________________
श्री प्रज्ञापना सूत्र भाग १
पंचमं विसेसपयं ओगाहणाइसु पंचिंदियतिरिक्खजोणियाणं पज्जवा તુલ્ય છે અને બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપર્યાય વડે તથા ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, અને ત્રણ દર્શનવડે જસ્થાન પ્રાપ્ત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટકાળાવર્ણવાળાના સંબંધમાં જાણવું. મધ્યમકાળાવર્ણવાળાના સંબંધમાં પણ એમજ જાણવું. પરન્તુ સ્વસ્થાનને (કાળા વર્ણન) આશ્રયી તે સ્થાન પ્રાપ્ત છે. એ પ્રમાણે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શના સંબંધમાં જાણવું. જઘન્યઆભિનિબોધિકજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! શા હેતુથી એમ કહો છો કે- જઘન્યઆભિનિબોધિકજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચોને અનન્ત પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! જઘન્યઆભિનિબોવિકજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચ જઘન્યઆભિનિબોધિક પંચેન્દ્રિય તિર્યંચની અપેક્ષાએ દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે તુલ્ય છે, પણ અવગાહનારૂપે અને સ્થિતિરૂપે ચતુઃસ્થાનને પ્રાપ્ત છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપર્યાય વડે પસ્થાન પ્રાપ્ત છે. આભિનિબોધિકજ્ઞાનપર્યાય વડે તુલ્ય છે. શ્રુતજ્ઞાનય વડે ચક્ષુદર્શનપર્યાય વડે અને અચક્ષુદર્શનપર્યાય વડે જસ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ-આભિનિબોધિકજ્ઞાનીના સંબંધમાં જાણવું. પરન્તુ તે સ્થિતિ વડે ત્રિસ્થાનપતિત હોય છે. તેને ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શન હોય છે. સ્વસ્થાનની અપેક્ષાએ તુલ્ય છે. બાકીના (જ્ઞાન અને દર્શન) પર્યાયની અપેક્ષાએ સ્થાન પતિત છે. મધ્યમઆભિનિબોવિકજ્ઞાની ઉત્કૃષ્ટઆભિનિબોધિક જ્ઞાનીની પેઠે સમજવા. પરન્તુ સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પ્રાપ્ત છે, અને સ્વસ્થાનઆભિનિબોધિક જ્ઞાનની અપેક્ષાએ પણ પસ્થાન પ્રાપ્ત છે. એ પ્રમાણે શ્રુતજ્ઞાનીના સંબંધમાં પણ જાણવું. જઘન્ય અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચોના સંબંધમાં પૃચ્છા. હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! શા હેતુથી એમ કહો છો કે જઘન્યઅવધિજ્ઞાનીને અનન્ત પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! જઘન્યઅવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચ જઘન્ય અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચની અપેક્ષાએ દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે તુલ્ય છે, પરનું અવગાહના વડે ચત સ્થાન પ્રાપ્ત, સ્થિતિ વડે ત્રિસ્થાન પ્રાપ્ત, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ વડે તથા આભિનિબોધિકજ્ઞાન અને શ્રુતજ્ઞાન પર્યાય વડે જસ્થાન પ્રાપ્ત છે. અવધિજ્ઞાન પર્યાય વડે તુલ્ય છે. અજ્ઞાન નથી, તથા ચક્ષુદર્શન, અચસુદર્શન અને અવધિદર્શન પર્યાય વડે જસ્થાન પ્રાપ્ત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનીના સંબંધમાં જાણવું. મધ્યમઅવધિજ્ઞાનીના સંબંધમાં એમજ જાણવું, પરંતુ સ્વસ્થાન-અવધિજ્ઞાનને આશ્રયી પસ્થાન પ્રાપ્ત છે. જેમ આભિનિબોવિકજ્ઞાનીના સંબંધમાં કહ્યું તેમ મતિજ્ઞાની અને શ્રુતઅજ્ઞાનીને કહેવું. જેમ અવધિજ્ઞાનીને કહ્યું તેમ વિલંગજ્ઞાનીના સંબંધમાં પણ કહેવું. ચક્ષુદર્શની અને અચક્ષુદર્શની આભિનિબોવિકજ્ઞાનીની પેઠે જાણવા. અવધિદર્શની અવધિજ્ઞાનીની પેઠે સમજવા, પરન્તુ જ્યાં જ્ઞાન છે ત્યાં અજ્ઞાન નથી, જ્યાં અજ્ઞાન છે ત્યાં જ્ઞાન નથી. જ્યાં દર્શન છે ત્યાં જ્ઞાન પણ છે અને અજ્ઞાન
પણ છે એમ કહેવું. l/૧૯ર ૬૪ (20) જઘન્ય અવગાહનાદિવાળા પૃથિવ્યાદિના સૂત્રમાં સંખ્યાતા વરસનું આયુષ્ય હોવાથી તેઓને સ્થિતિ વડે ત્રણ સ્થાન પ્રાપ્ત થાય છે. એનો પૂર્વે સામાન્ય પૃથિવીકાયિકના સૂત્રમાં વિચાર કર્યો છે. પર્યાયના વિચારમાં તેઓને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનરૂપ અજ્ઞાન કહેવાં, પણ જ્ઞાન ન કહેવાં, કારણ કે તેઓમાં સમ્યક્તનો કે સમ્યક્તસહિત જીવની ઉત્પત્તિનો અસંભવ છે. કારણ કે-૩મયામાવો પુઢવાણુ' પૃથિવ્યાદિમાં બન્ને પ્રકારે જ્ઞાનનો અભાવ છે એવું શાસ્ત્રવચન છે. માટે આ સૂત્રમાં કહ્યું છે કે- રોહિં અનાદિ'-બે અજ્ઞાન વડે છસ્થાનપતિતપણું હોય છે.' જઘન્ય અવગાહનાવાળા બેઇન્દ્રિયના સૂત્રમાં ‘રોહિં નાહિં', વોર્દિ અનાદિ બે જ્ઞાન અને બે અજ્ઞાન વડે જ સ્થાન પતિતપણું કહ્યું છે, કારણ કે કોઈ ઉપશમ સમ્યક્ત વમતો બેઈન્દ્રિયમાં ઉત્પન્ન થાય ત્યારે બેઇન્દ્રિયને અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન સમ્યક્ત હોય છે અને સિદ્ધાન્તકાર સાસળખાવે નાળ' સાસ્વાદનભાવમાં જ્ઞાન માને છે. તેથી સાસ્વાદનસમ્યગ્દષ્ટિને જ્ઞાન હોય છે. માટે તેઓને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બે જ્ઞાન હોય છે અને બાકીનાને અજ્ઞાન હોય છે. માટે કહ્યું છે કે તેઓ બે જ્ઞાન અને બે અજ્ઞાન વડે ષસ્થાનને પ્રાપ્ત થાય છે.” ઉત્કૃષ્ટ અવગાહનામાં અપર્યાપ્તાવસ્થાનો અભાવ હોવાથી સાસ્વાદન સમ્યક્ત હોતું નથી, માટે ત્યાં જ્ઞાન ન કહેવાં, તે માટે 0274