________________
पंचमं विसेसपयं अजीव पज्जवा
श्री प्रज्ञापना सूत्र भाग १ પ્રદેશો, ૭ આકાશાસ્તિકાય, ૮ આકાશાસ્તિકાયનો દેશ, ૯ આકાશાસ્તિકાયના પ્રદેશો અને ૧૦ અદ્ધાસમય (કાળ).
//ર ૨/ર ૬૭. (ટી) હવે અજીવપર્યાયોના સંબંધમાં પ્રશ્ન કરે છે-“મનીવઝવા મંતિ! કવિ પના'? હે ભગવન્! અજીવ પર્યાયો કેટલા પ્રકારના કહ્યા છે? ભગવન્ત ઉત્તર આપે છે કે-રૂપીઅજીવપર્યાયો અને અરૂપીઅજીવપર્યાયો એમ બે પ્રકારે કહ્યા છે. રૂપ એ ગબ્ધ, રસ, અને સ્પર્શનું ઉપલક્ષણ (સૂચક) છે. તેથી રૂપ, ગબ્ધ, રસ અને સ્પર્શ જેઓને છે તે રૂપી, તેવા પ્રકારના રૂપી અજીવના પર્યાયો એટલે પુદ્ગલના પર્યાયો કહેવાય છે. તેથી વિપરીત અરૂપી અજીવના પર્યાયો એટલે અમૂર્ત અજીવના પર્યાયો છે. અરૂપી અજીવના પર્યાયો દસ પ્રકારના છે, તે બતાવે છે–પુષ્પત્થિા ' ઇત્યાદિ. ધર્માસ્તિકાય સંપૂર્ણ અવયવવાળુંપ્રદેશના પ્રચયરૂપ દ્રવ્ય છે. તેના અધદિરૂપ વિભાગ તે ધમસ્તિકાયનો દેશ. ધર્માસ્તિકાયના નિર્વિભાગ (જેનો ભાગ ન કલ્પી શકાય તેવા) સૂક્ષ્મ ભાગો તે ધર્માસ્તિકાયના પ્રદેશો. એ પ્રમાણે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના સ્કન્ધ, દેશ અને પ્રદેશ એ ત્રણ ભેદનો વિચાર કરવો. એથી પરસ્પર અભેદરૂપ અવયવ-અવયવીરૂપ ધમસ્તિકાયાદિક વસ્તુ છે એમ પ્રતિપાદન કર્યું. દસમો અદ્ધાસમય છે. (પ્ર.)-અહીં પર્યાયો કહેવાનો પ્રારંભ કર્યો હતો છતાં દ્રવ્ય માત્રનો ઉપન્યાસ કેમ કર્યો? (૧૦)-પર્યાય અને પર્યાયી-દ્રવ્યનો અભેદ બતાવવા માટે દ્રવ્યનો ઉપન્યાસ કર્યો છે. એ પ્રમાણે પછીના ગ્રન્થના સંબંધમાં પણ જાણવું. મૂલ ટીકાકારે કહ્યું છે-“અહીં સર્વત્ર પર્યાય અને પર્યાયી (દ્રવ્યના) અભેદ જણાવવા માટે આ પ્રમાણે સૂત્રનો ઉપન્યાસ કર્યો છે.” પરમાર્થથી તો ધમસ્તિકાયપણું, ધમસ્તિકાયદેશપણું અને ધમસ્તિકાયપ્રદેશપણું ઇત્યાદિ (પર્યાયરૂપે) જાણવું. રરર૬થી रूविअजीवपज्जवाणं भंते! कइविहा पन्नत्ता? गोयमा! चउव्विहा पन्नत्ता। तंजहा-खंधा,खंधदेसा,खंधपएसा, परमाणुपुग्गला। ते णं भंते! किंसंखेज्जा असंखेज्जा अणंता? गोयमा! नो संखेज्जा, नो असंखेज्जा, अणंता। से केणद्वेणं भंते! एवं वुच्चइ 'नो संखेन्जा, नो असंखेज्जा, अणंता'? गोयमा! अणंता परमाणुपुग्गला, अणंता दुपएसिया खंधा, जाव अणंता दसपएसिया खंधा, अणंता संखिज्जपएसिया खंधा, अणंता असंखिज्जपएसिया खंधा, अणंता अणंतपएसिया खंधा, से तेणटेणं गोयमा! एवं वुच्चइ-'ते णं नो संखिज्जा, नो असंखिज्जा, મviતા' સૂ૦-૨૩ાાર૬૮ (મૂ૦) હે ભગવન્! રૂપીઅજીવપર્યાયો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ! ચાર પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-૧ સ્કંધો,
૨ અંધદેશો, ૩ સ્કંધપ્રદેશો અને ૪ પરમાણુપુદ્ગલો. હે ભગવન્! તે (સ્કન્ધાદિ પુદ્ગલો) સંખ્યાતા, અસંખ્યાતા કે અનત્તા છે? હે ગૌતમ! સંખ્યાતા નથી, અસંખ્યાતા નથી, પણ અનન્તા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે સંખ્યાતા નથી, અસંખ્યાતા નથી પણ અનન્તા છે? હે ગૌતમ! અનન્ત પરમાણુપગલો છે, અનન્ત દ્વિપ્રદેશિક સ્કંધો છે, યાવ-અનન્ત દસપ્રદેશિક સ્કંધો, અનન્ત સંખ્યાતપ્રાદેશિક સ્કંધો, અનન્ત અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધો અને અનન્ત અનન્ત પ્રદેશિક અન્યો છે. તે હેતુથી એમ કહું છું કે પરમાણુપુદ્ગલો સંખ્યાતા નથી, અસંખ્યાતા નથી, પણ
અનન્તા છે. //ર૩ર૬૮ (ટી.) તે અંતે વિસંવેજ્ઞા' ઇત્યાદિ. તે સ્કન્ધાદિ પ્રત્યેક સંખ્યાતા, અસંખ્યાતા કે અનન્તા છે? ભગવાન્ ઉત્તર આપે છે-અનંતા છે. એનો વિચાર કરે છે કેળ અંતે' તે શા હેતુથી છે ઇત્યાદિ બધું પાઠસિદ્ધ જાણવું. ર૩ર૬૮. परमाणुपोग्गलाणं भंते! केवइया पज्जवा पन्नत्ता? गोयमा! परमाणुपोग्गलाणं अणंता पज्जवा पन्नत्ता। से केणटेणं भंते! एवं वुच्चइ-'परमाणुपुग्गलाणं अणंता पज्जवा पन्नत्ता'? गोयमा! परमाणुपुग्गले परमाणुपोग्गलस्स दव्वट्ठयाए तुल्ले, परसट्ठयाए तुल्ले, ओगाहणट्ठयाए तुल्ले, ठिईएसिय हीणे सिय तुल्ले सिय अब्भहिए। जइ हीणे असंखिज्जइभागहीणे वा संखिज्जभागहीणे वा संखिज्जइगुणहीणे वा असंखिज्जइगुणहीणे वा। अह अब्भहिए
281