________________
श्री प्रज्ञापना सूत्र भाग १ पंचमं विसेसपयं अजीव पज्जवा અજ્ઞાન ન કહ્યાં. અજઘન્યઅનુત્કૃષ્ટસ્થિતિવાળા મનુષ્યના સંબંધમાં સૂત્ર અજઘન્યઅનુત્કૃષ્ટ અવગાહનાવાળા મનુષ્યસૂત્રની પેઠે જાણવું. ૫ જઘન્ય આભિનિબોધિકવાળા મનુષ્યસૂત્રમાં બે જ્ઞાન અને બે દર્શનો કહેવાં. કારણ કે જઘન્ય આભિનિબોધિક જ્ઞાનવાળો જીવ અવશ્ય અવધિ અને મનઃપર્યવ જ્ઞાન રહિત હોય છે, કારણ કે તેને પ્રબલ જ્ઞાનાવરણ કર્મનો ઉદય હોય છે. જો એમ ન હોય તો જઘન્ય આભિનિબોધિકજ્ઞાન ન હોય. તેથી બાકીના જ્ઞાનદર્શનનો અસંભવ હોવાથી આભિનિબોધિક પર્યાયવડે તુલ્ય છે. અને શ્રુતજ્ઞાન પર્યાય અને ચક્ષુ અને અચક્ષુ એ બે દર્શનો વડે ષડ્થાનપતિત છે. ઉત્કૃષ્ટઆભિનિબોધિક સૂત્રમાં સ્થિતિવડે ત્રિસ્થાન પતિત છે. કારણ કે ઉત્કૃષ્ટ આભિનિબોધિકવાળો અવશ્ય સંખ્યાતા વરસના આયુષ્યવાળો હોય છે, કેમકે અસંખ્યાત વરસના આયુષ્યવાળાને તેવા પ્રકારના ભવસ્વભાવથી સૌથી ઉત્કૃષ્ટ આભિનિબોધિક જ્ઞાન થતું નથી. અને સંખ્યાતા વરસના આયુષ્યવાળો તો પૂર્વે કહેલી યુક્તિથી સ્થિતિવડે ત્રિસ્થાનપતિત હોય છે. જઘન્યઅધિસૂત્રમાં અને ઉત્કૃષ્ટઅવધિસૂત્રમાં અવગાહના વડે ત્રિસ્થાનપતિત કહેવો. કારણ કે ઉપર કહેલા સ્વરૂપવાળું સૌથી જઘન્ય અવધિજ્ઞાન મનુષ્યને પરભવથી આવેલું હોતું નથી, પણ તે ભવમાં થાય છે, અને તે પર્યાપ્તાવસ્થામાં થાય છે, પરંતુ તેને યોગ્ય વિશુદ્ધિના અભાવથી અપર્યાપ્તાવસ્થામાં હોતું નથી, અને ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન ભાવચારિત્રવાળાને હોય છે, માટે જઘન્ય અવધિજ્ઞાનવાળો કે ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનવાળો અવગાહનાવડે ત્રિસ્થાનપતિત હોય છે. અજઘન્યઅનુત્કૃષ્ટમધ્યમ અવધિજ્ઞાન પરભવથી પણ આવેલું હોય છે, તેથી અપર્યાપ્તાવસ્થામાં પણ તેનો સંભવ હોવાથી મધ્યમઅવધિજ્ઞાનવાળો અવગાહના વડે ચતુઃસ્થાનપતિત છે. જઘન્યઅવધિવાળો, ઉત્કૃષ્ટઅવધિવાળો અજઘન્યઅનુત્કૃષ્ટ-મધ્યમઅવધિવાળો સ્થિતિવડે ત્રિસ્થાનપતિત હોય છે. કારણ કે અસંખ્યાત વરસના આયુષ્યવાળાને અવધિજ્ઞાનનો અસંભવ છે, અને સંખ્યાત વરસના આયુષ્યવાળાને સ્થિતિવડે ત્રિસ્થાનપતિતપણું હોય છે. જઘન્યમનઃપર્યવજ્ઞાની, ઉત્કૃષ્ટ મનઃપર્યવજ્ઞાની અને અજઘન્યઅનુત્કૃષ્ટ મન:પર્યવજ્ઞાની સ્થિતિવડે ત્રિસ્થાનપતિત છે, કારણ કે ચારિત્રવાળાને જ મન:પર્યવજ્ઞાનનો સંભવ છે, અને તેઓનું આયુષ સંખ્યાતા વરસનું હોય છે. ૬ કેવલજ્ઞાન સૂત્રમાં કેવલિસમુદ્દાતને આશ્રયી અવગાહનાવડે ચતુઃસ્થાન પતિત હોય છે. તે આ પ્રમાણે-કેવલિસમુદ્દાતને પ્રાપ્ત થયેલ કેવલજ્ઞાની બાકીના કેવલી કરતાં અસંખ્યાતગુણ અધિક અવગાહનાવાળા હોય છે અને તેની અપેક્ષાએ બાકીના કેવલીજ્ઞાનીઓ અસંખ્યાતગુણ ન્યૂન અવગાહનાવાળા હોય છે. સ્વસ્થાનને-અવગાહનાને આશ્રયી બાકીના કેવલજ્ઞાનીઓ ત્રિસ્થાનપતિત હોય છે. વળી સંખ્યાતા વરસનું આયુષ્ય હોવાથી સ્થિતિ વડે ત્રિસ્થાનપતિત હોય છે. વ્યન્તરો અસુકુમારના જેમ જાણવા જ્યોતિષિકો અને વૈમાનિકો પણ તેમજ જાણવા. પરંતુ તે સ્થિતિ વડે ત્રિસ્થાનપતિત કહેવા. એનો પૂર્વે વિચાર કરેલો છે. હવે ઉપસંહાર કહે છે–‘એમ જીવપર્યાયો કહ્યા'. ર૦ર૬૫॥
|| મનીવ પન્નવા ||
अजीवपज्जवा भंते! कइविहा पन्नत्ता ? गोयमा ! दुविहा पन्नत्ता । तं जहा- रूविअजीवपज्जवा य अरूविअजीवपज्जवा T IR॰-૨૨||R૬૬।।
(મૂળ) હે ભગવન્! અજીવપર્યાયો કેટલા પ્રકારના છે? હે ગૌતમ! બે પ્રકારના છે. તે આ પ્રમાણે-રૂપીઅજીવપર્યાયો અને અરૂપીઅજીવપર્યાયો. ।।૨૧।૨૬૬॥
अरूविअजीवपज्जवा णं भंते! कइविहा पन्नत्ता ? गोयमा ! दसविहा पन्नत्ता, तंजहा-धम्मत्थिकाए, धम्मत्थिकायस्स देसे, धम्मत्थिकायस्स परसा, अहम्मत्थिकाए, अहम्मत्थिकायस्स देते, अहम्मत्थिकायस्स परसा, आगासत्थिकाए, આાસત્યિજાયસ્સ સે, આશાસત્વિાયત્ત પત્તા, અનાસમ ્ IIસૢ૦-૨૨।।૨૬।।
(મૂળ) હે ભગવન્! અરૂપીઅજીવપર્યાયો કેટલા પ્રકારના છે? હે ગૌતમ! દસ પ્રકારના છે. તે આ પ્રમાણે-૧ ધર્માસ્તિકાય, ૨ ધર્માસ્તિકાયનો દેશ, ૩ ધર્માસ્તિકાયના પ્રદેશો, ૪ અધર્માસ્તિકાય, ૫ અધર્માસ્તિકાયનો દેશ, ૬ અધર્માસ્તિકાયના
280