીઓના ઉપપાતવિરહાદિનો વિચાર કરાય છે. તેમાં પ્રારંભમાં આ અધિકારોના સંગ્રહરૂપ આ દ્વાર ગાથા છે. વારસ પડવા ઇત્યાદિ. પ્રથમ પ્રત્યેક ગતિઓમાં સામાન્યતઃ ઉપપાતવિરહ અને ઉદ્વર્તનાવિરહનો કાળ બાર મહર્ત પ્રમાણ કહેવાનો છે. ૨ ત્યાર પછી ગતિઓમાં વિશેષતઃ નૈરયિકાદિ પ્રત્યેક ભેદોને આશ્રયી પ્રારંભમાં ઉપપાતવિરહ અને ઉદ્વર્તનાવિરહનો કાળ ચોવીશ મુહૂર્ત પ્રમાણ કહેવાનો છે. ૩ તે પછી નરયિકોને સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર ઉત્પન્ન થાય છે–એ કહેવાનું છે. ૪ ત્યાર બાદ એક સમયે નરયિકાદિ પ્રત્યેક કેટલા ઉત્પન્ન થાય છે અને કેટલા મરણ પામે છે તે વિચારવાનું છે. એ પછી નારકાદિ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે–એનો વિચાર કરવાનો છે. ૬ પછી નરયિકાદિ મરણ પામી ક્યાં ઉત્પન્ન થાય છે એ કહેવાનું છે. ત્યાર બાદ અનુભવાતા વર્તમાન ભવના આયુષ્યનો કેટલામો ભાગ બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે એ કહેવાનું છે અને ૮ ઉત્કૃષ્ટથી કેટલા આકર્ષો વડે આયુષ્યનો બન્ધ કરે છે એ વિચારમાં આઠ આકર્ષ કહેવાના છે. એ સંગ્રહણીગાથાનો સંક્ષેપાર્થ કહ્યો. Tી હિમં વરરસલર || निरयगई णं भंते! केवइयं कालं विरहिया उववारणं पन्नत्ता? गोयमा। जहन्नेणं एक्कं समयं, उक्कोसेणं बारस मुहुत्ता। तिरियगई णं भंते! केवइयंकालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा!जहनेणं एगसमयं, उक्कोसेणंबारस मुहुत्ता। मणुयगई णं भंते! केवइयं कालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा। जहन्नेणं एगं समयं, उक्कोसेणं बारस मुहुत्ता। देवगई णं भंते! केवइयं कालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा! जहन्नेणं एगसमयं, उक्कोसेणं बारस मुहुत्ता। सिद्धगई णं भंते! केवइयं कालं विरहिया सिझणयाए पन्नत्ता? गोयमा! जहन्नेणं एगं समयं, ૩ોનાં છમ્માતા સૂ૦-al૨૮૦|| પ્રથમ વાર, (૧૦) હે ભગવન્! નરકગતિ કેટલા કાળ સુધી નારક જીવોની ઉત્પત્તિ રહિત કહેલી છે? હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત કહી છે. હે ભગવન્! તિર્યંચગતિ કેટલા કાળ સુધી જીવોની ઉત્પત્તિ રહિત કહેલી છે? હે ગૌતમ! જઘન્યથી એક સમયે અને ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત કહી છે. હે ભગવન્! મનુષ્યગતિ કેટલા કાળ સુધી જીવોની ઉત્પત્તિ રહિત છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત છે. દેવગતિ કેટલા કાળ સુધી જીવોની ઉત્પત્તિ રહિત હોય છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત હોય છે. હે ભગવન્! સિદ્ધિગતિ કેટલા કાળ - સુધી જીવોની સિદ્ધિ વડે રહિત હોય છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ માસ હોય છે. I/૧ર૮૦ 1. વારમાં પસવ્વીસા માં પાઠાન્તર (મ.વિ.) 2. તા ૩વવાનું પuwત્તા પાઠાન્તર 296
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy