SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ पंचमं विसेसपयं ओगाहणाइसु मणुस्साणं पज्जवा श्री प्रज्ञापना सूत्र भाग १ પણ જ્યાં જ્ઞાન છે ત્યાં અજ્ઞાન નથી, જ્યાં અજ્ઞાન છે ત્યાં જ્ઞાન નથી, પરંતુ જ્યાં દર્શન છે ત્યાં જ્ઞાન અને અજ્ઞાન બને હોય છે. હે ભગવન્! કેવલજ્ઞાની મનુષ્યોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યો છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે કેવલજ્ઞાનીને અનન્ત પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! કેવલજ્ઞાની મનુષ્ય કેવલજ્ઞાની મનુષ્યની અપેક્ષાએ દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે તુલ્ય છે, અવગાહનાવડે ચતુઃસ્થાન પતિત, સ્થિતિ વડે ત્રિસ્થાન પતિત તથા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ વડે જ સ્થાન પતિત હોય છે. કેવલજ્ઞાન પયય વડે તુલ્ય છે. એમ કેવલદર્શની મનુષ્યના સંબંધમાં કહેવું. વ્યંતરોના સંબંધમાં અસુરકુમારની પેઠે કહેવું. જયોતિષિક અને વૈમાનિકોના સંબંધમાં એમજ જાણવું. પરન્તુ સ્વસ્થાનની અપેક્ષાએ ત્રિસ્થાન પતિત કહેવા. એમ જીવપર્યાયો કહ્યા. /૨ll (ટી) જઘન્ય અવગાહનાવાળા મનુષ્ય સૂત્રમાં મનુષ્યો સ્થિતિવડે તિર્યંચ પંચેન્દ્રિયની પેઠે ત્રિસ્થાન પતિત કહેલા છે. જઘન્ય અવગાહનાવાળો મનુષ્ય પણ અવશ્ય સંખ્યાતા વરસના આયુષ્યવાળો હોય છે અને સંખ્યાતા વરસના આયુષ્યવાળો સ્થિતિ વડે ત્રિસ્થાન પતિત હોય છે. “હિં નાહિં' અને ત્રણ જ્ઞાન વડે જ સ્થાન પતિત હોય છે. જ્યારે જો કોઇક તીર્થકર કે અનુત્તરૌપપાતિક દેવ અપ્રતિપાતીજેનો પાત ન થાય એવા અવધિજ્ઞાન વડે જઘન્ય અવગાહનામાં ઉત્પન્ન થાય ત્યારે અવધિજ્ઞાન પણ હોય છે માટે ત્રણ જ્ઞાન વડે જ સ્થાન પતિત હોય છે એમ કહ્યું છે. વિર્ભાગજ્ઞાન સહિત નરકથી નીકળી તથાસ્વભાવથી જઘન્ય અવગાહનામાં ઉત્પન્ન થતો નથી, માટે વિલંગજ્ઞાન હોતું નથી, માટે બે અજ્ઞાન વડે જ સ્થાન પતિત હોય એમ કહ્યું છે. ઉત્કૃષ્ટઅવગાહનામનુષ્ય સૂત્રમાં ‘ક સિય ટીળે, સિય કુત્તે, સિયે અમેરિણ' ઇત્યાદિ સ્થિતિવડે કદાચ ન્યૂન હોય, કદાચ તુલ્ય હોય અને કદાચ અધિક હોય. જો ન્યૂન હોય તો અસંખ્યાતમો ભાગ ન્યૂન હોય, જો અધિક હોય તો અસંખ્યાતમો ભાગ અધિક હોય એમ કહ્યું છે, કારણ કે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા મનુષ્યો ત્રણ ગાઉના ઉંચા હોય છે અને ત્રણ ગાઉની ઉંચાઇવાળાની સ્થિતિ જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ ન્યૂન ત્રણ પલ્યોપમ અને ઉત્કર્ષથી પરિપૂર્ણ ત્રણ પલ્યોપમ હોય છે. જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે કે – હે ભગવન્! ઉત્તર દેવકુના મનુષ્યોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ ન્યૂન ત્રણ પલ્યોપમ અને ઉત્કર્ષથી ત્રણ પલ્યોપમની છે. પલ્યોપમના અસંખ્યાતમા ભાગ ન્યૂન ત્રણ પલ્યોપમની સ્થિતિવાળો પૂર્ણ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળાની અપેક્ષાએ અસંખ્યાતમો ભાગ ન્યૂન હોય છે અને બીજો તેની અપેક્ષાએ અસંખ્યાતમો ભાગ અધિક છે. બાકીની વૃદ્ધિ અને હાનિ પ્રાપ્ત થતી નથી. વળી તેઓને “બે જ્ઞાન અને બે અજ્ઞાન હોય છે. કારણ કે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા અસંખ્યાત વરસના આયુષ્યવાળા હોય છે અને અસંખ્યાત વરસના આયુષ્યવાળાને તથા સ્વભાવથી અવધિજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનનો અસંભવ છે, માટે બે જ જ્ઞાન અને બે જ અજ્ઞાન હોય છે. તથા અજઘન્યઅકુષ્ટ–મધ્યમ અવગાહનાવાળો સંખ્યાતા વરસના આયુષ્યવાળો અને અસંખ્યાત વરસના આયુષ્યવાળો હોય છે. અસંખ્યાત વરસના આયુષ્યવાળાની પણ બે ગાઉની ઉંચાઇ હોય છે માટે અવગાહનાવડે પણ તે ચત સ્થાનપતિત સમજવો. તેમ સ્થિતિવડે ચતુઃસ્થાનપતિત જાણવો. મતિ, શ્રત, અવધિ અને મન:પર્યવ એ આદિના ચાર જ્ઞાન વડે ષસ્થાનપતિત છે. કારણ કે દ્રવ્યાદિની અપેક્ષાએ થતા ક્ષયોપશમની વિચિત્રતાથી તે ચારે જ્ઞાનનું તારતમ્ય હોય છે. કેવળજ્ઞાન પર્યાય વડે તુલ્ય છે. કારણ કે સર્વસ્વ આવરણના ક્ષય થવાથી પ્રગટ થયેલા કેવલજ્ઞાનમાં ભેદ હોતો નથી. બાકી બધું સુગમ છે. જઘન્યસ્થિતિવાળા મનુષ્યસૂત્રમાં જઘન્ય સ્થિતિવાળા મનુષ્યોને બે અજ્ઞાન વડે-મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન વડે છ સ્થાનકો કહેવાં, પણ બે જ્ઞાનવડે ન કહેવાં. કારણ કે જઘન્યસ્થિતિવાળા મનુષ્યો સંમૂચ્છિમ હોય છે, અને સંમૂચ્છિમ મનુષ્યો અવશ્ય મિથ્યાદૃષ્ટિ જ હોય છે. માટે તેઓને અજ્ઞાન જ હોય છે પણ જ્ઞાન હોતાં નથી. ઉત્કૃષ્ટસ્થિતિવાળા મનુષ્ય સૂત્રમાં બે જ્ઞાન અને બે અજ્ઞાન હોય છે. કારણ કે ઉત્કૃષ્ટસ્થિતિવાળા મનુષ્યો ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા હોય છે, તેઓને અજ્ઞાન તો અવશ્ય હોય છે, પણ જ્યારે છ માસનું આયુષ્ય બાકી રહે છે અને વૈમાનિક દેવોનું આયુષ્ય બાંધે છે ત્યારે સમત્વની પ્રાપ્તિ થવાથી બે જ્ઞાન હોય છે. અવધિ અને વિભંગ અસંખ્યાતા વરસના આયુષ્યવાળાને હોતાં નથી માટે ત્રણ જ્ઞાન અને ત્રણ 279
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy